તાઇવાનના વૈજ્ઞાનિકોએ એવું સીરમ બનાવ્યું જેનાથી 20 જ દિવસમાં માથા પર કાયમી વાળ આવી જશે

આજકાલ, ઇન્ટરનેટ પર '10 દિવસમાં વજન ઘટાડો' અથવા તો '20 દિવસમાં વાળ ઉગાડો' જેવા દાવાઓ સામાન્ય બની ગયા છે. આ બધાની વચ્ચે, તાઇવાનના વૈજ્ઞાનિકોએ એક એવો દાવો કર્યો છે જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. હકીકતમાં તેમણે એક એવું હેર સીરમ વિકસાવ્યું છે, જે ફક્ત 20 દિવસમાં વાળ ફરીથી ઉગાડી શકે છે. જો કે આ એક ચમત્કાર જેવું જ લાગે છે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તેના પર સંપૂર્ણ વિશ્વાસ કરી શકાય તે પહેલાં વધુ સંશોધન કરવાની જરૂર છે.

આ અભ્યાસ નેશનલ તાઇવાન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો અને પ્રતિષ્ઠિત જર્નલ સેલ મેટાબોલિઝમમાં પ્રકાશિત થયો હતો. સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જ્યારે ત્વચાને થોડી ઇજા થાય છે, ત્યારે નીચેની ચરબીના કોષો તૂટી જાય છે અને ઓલિક એસિડ અને પામિટોલિક એસિડ જેવા ચોક્કસ ફેટી એસિડ છોડે છે.

Regrow-Hair1
ndtv.in

આ ફેટી એસિડ આસપાસના વાળના મૂળને એટલે કે ફોલિકલ સ્ટેમ સેલ્સને સક્રિય કરે છે, જેના કારણે નવા વાળ ઉગવાના શરુ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે સંશોધકોએ આ ફેટી એસિડને સીધા ઉંદરની ત્વચા પર લગાવ્યા, ત્યારે લગભગ 20 દિવસમાં નવા વાળ ઉગી નીકળ્યા. આ જ પરિણામને કારણે આ અભ્યાસ ચર્ચામાં આવ્યો છે.

photo_2025-11-13_16-03-48

હાલમાં વાળની જે ​​સારવાર, જેમ કે મિનોક્સિડિલ અથવા ફિનાસ્ટરાઇડ, જે સામાન્ય રીતે હોર્મોન્સ અથવા રક્ત પરિભ્રમણ પર આધાર રાખે છે, પરંતુ આ નવી શોધ સાબિત કરે છે કે ચરબીના કોષો અને વાળના મૂળ વચ્ચે બાયોલોજીકલ લિંક હોય છે. જી હા વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પદ્ધતિ ભવિષ્યમાં વધુ કુદરતી અને સલામત વિકલ્પ બની શકે છે, કારણ કે તેમાં તે જ પ્રકારનું ફેટી એસિડ્સ હાજર હોય છે કે જે આપણા શરીર અથવા આહારમાં પહેલાથી હાજર હોય છે, (દા.ત. ઓલિવ તેલ, બદામ, વગેરે)તેનો સમાવેશ થાય છે.

Regrow-Hair2
ndtv.in

આ એ જ છે, જ્યાં વૈજ્ઞાનિકો સાવધાની રાખવાની સલાહ આપે છે. અહીં તમને બતાવી દઈએ કે, આ પ્રયોગ ફક્ત ઉંદરો પર જ કરવામાં આવ્યો છે, અને તેમના વાળનો વિકાસ મનુષ્યો કરતા અનેક ગણો ઝડપી છે. તેથી, એવું કહેવું કસમયનું છે કે આ સીરમ 20 દિવસમાં મનુષ્યોમાં પણ પરિણામો બતાવશે.

અહેવાલો અનુસાર, એક સંશોધકે મજાકમાં જણાવ્યું હતું કે, તેણે તેના પગ પર સીરમનું 'પરીક્ષણ' કર્યું હતું અને કેટલાક વાળ ઉગી નીકળ્યા હતા, પરંતુ આવા પોતાના પર કરેલા પરીક્ષણોને વૈજ્ઞાનિક પુરાવા માનવામાં આવતા નથી. માનવો પર હજુ સુધી કોઈ ક્લિનિકલ ટ્રાયલ અથવા સલામતી પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા નથી.

Regrow-Hair3
navbharattimes.indiatimes.com

આ અભ્યાસ વાળ ખરવાની સારવારમાં એક નવી દિશા તરફ નિર્દેશ કરે છે, પરંતુ સાથે જ તે એક ચેતવણી પણ આપે છે કે કોઈપણ નવા ફોર્મ્યુલાનો ઉપયોગ કરતા પહેલા સંપૂર્ણ પરીક્ષણ કરવાની જરૂર છે. પછી ભલે ફેટી એસિડ કુદરતી હોવા છતાં, જો વધુ પડતી માત્રામાં અથવા ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ખોપરી ઉપરની ચામડીમાં બળતરા અથવા ચેપનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકો આ શોધના આધારે એક નવું ટોપિકલ સીરમ વિકસાવવા પર કામ કરી રહ્યા છે, પરંતુ તે હજુ પણ ટ્રાયલ તબક્કામાં જ છે.

About The Author

Top News

બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

સમાચાર એજન્સી ANI અનુસાર, ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીને બ્રિટનમમાં વધુ એક કાનૂની ઝટકો લાગ્યો છે. લંડનની એક કોર્ટે તેને...
Business 
બેંક ઓફ ઈન્ડિયાને ₹100 કરોડ ચૂકવશે નીરવ મોદી! બ્રિટનની કોર્ટનો આદેશ

ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં હચમચાવી મૂકે તેવી ગંભીર ઘટના સામે આવી છે. એક વિદ્યાર્થિનીએ પોતાની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થિનીને...
Gujarat 
ગુજરાતની શાળામાં એક વિદ્યાર્થિનીએ 13 વર્ષીય વિદ્યાર્થિનીને છરી મારી દીધી, 20 ટાંકા આવ્યા

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.