અખિલેશે જે મહિલાની થાળીમાંથી પૂરી ખાધી તેને તંત્રએ સુરક્ષાની ડ્યૂટીથી હટાવી સફાઈકામમાં લગાવી દીધા

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને આંબેડકર જયંતીના ભંડારામાં પુરીઓ ખવડાવ્યા બાદ ડિમોશનનો સામનો કરી રહેલા ઉમેશ કુમાર નામના કર્મચારીનો મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શુક્રવારે, તેની પુત્રી અંજલિ મેસી, લખનૌમાં સમાજવાદી પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી અને અખિલેશ યાદવને મળી હતી. અંજલિએ કહ્યું કે, ‘સાહેબ, તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે. મારા પિતાએ મને આ જ સંદેશ આપીને તમારી પાસે મોકલી છે. અંજલિની આ વાત સાંભળીને અખિલેશ યાદવે કહ્યું કે તેઓ આ બાબતે અધિકારીઓ સાથે વાત કરશે.

akhilesh yadav
youtube.com

14 એપ્રિલના રોજ, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કર્મચારી ઉમેશ કુમારની પુત્રી અંજલિ મેસીએ અખિલેશ યાદવને પુરીઓ ખવડાવી હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. થોડા સમય બાદ, ઉમેશ કુમારને સુરક્ષા દેખરેખ ફરજમાંથી હટાવીને ફરીથી સફાઈ કામમાં લગાવી દીધા હતા.  ત્યારબાદ પરિવારે આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી હતી.

ઉમેશ કુમારનું કહેવું છે કે ઓક્ટોબર 2023થી તેમને પ્રતિષ્ઠાનોની સુરક્ષા પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ અચાનક તેને હટાવી દેવામાં આવ્યો. તેનો આરોપ છે કે તેમને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે એક સામુદાયિક ભોજન સમારંભમાં અખિલેશ યાદવને પ્રસાદ પીરસ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ સમગ્ર મામલાનું રાજકારણ કરવામાં આવ્યું છે.

તો કેન્ટોનમેન્ટ બોર્ડ વહીવટીતંત્રએ આ આરોપોને નકારી કાઢ્યા છે. મુખ્ય કાર્યકારી અધિકારી અભિષેક રાઠોડે જણાવ્યું હતું કે ઉમેશ કુમાર એક સફાઈ કાર્યકર છે અને આ ફક્ત સામાન્ય વહીવટી ફેરફાર છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ઉમેશ કુમાર વિરુદ્ધ પહેલાથી પહેલાથી જ ઘણી ફરિયાદો પેન્ડિંગ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉમેશ કુમારે આ ઘટના અંગે સંરક્ષણ મંત્રાલય અને અન્ય લશ્કરી અધિકારીઓને સીધા પત્રો લખ્યા હતા, જે સેવા આચાર નિયમોની વિરુદ્ધ માનવામાં આવતા હતા. આને કાર્યવાહીનો આધાર ગણાવવામાં આવી રહ્યો છે.

akhilesh yadav
samajwadiparty.in

અખિલેશ યાદવે આ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે PDA સમુદાયના એક પરિવારને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમણે આંબેડકર જયંતિ પર તેમને ભોજન કરાવ્યું હતું. અખિલેશ યાદવે તેને રાજકીય બદલો ગણાવતા કહ્યું કે ભાજપ હંમેશા PDA વિરોધી રાજકારણ કરતી રહે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સાથે ચા પીનારા લોકોને પહેલા પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

સપાની ઓફિસમાં થયેલી બેઠક બાદ અંજલિ મેસીનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે... આ વાક્ય સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ઘણા લોકો તેને પરિવારની ભાવનાત્મક પ્રતિક્રિયા કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

અખિલેશે જે મહિલાની થાળીમાંથી પૂરી ખાધી તેને તંત્રએ સુરક્ષાની ડ્યૂટીથી હટાવી સફાઈકામમાં લગાવી દીધા

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને આંબેડકર જયંતીના ભંડારામાં પુરીઓ ખવડાવ્યા બાદ ડિમોશનનો સામનો કરી રહેલા ઉમેશ કુમાર નામના કર્મચારીનો મામલો...
National 
અખિલેશે જે મહિલાની થાળીમાંથી પૂરી ખાધી તેને તંત્રએ સુરક્ષાની ડ્યૂટીથી હટાવી સફાઈકામમાં લગાવી દીધા

કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરવા અને યુવતીના નામે 03 લાખ રૂપિયા...
Gujarat 
કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય મેનેજમેન્ટ અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ...
Gujarat 
શેરબજારમાં રોકાણ કરવું છે તો ચેમ્બરનો ‘વેલ્થ એક્ષ્પો 2026’ તમને કામ લાગશે

ભલે ચૂંટાયા નથી લોકો વચ્ચે કામ કરજો નહીં તો વિપક્ષનું નામ ભૂંસાઇ જશે

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભાજપની બંપર જીતે ઘણા બધા લોકોની ચિંતામાં વધારો કરી દીધો છે. કારણકે ભાજપને ચૂંટણીમાં એટલી મોટી...
Gujarat 
ભલે ચૂંટાયા નથી લોકો વચ્ચે કામ કરજો નહીં તો વિપક્ષનું નામ ભૂંસાઇ જશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.