પુતિન સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારની પ્રગતિની સમીક્ષા કરી. બંનેએ કહ્યું કે ભારત અને અમેરિકાના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત થઈ રહ્યા છે. મોદી અને ટ્રમ્પે ખાસ કરીને દ્વિપક્ષીય વેપાર વધારવા પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે, બંને દેશો સાથે મળીને આ ક્ષેત્રમાં વધુ તેજીથી કામ કરશે.

modi-trump1
hindustantimes.com

આ ઉપરાંત તેમણે નવી ટેકનોલોજી, ઉર્જા, રક્ષા અને સુરક્ષા જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવાની પણ ચર્ચા કરી. ભારત-અમેરિકા કોમ્પેક્ટ કરારને મજબૂત બનાવવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેનાથી બંને દેશોની ભાગીદારી 21મી સદીમાં આગળ વધી શકે. આ વાતચીત રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતના 6 દિવસ બાદ જ થઈ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં તેમની સાથે બેઠક કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાતચીત બાદ X પર જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મારી ખૂબ જ સારી વાતચીત થઈ. અમે ભારત-અમેરિકા સંબંધોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી અને ક્ષેત્રિય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી. ભારત અને અમેરિકા વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

modi-trump
hindustantimes.com

વાતચીત દરમિયાન બંને નેતાઓએ ઘણા વૈશ્વિક અને ક્ષેત્રિય મુદ્દાઓ પર પણ મંતવ્યો શેર કર્યા. તેમણે સહમતિ વ્યક્ત કરી કે બંને દેશો સામાન્ય પડકારોનો સામનો કરવા અને એક-બીજાના હિતોને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પે કહ્યું કે તેઓ નિયમિત રૂપે સંપર્કમાં બન્યા રહેશે.

રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિનની કારવાળી તસવીર અમેરિકન સંસદમાં ચર્ચાનો વિષય બની હતી. ડેમોક્રેટિક કોંગ્રેસવુમન કમલાગર-ડોવે તસવીર તરફ ઈશારો કરતા કહ્યું કે, ‘આ પોસ્ટર હજાર શબ્દો બરાબર છે. ત્યારબાદ તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રની ભારત પ્રત્યેની વિદેશ નીતિની આકરી ટીકા કરી હતી. કમલાગરે કહ્યું કે ભારત અમેરિકાનું મજબૂત સાથી રહ્યું છે, પરંતુ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારતને મોસ્કોની નજીક ધકેલી દીધું છે. પુતિનની તાજેતરની મુલાકાત તેનું ઉત્તમ ઉદાહરણ છે.

About The Author

Related Posts

Top News

ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

એલનાઝ નોરોઝી છેલ્લા કેટલાક સમયથી સમાચારમાં છવાયેલી છે. તે પોતાના દેશ ઈરાનના શાસકો વિરુદ્ધ બોલી રહી છે. એલનાઝે અલી ખામેનીના...
Entertainment 
ખામેનીના મૃત્યુ પછી ઉજવણી કરનાર એલનાઝ નોરોઝીને લાગ્યો ડર...

ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સરકારે ભારતની ઉર્જા સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ...
National 
ભારત પાસે હજુ 8 અઠવાડિયાનો તેલ ભંડાર ઉપલબ્ધ છે, મધ્ય પૂર્વના તણાવ વચ્ચે...

ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ 2026 T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ પહેલા મેચ અધિકારીઓની જાહેરાત કરી દીધી છે. બંને સેમિફાઇનલ ...
Sports 
ICCએ જાહેર કર્યું T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં કોણ કરશે એમ્પાયરિંગ? આ ભારતીયને પણ તક મળી

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.