TMCએ યુસુફ પઠાણને ટિકિટ આપી વિરોધ થતા ક્રિકેટરે જુઓ શું કહ્યું

લોકસભાની ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. બધી પાર્ટીઓ પોતાના ઉમેદવારોની લિસ્ટ જાહેર કરી રહી છે. તેમાં કેટલાક ક્રિકેટર્સના નામ પણ સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) તરફથી રાજ્યની બધી 42 લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ખાસ વાત એ છે કે, તૃણમૂલ કોંગ્રેસે ભારતીય ટીમના 2 પૂર્વ ક્રિકેટર્સ યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદને પણ ટિકિટ આપવામાં આવી છે. આ બંને જ ક્રિકેટર્સ ભારત માટે વર્લ્ડ કપ જીતી ચૂક્યા છે.

યુસુફ પઠાણને બહરામપુર અને કીર્તિ આઝાદને દુર્ગાપુરથી ટિકિટ મળી છે. ટિકિટ મળ્યા બાદ હવે બંને સ્ટાર ખેલાડીઓના રીએક્શન પણ સામે આવ્યા છે. ટિકિટ મળ્યા બાદ પૂર્વ ઓલરાઉન્ડર અને વર્લ્ડ કપ વિજેતા યુસુફ પઠાણે સોશિયલ મીડિયાના માધ્યમથી મમતા બેનર્જી અને તેમની પાર્ટીનો આભાર માન્યો છે. યુસુફ પઠાણે લખ્યું કે, મમતા બેનર્જીએ જે મને TMC ફેમિલીમાં સામેલ કર્યો છે અને મારા પર ભરોસો વ્યક્ત કર્યો છે કે હું સંસદમાં લોકોનો અવાજ બની શકું છું, તેના માટે હું તેમનો આભારી છું. જનપ્રતિનિધિ હોવાના સંબંધે મારું કર્તવ્ય ગરીબો અને વંચિતોના ઉત્થાન કરવાનું છે. હું આશા રાખું છું કે, એમ કરી શકું છું.'

બીજી તરફ કીર્તિ આઝાદને સવાલ કરવામાં આવ્યો કે તમે બંગાળની રાજનીતિથી કેટલા પરિચિત છો? તેના પર તેમણે કહ્યું કે, હું પોલિટિક્સથી પૂરી રીતે પરિચિત છું. મારા પિતાજી મુખ્યમંત્રી હતા અને એક સ્વતંત્રતા સેનાની હતા. દેશનું પ્રતિનિધિત્વ કર્યું. અંતતઃ જોવા જઈએ તો લોકોની સમસ્યાને સાંભળવી, સમજાવી અને તેને બુલંદીઓથી પાર્લિયમેન્ટમાં ઉઠાવવી એ બધાનું કર્તવ્ય હોય છે. તેને લઈને અમે આગળ વધીશું. પાર્ટી આ વખત ક્રિકેટર્સને ખૂબ અવસર આપી રહી છે? તેના પર તેમણે કહ્યું કે, આપણે કેવી રીતે ભૂલી જઈએ છીએ કે પહેલા મનોજ તિવારી પણ છે. તેઓ મંત્રી છે.

જે પ્રકારે કળાના ક્ષેત્રથી લોકો છે, સિનેમાથી લોકો છે, ચિત્રકાર છે, દરેક પ્રકારની લોકોને દીદીએ જગ્યા આપી છે. બધી કળાના ક્ષેત્રથી લોકોને અવસર મળવો જોઈએ. દિલ્હીની પીચ (રાજનીતિ) જાણીતી છે, પરંતુ બંગાળ અને એ પણ દુર્ગાપુરની પીચ પર કેવી રીતે બૉલ (રાજનીતિ) કરવાનો છે અને કેવી રીતે બેટિંગ કરવાની છે? તેના પર કીર્તિ આઝાદે કહ્યું કે, એવું કંઇ હોતું નથી કે પીચ અલગ છે કે નહીં. તમે બૉલ રમો છો, બોલરને નહીં. અમારી સામે કોણ છે, BJP છે અમારી સામે. સમસ્યાઓ એક પ્રકારે જ હોય છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.