પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.