‘અજમેર શરીફ દરગાહ પહેલા શિવ મંદિર હતું’, ASI સર્વેની માંગણી કરતી અરજી કોર્ટમાં દાખલ

અજમેરની જિલ્લા કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે અજમેર દરગાહ મૂળ રૂપે શિવ મંદિર હતું અને તેના સર્વેની માંગણી કરવામાં આવી છે. આ અરજી મહારાણા પ્રતાપ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે દાખલ કરી છે.

Ajmer-Sharif
indianexpress.com

અરજદારનો દાવો શું છે?

રાજવર્ધન સિંહ પરમારે કહ્યું કે, ‘અજમેર દરગાહ પહેલા શિવ મંદિર હતું અને બાદમાં તેને દરગાહમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું હતું. હું લાંબા સમયથી આ મુદ્દા સામે લડી રહ્યો છું. અગાઉ રાષ્ટ્રપતિને પણ અરજી આપવામાં આવી હતી, જેને રાજસ્થાનના મુખ્ય સચિવને મોકલવામાં આવી હતી. તેમણે ASI દ્વારા સર્વેની પણ માંગ કરી છે.

વરિષ્ઠ વકીલ એ.પી. સિંહે જણાવ્યું હતું કે આજે અજમેરના જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ સ્થળ પ્રાચીન સમયમાં ભગવાન શિવને સમર્પિત મંદિર હતું. વર્ષ 2024માં, હિન્દુ સેનાના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ પણ આવી જ અરજી દાખલ કરી હતી. તેમણે માંગ કરી હતી કે દરગાહને હિન્દુ મંદિર જાહેર કરવામાં આવે.

Ajmer-Sharif2
newindianexpress.com

અજમેર શરીફ દરગાહનો ઇતિહાસ શું છે?

અજમેર શરીફ દરગાહને ભારતના મુખ્ય મુસ્લિમ તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે અને તે અજમેરમાં એક પ્રખ્યાત સ્થળ પણ છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી એક ફારસના સૂફી સંત હતા. તેમને 1192 થી 1236 AD સુધી અજમેરમાં નિવાસ કર્યો હતો. મુઘલ સમ્રાટ હુમાયુએ સંતની યાદમાં આ દરગાહનું નિર્માણ કરાવ્યું હતું અને તેમની કબર અહીં આવેલી છે. અકબર અને શાહજહાંના શાસનકાળ દરમિયાન દરગાહ સંકુલમાં મસ્જિદો બનાવવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

પાકિસ્તાન ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપના સેમીફાઇનલ માટે ક્વોલિફાય થઇ શકી નથી. ટીમ શ્રીલંકામાંથી પોટલા બાંધી ચૂકી છે. પાકિસ્તાનના નિરાશાજનક...
Sports 
પાકિસ્તાની ખેલાડીઓ ઈજાઓ દર્શાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવડાવે છે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 05-03-2026 વાર - ગુરુવાર મેષ - નવી વસ્તુઓ જાણવાની અને શીખવાની રુચિ રહે, ધન લાભ મેળવવામાં મોડુ થઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.