પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે તાજેતરમં જાહેરાત કરી કે, 2029 લોકસભાની ચૂંટણી પહેલા દેશના NDA શાસિત તમામ 21 રાજ્યોમાં યુનિફોર્મ...
Politics 
યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ને લાગૂ કરવાની નીતિશ કુમારની પાર્ટી JDU ના પાડે છે, તેનું શું કરશે સરકાર?

અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

અભિજીત દિપકે, જેમને આમ આદમી પાર્ટી શાસિત પંજાબ અને કોંગ્રેસ શાસિત કર્ણાટક અને ઝારખંડમાં કોકરોચ જનતા પાર્ટી (CJP)...
Gujarat 
અભિજીત દીપકેએ કેમ કહ્યું કે તેને આશ્ચર્ય છે કે તેને કોઈ ગુજરાત જવા કેમ નથી કહી રહ્યું!

ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

અલહાબાદ હાઇકોર્ટે 31 વર્ષીય આયુષ મલિકને મુક્ત કર્યો છે. આયુષે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે તેણે પોતાની મરજીથી ઇસ્લામ ધર્મ...
National 
ચાંદની સાથે લગ્ન કરવા માટે આયુષ બની ગયો મુસ્લિમ, પિતાએ તેને ઘરમાં પુરી દીધો; હાઇકોર્ટે કહ્યું કે- તે હવે આઝાદ છે

ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?

સરકાર તેના બફર સ્ટોકમાંથી ભલે ડુંગળી રૂ. 35 પ્રતિ કિલો વેચી રહી હશે. જોકે, દેશના ઘણા ભાગોમાં, લોકો...
Business 
ડુંગળી રૂ. 70 પ્રતિ કિલો વેચાઈ રહી છે; જાણો તેની કિંમત આટલી બધી કેવી રીતે વધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.