ડગલું ભર્યુ કે પીછે ન હટવું..વાત કવિ નર્મદની...

કવિ, નિબંધકાર, આત્મચરિત્રકાર, નાટયલેખક, કોષકાર, પીંગળકાર, સંપાદક, સંશોધક, જન્મ સુરતમાં, વૈદિક નાગર બ્રાહ્મણ, પરિવારમાં પિતા લહિયા મુંબઈ ધંધાર્થે રહેતા હતા. કવિ નર્મદ બાલ્યવસ્થા મુંબઈમાં પાંચ વર્ષની વયે મુંબઈમાં ભૂલેશ્વરની ગામઠી શાળામાં વિદ્યારંભ, પછી સુરતમાં ઈચ્છા મહેતા અને દુર્ગારામ મહેતાની શાળામાં અભ્યાસ, 1844માં નાની ગૌરી સાથે લગ્ન બાદ 1845માં અંગ્રેજી શાળામાં પ્રવેશ, 1850માં મુંબઈની એલ્ફિસ્ટન ઈન્સટીટયૂટમાં દાખલ થયા. પણ કોલજનો અભ્યાસ અધુરો રહ્યો. 1852માં રાંદેર ગામની શાળામાં શિક્ષક, 1953માં પત્નીનું દુખદ નિધન, 1854માં પુન:મુંબઈ જઈ અભ્યાસમાં ચિત્ત પરોવાવાનો પ્રયાસ કર્યો.

કવિતા પ્રત્યે આકર્ષણ, વર્ડઝ વર્થની કવિતા પ્રકૃતિ કવિતોનો પ્રભાવ, 23મી વર્ષમી વર્ષગાંઠથી કાર્યલેખનની શરૂઆત, 1856માં કોલેજનો અભ્યાસ અધુરો છોડી ડાહી ગૌરી સાથે લગ્ન કર્યા. 1858ની 23મી નવેમ્બરે નર્મદે શિક્ષકની નોકરીને તિલાંજલિ આપી. હમેશા માટે નોકરી ન કરવાની અને કલમનાં ખોળે રહીને જીવવાની પ્રતિજ્ઞા લીધી. અનેક સંકટો વચ્ચે ઝઝુમી નર્મદે સાહિયોપાસના અને સમાજ સુધારણા જીવનને સમર્પિત કર્યું.

1864મા નર્મદે દાંડીયો પખવાડિયકનો પ્રારંભ કર્યો. સુધારા વિશેનો ભ્રમ ભાંગતા ઉત્તવયે નર્મદનું વિચાર પરિવર્તન થયું. આર્ય ધર્મ અને સંસ્કૃતિનાં પુનરૂત્થાનને સ્વધર્મ માન્યો. 1876માં કવિએ મુંબઈ જઈ નાટકો લખવાનું કામ શરૂ કર્યું. 1882માં પ્રતિજ્ઞા છોડી. ગોકળદાસ તેજપાલનાં ઘર્માદા ખાતામાં મંત્રી તરીકેની નોકરી સ્વીકારી. કાઠીયાવાડી ગેઝેટીયરનાં અનુવાદનું કામ સ્વીકાર્યું. આઠ મહિનાની માંદગી બાદ 53 વર્ષની વયે નર્મદે આ દુનિયાને અલવિદા કહી દીધી.

નર્મદ એક વીર કવિ હતા. તેમની કાવ્યવિભાવના અદ્વિતીય હતી. પ્રકૃતિ અને પ્રણયનો કૈફ માણનાર નર્મદની સમાજહિત, દેશદાઝ અને સ્વતંત્રતાને કાવ્યમાં પ્રસ્તુત કરવાની હોશ અપૂર્વ છે . સમાજની અવદશાને અનુભવે જન્મેલા શોકની લાગણી બે દિર્ધ કાવ્યો હિન્દુઓની પડતીઓ, વીરસિંગમાં દ્રષ્ટિગોચર થાય છે. ગુજરાત પ્રેમને પ્રગટ કરતું જય-જય ગરવી ગુજરાત અને અંગત ઉર્મીઓને સંયમિત સૂરમાં વ્યક્ત કરતું અવસાન સંદેશ પણ ઉલ્લેખનીય છે.

રામનારાયણ પાઠકે નર્મદને અર્વાચીન ગદ્ય-પદ્યનાં આદ્ય પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. ગુજરાતી કવિતાને નવી દિશામાં વાળનાર નર્મદ દ્વારા જ ગુજરાતી ગદ્યનું ખરું ખેડાણ પણ થાય છે. ‘મંડળી મરવાથી થતા લાભ’ નામે વિદ્યાર્થી અવસ્થામાં તેમણે નિબંધલેખન કરીને ગદ્યલેખનનો પ્રારંભ કર્યો હતો. એ પછી લગભગ સાડાત્રણ દાયકા સુધી નર્મદે વિવિધ સ્વરૂપો મારફતે ગદ્યનું નિરૂપણ કર્યું હતું. નિબંધ ઉપરાંત  આત્મચરિત્ર, જીવનચરિત્ર, નાટક, વિવેચન, ઈતિહાસ, પત્રકારત્વ વગેરે સ્પરૂપોમાં તેમણે નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.  નર્મદમાં વિષયોનું વર્તુળ તેમના સમકાલીન લેખકો અને કવિઓ કરતાં વધુ વિશાળ અને બહોળું હતું. તેઓ દુરંદેશીતાથી ભવિષ્યને પોતાની કલમમાં ઓપ આપતા હતા. નર્મદે કલ્પેલી આધુનિક ગુજરાતી સાહિત્યની પરિકલ્પના આજે પણ સાર્થક થયેલી જોવા મળી રહી નથી.

નર્મદ પર આજે પીએચડી અને અન્ય સંશોધનો થયા કરે છે પરંતુ વાસ્તવમાં નર્મદાવલિનાં એક મણકાને પણ આત્મસાત કરવાની કોઈને પડેલી હોવાનું જણાતું નથી. નર્મદનાં નામે વિશાળ યુનિવર્સિમટી અને અન્ય પ્રકલ્પો ઉભા કરવામાં આવ્યા છે પરંતુ નર્મદ ક્યાં છે? 

સુરતનાં કોટ વિસ્તાર એટલે જૂના સુરતમાં આમલીરાનમાં નર્મદનું મકાન અને તેની જાળવણી માટે સતત ઝઝુમી રહેલું ટ્ર્સ્ટ અને સુરત મહાનગર પાલિકાનાં પ્રયાસો અવશ્ય બિરદાવા યોગ્ય છે. હવે તો નર્મદનાં મકાનની આબેહૂબ નકલ કરીને યુનિવર્સિટીમાં નર્મદાલાય બનાવવામાં આવ્યું છે. સારી વાત છે, પરંતુ નર્મદનાં વિચાર વૈભવને જીવનમાં ધબકતું રાખવાનું પણ એટલું જ અનિવાર્ય છે. જે ગુજરાતીપણું નર્મદમાં જોવા મળે છે તે અન્ય કોઈ કવિ કે લેખકમાં આટલા સૈકાઓ બાદ પણ એટલી જ મક્કમતાથી જોવા મળી રહ્યું નથી.

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.