પ્રૂફરીડર કોને કહેવાય?

લેખક, કટારલેખક, તંત્રી કે ઉપતંત્રી માટે ઑથર, કૉલમિસ્ટ, એડિટર કે સબએડિટર જેવા શબ્દો સામાન્યતઃ ગુજરાતી લેખનમાં વપરાતા નથી પરંતુ જો આવા અંગ્રેજી શબ્દો વપરાય તો તે માટે પ્રથમ વાંધો કાઢનારા પ્રૂફરીડર માટે હજી પણ પ્રૂફરીડર શબ્દ જ ગુજરાતી લેખનમાં વપરાય છે. પ્રૂફરીડર એ પત્રકારત્વ કે પુસ્તક પ્રકાશનનો એક અનોખો જીવ છે. પ્રૂફરીડરનું આ અનોખાપણું ઘણા તંત્રીઓ સ્વીકારતા આવ્યા છે. માત્ર યશવંત દોશીને આ બાબતમાં વાંકું પડ્યું તેમાં પ્રૂફરીડરોનું સમકાલીનમંડળ લેવાદેવા વગર મારા ઉપર વરસી પડ્યું.

ખેર, ‘વ્યાપાર’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હી.ઝ. ગિલાણી અને ‘જન્મભૂમિ’ના ભૂતપૂર્વ તંત્રી સ્વ. મોહનલાલ મહેતા પ્રૂફરીડરોનો આદર કરતા હતા. ગિલાણી વ્યાપારના દિવાળી અંક માટે તંત્રીલેખ લખતા ત્યારે સૌપ્રથમ તેઓ એ લેખ તેમના સહાયક તંત્રીને નહીં પણ પ્રૂફરીડરને મૂલ્યાંકન માટે તેમ જ હકીકતદોષ શોધવા માટે વાંચવા આપતા.

હું 1967થી 1977 સુધી જન્મભૂમિ જૂથમાં તંત્રી રહ્યો ત્યારે મારા કરતાં સાહિત્યનું વધુ જ્ઞાન ધરાવનાર પ્રૂફરીડરો એ સંસ્થામાં હતા. પત્રકારત્વના તમામ ક્ષેત્રનાં ધોરણ કથળ્યાં છે પણ હજી પ્રૂફરીડિંગનું ધોરણ મહદંશે જળવાયું છે. જન્મભૂમિના હાલના ન્યૂઝ એડિટર વ્રજલાલ વસાણી એક જમાનામાં પ્રૂફરીડર હતા. 1967માં હું મલેશિયાથી મુંબઈ આવ્યો ત્યારે ગણ્યાંગાંઠ્યા જૂના કાટલાં જેવા લેખકો જોડણી અને વ્યાકરણ ઉપર ખૂબ ધ્યાન આપતા. આ બધા પોતાની જ મોજ ખાતર લખતા.

મેં વાચકને ધ્યાનમાં લઈને જે હાથમાં આવે તે લખવાનું શરૂ કર્યું અને મારે એ જથ્થાબંધ રીતે શરૂ કરવું પડ્યું. એ વખતે સૌથી મોટો સધિયારો કે સહકાર જન્મભૂમિના પ્રૂફરીડરોનો હતો. બુલેટની ઝડપે લખાયેલા લેખોના વ્યાકરણ કે જોડણીના દોષો પ્રૂફરીડરો સુધારી લેતા. આવી સ્પીડ માટે હું હંમેશાં પ્રૂફરીડરોનો જ ઋણી રહ્યો છું.

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.