ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર

દેશમાં બાથરૂમના ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસના કારણે ગૂંગળામણથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્નાન કરતી વખતે રાખવામાં આવેલી નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે, જેનો તાજો કિસ્સો ઉત્તર પ્રદેશના બદાઉં શહેરના સદર કોતવાલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં ગેસ ગીઝરની ઝેરી અસરને કારણે બે સગા ભાઈઓ બાથરૂમમાં બેહોશ થઈ ગયા હતા, જેમાંના એકનું મોત નીપજ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

બદાઉંના શાહબાઝપુર જફાની કોઠી વિસ્તારના રહેવાસી સલીમ અહેમદના બે પુત્રો, રયાન (4 વર્ષ) અને સયાન (11 વર્ષ), શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ બાથરૂમનો દરવાજો બંધ કરીને નહાવા ગયા હતા. બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હતું. લાંબો સમય વીતવા છતાં જ્યારે બંને ભાઈઓ બહાર ન આવ્યા, ત્યારે પરિવારજનોને ચિંતા થઈ હતી.

પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો અને અવાજો આપ્યા, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આખરે દરવાજો તોડીને જોતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા. બંને બાળકો બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

02

એકનું મોત, બીજાની હાલત નાજુક

પરિવારજનો તાત્કાલિક બંને બાળકોને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે 4 વર્ષના રયાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે 11 વર્ષના મોટા ભાઈ સયાનની હાલત ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બરેલી હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર, સયાનના ફેફસામાં ઝેરી ગેસ પહોંચી ગયો હોવાથી તેની હાલત હજુ પણ નાજુક છે.

મૃતક બાળકના પિતાએ કહ્યું બાળકો રોજની જેમ નહાવા ગયા હતા અને હું પડોશમાં સલૂનમાં ગયો હતો. ઘરમાં પત્ની અને બાળકો જ હતા. ગેસ ગીઝરને કારણે આ મોટી દુર્ઘટના ઘટી ગઈ.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જોકે, શોકમગ્ન પરિવારજનોએ મૃતક બાળકના શબનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે અને કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઈ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું પણ માનવું છે કે ગેસ ગીઝરમાંથી લીક થયેલા કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે ગૂંગળામણ થવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.

About The Author

Related Posts

Top News

2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

શિરોમણી અકાલી દળ (SAD) સાથે સમાધાન અંગેની અટકળોનો અંત લાવતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે જાહેરાત કરી...
Politics 
2027ની પંજાબ ચૂંટણીને લઈને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહની મોટી જાહેરાત

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના...
Opinion 
દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ

વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

એક ખૂબ પ્રખ્યાત ફિલ્મી ડાયલોગ છે- ‘કાનૂન કે હાથ બડે લાંબે હોતે હૈ...’ એટલે કે ભલે ગમે તેટલી...
Gujarat 
વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમે બે દાયકાથી ફરાર આરોપીને મોઢા પર મસો-ગુટખા ખાવાની ટેવથી ઝડપી પાડ્યો

સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

અભિનેતા અને કાર શોખીન અજિત કુમારે મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની ડિલિવરી લઇ લીધી છે. મહિન્દ્રાએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ...
Tech and Auto 
સાઉથના સુપરસ્ટારે ખરીદી મહિન્દ્રા BE 6 ફોર્મ્યુલા E એડિશનની કાર, જે 6.7 સેકન્ડમાં 100 સ્પીડે ભાગે છે

Opinion

દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ દિનેશ નાવડિયા: મહેનત, નિષ્ઠા અને હિન્દુત્વને સમર્પિત પાટીદાર વ્યક્તિત્વ
(ઉત્કર્ષ પટેલ) દિનેશભાઈ નાવડિયા એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સમાજસેવા, હિન્દુત્વ અને રાષ્ટ્રીય રાજકીય આદર્શોને પોતાના જીવનમાં અભિન્ન રીતે...
PM મોદીઃ આપત્તિઓને અવસરમાં ફેરવી દેતા ધૂરંધર રાજનેતાનું ક્રાઇસિસ મેનેજમેન્ટ
ગુજરાતના કેટલાક ઉદ્યોગપતિઓ રોજ નવી રીલ બનાવી પોતાની જાહોજલાલી વાહવાહીનું સોશિયલ મીડિયા PR કેમ કરતા હશે?
કૌભાંડી અધિકારીઓ ગુજરાતના નેતાઓના કહ્યાગરા બનીને ખુલ્લેઆમ લૂંટ ચલાવે છે
એક પાટીદાર ગોવિંદ ધોળકિયા... વેપાર, દેશભક્તિ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.