‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે શિવ મંદિર હતું અને તેના સર્વેની માંગણી કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી છે.

Ajmer-Sharif
indianexpress.com

અરજદારનો દાવો શું છે?

રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, ‘અજમેર દરગાહ પહેલા શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને પણ અરજી આપવામાં આવી હતી, જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી. તેમણે ASI દ્વારા સર્વેની પણ માંગ કરી છે.

વરિષ્ઠ વકીલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે આજે અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ સ્થળ પ્રાચીન સમયમાં ભગવાન શિવને સમર્પિત મંદિર હતું. વર્ષ 2024માં, હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પણ આવી જ અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવામાં આવે.

Ajmer-Sharif2
newindianexpress.com

અજમેર શરીફ દરગાહનો ઇતિહાસ શું છે?

અજમેર શરીફ દરગાહને ભારતના મુખ્ય મુસ્લિમ તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે અને તે અજમેરમાં એક પ્રખ્યાત સ્થળ પણ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એક ફારસના સૂફી સંત હતા. તેમને 1192 થી 1236 AD સુધી અજમેરમાં નિવાસ કર્યો હતો. મુઘલ સમ્રાટ હુમાયુએ સંતની યાદમાં આ દરગાહનું નિર્માણ કરાવ્યું હતું અને તેમની કબર અહીં આવેલી છે. અકબર અને શાહજહાંના શાસનકાળ દરમિયાન દરગાહ સંકુલમાં મસ્જિદો બનાવવામાં આવી હતી.

About The Author

Top News

બંગાળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી! તેમાં 75 ટકા સુધી જીવ જવાનું જોખમ; જાણો કેટલો ભયાનક છે, અને તેને કેવી રીતે અટકાવવો

પશ્ચિમ બંગાળમાં 25 વર્ષ પછી નિપાહ વાયરસના શંકાસ્પદ કેસ નોંધાયા છે. આનાથી આરોગ્ય વિભાગ અને કેન્દ્ર સરકાર સતર્ક થઈ ગઈ...
National 
બંગાળમાં ફરી નિપાહ વાયરસની એન્ટ્રી! તેમાં 75 ટકા સુધી જીવ જવાનું જોખમ; જાણો કેટલો ભયાનક છે, અને તેને કેવી રીતે અટકાવવો

નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી

લાંબી રાહ જોયા પછી, દેશની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક, ટાટા મોટર્સે આખરે તેની માઇક્રો SUV, ટાટા પંચનું ફેસલિફ્ટેડ મોડેલ...
Tech and Auto 
નવી ટાટા પંચ થઇ લોન્ચ; બોલ્ડ લુક, સ્માર્ટ ફીચર્સ... CNG અને ઓટોમેટિક પણ! કિંમત છે આટલી

‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે...
National 
‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

‘દીદી, બે મહિના સુધી તમારી વાત નહીં સાંભળું, મને માફ કરી દો...’ TMC ધારાસભ્યએ આવું કેમ કહ્યું?

આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પ્રચાર સાથે-સાથે આરોપ-પ્રત્યારોપોનો સિલસિલો પણ શરૂ થઈ...
Politics 
‘દીદી, બે મહિના સુધી તમારી વાત નહીં સાંભળું, મને માફ કરી દો...’ TMC ધારાસભ્યએ આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.