70 વર્ષીય SP નેતાએ 20 વર્ષની કન્યા સાથે કર્યા ચોથા લગ્ન; થયો વિવાદ, બીજી પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ભૂતપૂર્વ કોર્પોરેટર હાજી ખલીલના ચોથા લગ્નને લઈને મોટો વિવાદ ઉભો થયો છે. આ 70 વર્ષીય નેતાએ 20 વર્ષની કન્યા સાથે લગ્ન કર્યા પછી, તેની બીજી પત્નીએ તેમના પર તેમની મિલકત હડપ કરવાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. 11 બાળકોના પિતા ખલીલને હવે કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

SP Leader Haji Khalil
facebook.com

ગાઝિયાબાદના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કૈલા ભટ્ટાના રહેવાસી SP નેતા અને ભૂતપૂર્વ કોર્પોરેટર હાજી ખલીલે 70 વર્ષની ઉંમરે 20 વર્ષની યાસ્મીન સાથે ચોથી વાર લગ્ન કર્યા. આ લગ્ન પછી, તેમની બીજી પત્ની, નઝરીને, પોલીસ કમિશનર ઓફિસમાં ઉત્પીડન અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. નઝરીનનો આરોપ છે કે, ખલીલ મેહરમાં આપવામાં આવેલી મિલકત પર કબજો કરવા માંગે છે. આ વિવાદ 1991માં કરેલા બીજા લગ્નની સચ્ચાઈ છુપાવવા, અગાઉના લગ્ન અને કુલ 11 બાળકો સાથે જોડાયેલા કૌટુંબિક વિવાદમાંથી ઉદ્ભવ્યો છે. હાલમાં, પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

પીડિત નાઝરીનના જણાવ્યા મુજબ, તેણે 1991માં હાજી ખલીલ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે, ખલીલે એ હકીકત છુપાવી હતી કે તે પહેલાથી જ પરિણીત હતો અને તેની પહેલી પત્નીથી 8 બાળકો હતા. ખલીલને નાઝરીનથી 3 બાળકો (બે પુત્રીઓ અને એક પુત્ર) પણ છે. મહિલાનો આરોપ છે કે, ખલીલે 2010માં ત્રીજા લગ્ન પણ કર્યા હતા, પરંતુ નિઃસંતાનતાને કારણે ત્રણ તલાક આપીને તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. હવે 20 વર્ષની નવી દુલ્હનના આગમનથી વિવાદ વધુ વકર્યો છે.

SP Leader Haji Khalil
bharatexpress.com

નાઝરીનએ એડિશનલ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તે હાલમાં જે મિલકત ધરાવે છે તે તેને મેહરમાં મળી હતી. હવે, હાજી ખલીલ અને તેની ચોથી પત્ની યાસ્મીનની નજર એ જ મિલકત પર છે. એવો આરોપ છે કે તેઓ મિલકતને તેમના નામે ટ્રાન્સફર કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. નઝરીનનો દાવો છે કે, જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેને અને તેના પુત્રને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. મહિલાએ સુરક્ષાની માંગણી કરી છે, કારણ કે તેને અને તેના બાળકોના જીવને જોખમ છે.

SP Leader Haji Khalil
hindi.news18.com

હાજી ખલીલ ગાઝિયાબાદના રાજકારણમાં એક અનુભવી વ્યક્તિ છે. તેમણે 1995 અને 2000માં ઇસ્લામનગર વોર્ડમાંથી કોર્પોરેટર તરીકે સેવા આપી હતી. અગાઉ તેમના પર કરોડો રૂપિયાની મ્યુનિસિપલ જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાના ગંભીર આરોપો લાગી ચુક્યા છે. તાજેતરના કિસ્સામાં, પોલીસ અધિકારીઓ કહે છે કે, તેમને ફરિયાદ મળી છે અને તપાસ બાદ યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. 70 વર્ષીય નેતાના ચોથા લગ્ન અને ત્યારપછીના મિલકત વિવાદે સમગ્ર વિસ્તારમાં વ્યાપક ચર્ચા ફેલાઈ ગઈ છે.

About The Author

Top News

મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલમાં ભારે વરસાદનો સામનો કરી રહી છે. બુધવારે, જ્યારે મેયર રીતુ તાવડે BMCના કામકાજનું...
National 
મુંબઈમાં પાણી ભરાવાથી પરેશાન લોકો; મેયરે જેવું કહ્યું કે, બધું નિયંત્રણમાં છે...તરત જ પાછળ તેમનો જ અધિકારી...

વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

વેનેઝુએલામાં સતત બે ભારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બુધવારે દેશના ઉત્તરી કિનારા નજીક એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના...
World 
વેનેઝુએલામાં 7.5 તીવ્રતાના ભૂકંપ ચારે બાજુ તારાજીના દૃશ્યો, હજારોના મોતની આશંકા; ભારતે NDRF ટીમ મોકલી

અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં, બુધવારે પિતા-પુત્રએ હિન્દુ ધર્મ અપનાવી લીધો. બજરંગ દળના કાર્યકરોની હાજરીમાં તેમણે ઇસ્લામનો ત્યાગ કર્યો અને દેવીના...
National 
અબ્દુલ્લા બન્યો 'દારોગા સિંહ', 8 વર્ષ પછી પુત્ર સાથે હિન્દુ ધર્મમાં પાછો ફર્યો; જણાવ્યું ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો હતો

સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

સુમુલ ડેરીની આગામી ચૂંટણી અગાઉ જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર 16 ઉમેદવારો સામે પક્ષના...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત પેનલની સામે ભાજપના જ બળવાખોર નેતાઓ પડ્યા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.