એક વ્યક્તિએ એવો તર્ક આપ્યો કે, 'બેંગલુરુમાં ઘર ખરીદવું એ બકવાસ છે'; પોસ્ટ થઇ વાયરલ

બેંગલુરુમાં ઘરોના આસમાને પહોંચેલા ભાવો વિશે સતત ચર્ચા ચાલી રહી છે. ઊંચા ભાવ, ઓછા વળતર અને નબળા માળખાગત સુવિધાઓને કારણે ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું ઘર ખરીદવા માટે આટલી મોટી રકમનું રોકાણ કરવું ખરેખર સમજદારીભર્યું છે? આ પ્રશ્નને સંબોધતા રેડિટ પર એક પોસ્ટ વ્યાપક ચર્ચા પેદા કરી રહી છે. આ પોસ્ટમાં, એક યુઝરે સમજાવ્યું કે તે બેંગલુરુમાં ઘર ખરીદવાની ક્ષમતા હોવા છતાં તે કેમ ખરીદવા માંગતો નથી, તેને 'જીરો સેંસ' ગણાવી.

Buying-House
abplive.com

યુઝરે સમજાવ્યું કે તે સરળતાથી 2-3 કરોડ રૂપિયાનું ઘર ખરીદી શકે છે, પરંતુ તે વ્હાઇટફિલ્ડ, સરજાપુર અથવા વરથુર જેવા વિસ્તારોમાં સ્થળાંતર કરીને પોતાની જીવનશૈલી સાથે સમાધાન કરવા માંગતો નથી. 'ભીડ, ધૂળ, ટ્રાફિક, બિનઆયોજિત લેઆઉટ, સતત બાંધકામ...' તે હાલમાં જયનગરમાં 3 BHK એપાર્ટમેન્ટમાં રહે છે. તેણે સમજાવ્યું કે તે જમીનના પ્લોટ પર સ્થિત એપાર્ટમેન્ટ માટે રૂ. 35,000 ભાડું ચૂકવે છે, જેની કિંમત હાલમાં લગભગ રૂ. 8 કરોડ છે.

Buying-House1
abplive.com

યુઝરે કહ્યું કે, તેને જયનગર ખૂબ ગમે છે, પરંતુ તે હજુ પણ ત્યાં ઘર ખરીદવાનો વિચાર કરતો નથી. કારણ એકદમ સાફ છે, રૂ. 8 કરોડ ઘણું છે, અને તેની બધી બચત એક જ ઘરમાં રોકાણ કરવી યોગ્ય લાગતું નથી. તે આટલું મોટું રોકાણ કરવા માંગતો નથી, ફક્ત એવી આશા રાખીને કે મિલકતના ભાવ વધશે. યુઝરે સમજાવ્યું કે, જો તે આટલી જ રકમ કેટલાક યુરોપિયન દેશોમાં રોકાણ કરે, તો તેને વધુ સારી રીતે આયોજિત ઘરો, વધુ સારી માળખાગત સુવિધા અને કેટલીક જગ્યાએ લાંબા ગાળાના રહેઠાણની તક પણ મળી શકે છે. વધુ વિકલ્પો, વધુ સુવિધા અને ઓછી દૈનિક મુશ્કેલીઓને કારણે બેંગલુરુના ભાવ તેમના માટે અશક્ય લાગે છે.

Buying-House5
aajtak.in

યુઝર હાલમાં જયનગરમાં ભાડે રહે છે અને તેની બાકીની મૂડી અન્યત્ર રોકાણ કરે છે. ઘણા લોકોએ તેની ચિંતાઓનું સમર્થન કર્યું છે. એક યુઝરે લખ્યું, 'યુરોપ આપણને રહેવા દે કે ન દે, પરંતુ કહેવાની વાત એ છે કે બેંગલુરુના ભાવ યુરોપના ભાવો જેવા જ છે, જ્યારે સુવિધાઓ ક્યાંય એટલી સારી નથી.' બીજાએ કહ્યું, 'હું પણ સંમત છું કે ઘર ફક્ત દિવાલો વિશે નથી. જીવનની ગુણવત્તા, સુવિધા અને સુરક્ષા પણ મહત્વપૂર્ણ છે. અહીં દોઢ કરોડનું રોકાણ કરવું પણ યોગ્ય લાગતું નથી.'

Buying-House2
abplive.com

ત્રીજા યુઝરે લખ્યું, 'હું ઉંમરમાં મોટો છું, મારી કુલ સંપત્તિ પણ ઓછી છે, તાં હું હજુ પણ ઘર ખરીદી શકું છું. પરંતુ બેંગ્લોરના નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર દોઢ કરોડ રૂપિયા ખર્ચવા એ સમજદારી નથી. UK કરતા વધારે કિંમતો જોઈને મને આઘાત લાગ્યો છે.' UKના એક રહેવાસીએ લખ્યું, 'અહીં આવીને મને આશ્ચર્ય થયું કે બેંગ્લોરમાં મિલકત UK કરતા પણ મોંઘી છે. હું મારા પોતાના શહેરમાં કંઈપણ ખરીદી શકતો નથી.'

About The Author

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.