ભાજપને ક્યારે મળશે નવા અધ્યક્ષ? શું આ 4 રાજ્યોને કારણે અટકી વાત

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ ક્યારે મળશે? આ સવાલ ઘણા દિવસોથી રાજનીતિક ગલિયારામાં ચર્ચાનો વિષય રહ્યો છે. ભાજપના સંવિધાન મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યાં સુધી નહીં થઈ શકે, જ્યાં સુધી ઓછામાં ઓછા 50% રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ ન થઈ જાય. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અણધાર્યા રાજીનામાએ પણ પ્રક્રિયા વધુ જટિલ બનાવી દીધી છે કેમ કે, પાર્ટીનું ધ્યાન હવે નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગયું છે.

આ દરમિયાન, એવા સમાચાર મળી રહ્યા છે કે ભાજપ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા જેવા 4 મુખ્ય રાજ્યોમાં નવા પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરશે, ત્યારબાદ જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. તો ચાલો જાણીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચુંટણીમાં વિલંબ કેમ થઈ રહ્યો છે અને ચૂંટણી ક્યાં સુધીમાં સંભાવ છે.

BJP
theprint.in

આ 4 રાજ્યોને કારણે અટકી વાત

ઉત્તર પ્રદેશ: હાલમાં ઉત્તર પ્રદેશના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી ભૂપેન્દ્ર સિંહ ચૌધરી સંભાળી રહ્યા છે, પરંતુ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે. પાર્ટીમાં નવા અધ્યક્ષની શોધ ચાલી રહી છે અને ટૂંક સમયમાં નામની જાહેરાત થવાની અપેક્ષા છે. ઉત્તર પ્રદેશ ભાજપ માટે સૌથી મોટું અને સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય હોવાથી અહીંની નિમણૂક સમગ્ર સંગઠન અસર પાડી શકે છે.

ગુજરાત: ગુજરાતમાં પણ પ્રદેશ અધ્યક્ષની નિમણૂકની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. અહીં નવા અધ્યક્ષના નામની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી આ પસંદગી ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

BJP3
bjp.org

કર્ણાટક: અહીં સંગઠનાત્મક ચૂંટણીઓમાં વિલંબને કારણે અત્યાર સુધી નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી કરવામાં આવી નથી. દક્ષિણ ભારતમાં કર્ણાટક ભાજપનો ગઢ માનવામાં આવે છે અને રાજ્યમાં તાજેતરના ફેરફારો બાદ, અહીં ટૂંક સમયમાં નવી નિમણૂક થવાની અપેક્ષા છે.

ત્રિપુરા: પૂર્વોત્તર ભારતના આ મહત્ત્વપૂર્ણ રાજ્યમાં રાજીવ ભટ્ટાચાર્ય 2022થી પ્રદેશ અધ્યક્ષ છે. હવે પાર્ટી અહીં પણ નવા નેતૃત્વ તરફ આગળ વધી રહી છે. માનિક સાહાની જગ્યા લેનારા ભટ્ટાચાર્ય બાદ હવે નવા નામ પર ચર્ચા તેજ છે.

રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કેમ અટકી છે?

ભારતીય જનતા પાર્ટીના સંવિધાન મુજબ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે જ શક્ય છે જ્યારે દેશના અડધાથી વધુ રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણીઓ થઈ ગઈ હોય. પરંતુ અત્યાર સુધી ઘણા રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરામાં આ પ્રક્રિયા અધૂરી છે. આ ઉપરાંત 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના અણધાર્યા રાજીનામાએ પણ આ ચૂંટણી પ્રક્રિયાને જટિલ બનાવી દીધી છે. હવે પાર્ટીનું પૂરું ધ્યાન નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પર કેન્દ્રિત થઈ ગયું છે.

BJP1
theprint.in

ભાજપ બંધારણની કલમ 19 અને 20 હેઠળ, રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી એક નિશ્ચિત પ્રક્રિયાથી થાય છે. તેના માટે એક ઇલેક્ટોરલ કૉલેજ તૈયાર કરવામાં આવે છે જેમાં રાષ્ટ્રીય પરિષદ અને રાજ્ય પરિષદના સભ્યો હોય છે. ઉમેદવાર ઓછામાં ઓછો 15 વર્ષનો પ્રાથમિક સભ્ય હોવો જોઈએ અને તેને 20 પ્રસ્તાવક મળવા જોઈએ, જે 5 અલગ-અલગ રાજ્યોમાંથી હોવા જોઈએ જ્યાં સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ હોય. ત્યારબાદ મતદાન થાય છે અને મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવે છે.

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યાં સુધી સંભવ નથી, જ્યાં સુધી ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક અને ત્રિપુરા જેવા રાજ્યોમાં સંગઠનાત્મક નિમણૂકો પૂર્ણ ન થાય. આ રાજ્યોમાં નવી નિમણૂકો થતા જ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીનો માર્ગ સ્પષ્ટ થઈ જશે. પરંતુ ત્યાં સુધી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતૃત્વએ થોડી વધુ રાહ જોવી પડશે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.