અદાણીના ત્રિમાસિક પરિણામ જાહેર થતા શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સ 600 અંક ઉછળ્યો

અઠવાડિયાના બીજા કારોબારી દિવસ મંગળવારે શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી. ગૌતમ અદાણીના નેતૃત્વવાળી અદાણી એન્ટરપ્રાઈઝના ત્રીજા ત્રિમાસિકના પરિણામ જાહેર થયા બાદ માર્કેટમાં ઉછાળો આવ્યો અને આ લીડ અંત સુધી ચાલુ રહી. કારોબાર પૂર્ણ થવા પર બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરોવાળા ઈન્ડેક્સ સેન્સેક્સે 600 અંકોની છલાંગ લગાવી અને 61032.26ના લેવલ પર બંધ થયો. તેમજ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 159 અંકોની તેજી સાથે 17929.85ના સ્તર પર બંધ થયો. આ પહેલા ગ્લોબલ માર્કેટમાં તેજીની વચ્ચે ઘરેલૂં શેર બજાર પણ મજબૂતી સાથે ઓપન થયુ હતું. સેન્સેક્સે આશરે 200 અંકોના વધારા સાથે 60600ના સ્તર પર કારોબાર શરૂ કર્યો હતો, જ્યારે નિફ્ટી પણ સામાન્ય 4 અંકોના વધારા સાથે 17800ના લેવલ પર ખુલ્યો હતો. શેર બજારમાં આવેલી આ જોરદાર તેજીની પાછળ ગૌતમ અદાણીની કંપની Adani Enterprises ના ત્રીજા ત્રિમાસિકના પરિણામો પણ માનવામાં આવી શકે છે.

અમેરિકી રિસર્ચ ફર્મ હિંડનબર્ગના વંટોળમાં ફસાયેલા ગૌતમ અદાણીની કંપની અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિકના પોતાના પરિણામ જાહેર કરી દીધા છે. આ દરમિયાન કંપનીનો કંસોલિડેટેડ નેટ પ્રોફિટ 820 કરોડ રૂપિયા રહ્યો છે. કંપનીએ ડિસેમ્બરના ત્રિમાસિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગત વર્ષના આ ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસને 11.63 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. પરંતુ, આ વર્ષના ડિસેમ્બર ત્રિમાસિકમાં અદાણી એન્ટરપ્રાઈઝીસે જોરદાર નફો નોંધાવ્યો છે.

ત્રિમાસિકના પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરોમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદથી એક જ દિવસમાં અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 35 ટકા કરતા વધુ તૂટ્યા હતા. આજે પરિણામ આવ્યા બાદ અદાણી એન્ટરપ્રાઈઝીસના શેર 4 ટકા સુધી ચડી ગયા હતા. જોકે, કારોબારના અંતમાં આ વધારો થોડો ઓછો થયો અને કંપનીના સ્ટોક 1.88 ટકા અથવા 32.35 રૂપિયાના વધારા સાથે 1750 રૂપિયા પર ક્લોઝ થયા.

મંગળવારે શેરબજારમાં આવેલી તેજીને પગલે BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં જોરદાર ઉછાળો આવ્યો અને તે 265.95 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગયો. અગાઉના કારોબારી દિવસ સોમવારે આ આંકડો 265.76 લાખ કરોડ રૂપિયા પર નોંધવામાં આવ્યો હતો. આ પ્રમાણે જોઈએ તો તેના ઈન્વેસ્ટર્સની સંપત્તિમાં મંગળવારે આશરે 19 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. માર્કેટ બંધ થવા પર 30માંથી 19 શેરોમાં તેજી અને 11માં ઘટાડો જોવા મળ્યો.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.