ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર

દેશમાં બાથરૂમના ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસના કારણે ગૂંગળામણથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્નાન કરતી વખતે રાખવામાં આવેલી નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે, જેનો તાજો કિસ્સો ઉત્તર પ્રદેશના બદાઉં શહેરના સદર કોતવાલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં ગેસ ગીઝરની ઝેરી અસરને કારણે બે સગા ભાઈઓ બાથરૂમમાં બેહોશ થઈ ગયા હતા, જેમાંના એકનું મોત નીપજ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

બદાઉંના શાહબાઝપુર જફાની કોઠી વિસ્તારના રહેવાસી સલીમ અહેમદના બે પુત્રો, રયાન (4 વર્ષ) અને સયાન (11 વર્ષ), શુક્રવારે સવારે 10 વાગ્યાની આસપાસ બાથરૂમનો દરવાજો બંધ કરીને નહાવા ગયા હતા. બાથરૂમમાં ગેસ ગીઝર ચાલુ હતું. લાંબો સમય વીતવા છતાં જ્યારે બંને ભાઈઓ બહાર ન આવ્યા, ત્યારે પરિવારજનોને ચિંતા થઈ હતી.

પરિવારના સભ્યોએ દરવાજો ખખડાવ્યો અને અવાજો આપ્યા, પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આખરે દરવાજો તોડીને જોતા જ પરિવારના હોશ ઉડી ગયા હતા. બંને બાળકો બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યા હતા.

02

એકનું મોત, બીજાની હાલત નાજુક

પરિવારજનો તાત્કાલિક બંને બાળકોને લઈને જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે 4 વર્ષના રયાનને મૃત જાહેર કર્યો હતો. જ્યારે 11 વર્ષના મોટા ભાઈ સયાનની હાલત ગંભીર હોવાથી તેને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે બરેલી હાયર સેન્ટર ખાતે રિફર કરવામાં આવ્યો છે. તબીબોના જણાવ્યા અનુસાર, સયાનના ફેફસામાં ઝેરી ગેસ પહોંચી ગયો હોવાથી તેની હાલત હજુ પણ નાજુક છે.

મૃતક બાળકના પિતાએ કહ્યું બાળકો રોજની જેમ નહાવા ગયા હતા અને હું પડોશમાં સલૂનમાં ગયો હતો. ઘરમાં પત્ની અને બાળકો જ હતા. ગેસ ગીઝરને કારણે આ મોટી દુર્ઘટના ઘટી ગઈ.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. જોકે, શોકમગ્ન પરિવારજનોએ મૃતક બાળકના શબનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો છે અને કોઈપણ કાયદેસરની કાર્યવાહી કરવાની મનાઈ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસનું પણ માનવું છે કે ગેસ ગીઝરમાંથી લીક થયેલા કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે ગૂંગળામણ થવાથી આ દુર્ઘટના સર્જાઈ છે.

About The Author

Top News

PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

(ઉત્કર્ષ પટેલ) ભારતીય રાજકારણમાં આજે પણ એક વિચારધારા પ્રબળ છે કે સત્તા એટલે નેતૃત્વના પરિવારની મિલ્કત. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
Opinion 
PM મોદી અને યોગીએ ક્યારેય તેમની રાજકીય શક્તિનો લાભ તેમના પરિવારને આપ્યો નથી

દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

મધ્ય પ્રદેશના ભોપાલની જિલ્લા હોસ્પિટલમાં સામે આવેલા એક કિસ્સાએ આરોગ્ય વિભાગને સવાલોના ઘેરામાં લાવી દીધો છે. એક દર્દી ખાંસીની દવા...
National 
દર્દી ખાંસીની દવા લેવા સરકારી હોસ્પિટલમાં ગયો હતો, બોટલમાં કીડો તરી રહ્યો હતો

સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

કલ્પના કરો કે તમે ગાઢ ધુમ્મસમાં વાહન ચલાવતા હોવ, આગળ કંઈ જોઈ શકતા ન હોવ, પરંતુ તમારી કાર...
Tech and Auto 
સરકાર લાવી રહી છે V2V ટેકનોલોજી; રસ્તા પર વાહનો એકબીજા સાથે વાતચીત કરશે, જેનાથી અકસ્માતો અટકશે!

સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?

કેરળનું પ્રખ્યાત ધાર્મિક મંદિર સબરીમાલા ફરી એકવાર વિવાદમાં ફસાયું છે. આ વખતે વિવાદ મંદિરમાં સ્થાપિત મૂર્તિઓમાંથી સોનાની ચોરીનો છે. આ...
National 
સબરીમાલા મંદિર સોનાની ચોરીનો વિવાદ શું છે? વિજય માલ્યા સાથે શું સંબંધ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.