અખિલેશે જે મહિલાની થાળીમાંથી પૂરી ખાધી તેને તંત્રએ સુરક્ષાની ડ્યૂટીથી હટાવી સફાઈકામમાં લગાવી દીધા

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને આંબેડકર જયંતીના ભંડારામાં પુરીઓ ખવડાવ્યા બાદ ડિમોશનનો સામનો કરી રહેલા ઉમેશ કુમાર નામના કર્મચારીનો મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શુક્રવારે, તેની પુત્રી અંજલિ મેસી, લખનૌમાં સમાજવાદી પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી અને અખિલેશ યાદવને મળી હતી. અંજલિએ કહ્યું કે, ‘સાહેબ, તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે. મારા પિતાએ મને આ જ સંદેશ આપીને તમારી પાસે મોકલી છે. અંજલિની આ વાત સાંભળીને અખિલેશ યાદવે કહ્યું કે તેઓ આ બાબતે અધિકારીઓ સાથે વાત કરશે.

akhilesh yadav
youtube.com

14 એપ્રિલના રોજ, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કર્મચારી ઉમેશ કુમારની પુત્રી અંજલિ મેસીએ અખિલેશ યાદવને પુરીઓ ખવડાવી હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. થોડા સમય બાદ, ઉમેશ કુમારને સુરક્ષા દેખરેખ ફરજમાંથી હટાવીને ફરીથી સફાઈ કામમાં લગાવી દીધા હતા.  ત્યારબાદ પરિવારે આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી હતી.

ઉમેશ કુમારનું કહેવું છે કે ઓક્ટોબર 2023થી તેમને પ્રતિષ્ઠાનોની સુરક્ષા પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ અચાનક તેને હટાવી દેવામાં આવ્યો. તેનો આરોપ છે કે તેમને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે એક સામુદાયિક ભોજન સમારંભમાં અખિલેશ યાદવને પ્રસાદ પીરસ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ સમગ્ર મામલાનું રાજકારણ કરવામાં આવ્યું છે.

તો કેન્ટોનમેન્ટ બોર્ડ વહીવટીતંત્રએ આ આરોપોને નકારી કાઢ્યા છે. મુખ્ય કાર્યકારી અધિકારી અભિષેક રાઠોડે જણાવ્યું હતું કે ઉમેશ કુમાર એક સફાઈ કાર્યકર છે અને આ ફક્ત સામાન્ય વહીવટી ફેરફાર છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ઉમેશ કુમાર વિરુદ્ધ પહેલાથી પહેલાથી જ ઘણી ફરિયાદો પેન્ડિંગ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉમેશ કુમારે આ ઘટના અંગે સંરક્ષણ મંત્રાલય અને અન્ય લશ્કરી અધિકારીઓને સીધા પત્રો લખ્યા હતા, જે સેવા આચાર નિયમોની વિરુદ્ધ માનવામાં આવતા હતા. આને કાર્યવાહીનો આધાર ગણાવવામાં આવી રહ્યો છે.

akhilesh yadav
samajwadiparty.in

અખિલેશ યાદવે આ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે PDA સમુદાયના એક પરિવારને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમણે આંબેડકર જયંતિ પર તેમને ભોજન કરાવ્યું હતું. અખિલેશ યાદવે તેને રાજકીય બદલો ગણાવતા કહ્યું કે ભાજપ હંમેશા PDA વિરોધી રાજકારણ કરતી રહે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સાથે ચા પીનારા લોકોને પહેલા પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

સપાની ઓફિસમાં થયેલી બેઠક બાદ અંજલિ મેસીનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે... આ વાક્ય સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ઘણા લોકો તેને પરિવારની ભાવનાત્મક પ્રતિક્રિયા કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

About The Author

Top News

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

દક્ષિણ કોરિયાનો મુખ્ય શેરબજાર સૂચકાંક, કોસ્પી, તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી ઝડપથી નીચે ગયો છે. કોસ્પી લગભગ 10 ટકા...
Business 
દક્ષિણ કોરિયાના શેરબજારમાં કડાકો, કોસ્પી 9 ટકા ઘટ્યો, ટ્રેડિંગ બંધ કરવાની ફરજ પડી

સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો

પુણેના પ્રખ્યાત લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુની વાર્તા મધ્યપ્રદેશના રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીના મૃત્યુ જેવી...
National 
સિયાએ સોનમની જેમ જ મંગેતર કેતનને પ્રેમી સાથે મળીને પુણેના કિલ્લા પરથી ધક્કો મારી દીધો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.