ઘરનું ભાડું 18000 રૂપિયા વધતા બેંગલુરુમાં એક પરિવારને ઘર છોડવાની ફરજ પડી

મકાનમાલિકે ભાડું વધાર્યા બાદ બેંગલુરુના એક પરિવારને તેમનું ઘર ખાલી કરવાની ફરજ પડી છે. મકાનમાલિકે ભાડામાં રૂ.18,000નો વધારો કર્યો. ત્યારપછી તેણે પરિવારને વિકલ્પો આપ્યા, વધેલું ભાડું ચૂકવો અથવા ઘર ખાલી કરો. પરિવારે ઘર છોડવાનું નક્કી કર્યું. આ પરિવાર 3 કિલોમીટર દૂર શિફ્ટ થયો છે. 36 વર્ષના  અન્વેષા ચક્રવર્તીએ લોકડાઉન દરમિયાન ઓગસ્ટ 2020માં બેલંદુરમાં 3 રૂમનું ઘર લીધું હતું. ત્યારે તેની પત્ની ગર્ભવતી હતી. આ ઘરનું ભાડું દર મહિને રૂ.25,000 હતું. મકાનમાલિક અને ભાડૂઆત વચ્ચે દર વર્ષે ભાડામાં રૂ. 1000નો વધારો કરવાનો કરાર થયો હતો.

2022ની શરૂઆતમાં કોરોના રોગચાળો નબળો પડ્યા પછી, કંપનીઓએ તેમના કર્મચારીઓને ઓફિસમાં કામ કરવા આવવાની સૂચના આપવાનું શરૂ કર્યું. આ કારણે બેંગ્લોરમાં ભાડામાં ઘણો વધારો થવા લાગ્યો. ચક્રવર્તીએ ભાડું વધારીને રૂ. 35,000 કર્યું. 'અગાઉ અમે કરાર રિન્યૂ કર્યો હતો. અમે 5 ટકા વધુ ભાડા પર દર મહિને રૂ. 27,000 ચૂકવવાનું શરૂ કર્યું.' એવું ચક્રવર્તીએ જણાવ્યું હતું, જેઓ OTT ઓડિયો પ્લેટફોર્મમાં કામ કરે છે. તેમણે કહ્યું કે, પાછળથી ભાડામાં વધારો થતાં, આવા મકાનનું ભાડું 45,000 રૂપિયા સુધી પહોંચી ગયું હતું.

તેમણે કહ્યું કે, અમને મકાનમાલિક દ્વારા વધેલું ભાડું ચૂકવવા અથવા મકાન ખાલી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તેના સાસુ અને સસરા પણ ચક્રવર્તી સાથે રહેતા હતા. તેમનો પુત્ર પણ ઘણો નાનો છે. પરંતુ, મકાનમાલિકના દબાણ વધતાં, ત્યાર પછી તેઓએ નવો ફ્લેટ શોધવાનું શરૂ કર્યું. ત્યાર પછી તેને ખબર પડી કે, તેના મકાનમાલિકે 45,000 રૂપિયા પ્રતિ માસના ભાડા પર આ ફ્લેટ કોઈ બીજાને આપ્યો હતો. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, મકાનમાલિકે તેને વહેંચણીના આધારે ઓફર કરી હતી, જેના કારણે તેમને ઝડપથી ભાડૂતો મેળવવામાં મદદ મળી હતી.

ચક્રવર્તીનો પરિવાર એવા સેંકડો પરિવારમાંનો એક છે, જેમને પાછળ એક વર્ષમાં ફ્લેટના ભાડામાં ડબલ વધારો થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ એનરોકના રિસર્ચ હેડ પ્રશાંત ઠાકુરે જણાવ્યું હતું કે, હવે ભાડું ઘણું વધી ગયું છે. કોરોના રોગચાળો શમી ગયા બાદ લોકો ઓફિસે પાછા ફરવા લાગ્યા છે. આ સાથે, મકાનમાલિકો કોરોના રોગચાળા દરમિયાન થયેલા તેમના નુકસાનની ભરપાઈ કરી રહ્યા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.