- Loksabha Election 2024
- PM મોદીના બીજા કાર્યકાળના 20 મંત્રીઓ આ વખતે કપાઇ ગયા
PM મોદીના બીજા કાર્યકાળના 20 મંત્રીઓ આ વખતે કપાઇ ગયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો 9 જૂન, રવિવારે સાંજે શપથવિધિ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત કરવામાં આવ્યો છે. તેમની સાથે 63 જેટલા મંત્રીઓ પણ શપથ લઇ શકે છે. આ વખતે ભાજપને બહુમતી નહીં મળવાને કારણે સાથી પક્ષોના ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવવાની નોબત ઉભી થઇ છે એટલે ભાજપના જૂના મંત્રીઓ કપાઇ ગયા છે.
PM મોદીના બીજા કાર્યકાળમાં જે દિગ્ગજ મંત્રીઓ સામેલ હતા તેમાંથી 20 મંત્રીઓના નામ કપાઇ ગયા છે. આ મંત્રીઓને ન તો PM ઓફિસમાંથી ફોન ગયો છે કે ન તો તેઓ રવિવારે PM હાઉસમાં સવારે મળેલી બેઠકમાં હાજર હતા.
અજય ભટ્ટ, સાધ્વી નિરંજન જ્યોતિ, મીનાક્ષી લેખી, રાજકુમાર રંજન સિંહ,જનરલ વી. કે. સિંહ, આર કે સિંહ, અર્જૂન મુંડા, સ્મૃતિ ઇરાની, અનુરાગ ઠાકુર, રાજીવ ચંદ્રશેખર, નિશીથ પ્રમાણિક, અજય મિશ્રા ટેની, સુભાષ સરકાર, જોન બારલા, ભારતી પવાર, અશ્વીન ચૌબે, રાવસાહેબ દાનવે, કપિલ પાટીલ, નારાયણ રાણે અને ભગવત કરાડ નવી ટીમમાં નહીં હશે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)