અખિલેશે જે મહિલાની થાળીમાંથી પૂરી ખાધી તેને તંત્રએ સુરક્ષાની ડ્યૂટીથી હટાવી સફાઈકામમાં લગાવી દીધા

સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને આંબેડકર જયંતીના ભંડારામાં પુરીઓ ખવડાવ્યા બાદ ડિમોશનનો સામનો કરી રહેલા ઉમેશ કુમાર નામના કર્મચારીનો મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. શુક્રવારે, તેની પુત્રી અંજલિ મેસી, લખનૌમાં સમાજવાદી પાર્ટી કાર્યાલયની મુલાકાત લીધી અને અખિલેશ યાદવને મળી હતી. અંજલિએ કહ્યું કે, ‘સાહેબ, તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે. મારા પિતાએ મને આ જ સંદેશ આપીને તમારી પાસે મોકલી છે. અંજલિની આ વાત સાંભળીને અખિલેશ યાદવે કહ્યું કે તેઓ આ બાબતે અધિકારીઓ સાથે વાત કરશે.

akhilesh yadav
youtube.com

14 એપ્રિલના રોજ, બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિના અવસર પર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, કર્મચારી ઉમેશ કુમારની પુત્રી અંજલિ મેસીએ અખિલેશ યાદવને પુરીઓ ખવડાવી હતી. આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. થોડા સમય બાદ, ઉમેશ કુમારને સુરક્ષા દેખરેખ ફરજમાંથી હટાવીને ફરીથી સફાઈ કામમાં લગાવી દીધા હતા.  ત્યારબાદ પરિવારે આરોપ લગાવ્યો કે આ કાર્યવાહી જાણી જોઈને કરવામાં આવી હતી.

ઉમેશ કુમારનું કહેવું છે કે ઓક્ટોબર 2023થી તેમને પ્રતિષ્ઠાનોની સુરક્ષા પર નજર રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ વીડિયો વાયરલ થયા બાદ અચાનક તેને હટાવી દેવામાં આવ્યો. તેનો આરોપ છે કે તેમને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યા છે કારણ કે તેમણે એક સામુદાયિક ભોજન સમારંભમાં અખિલેશ યાદવને પ્રસાદ પીરસ્યો હતો. પરિવારનું કહેવું છે કે આ સમગ્ર મામલાનું રાજકારણ કરવામાં આવ્યું છે.

તો કેન્ટોનમેન્ટ બોર્ડ વહીવટીતંત્રએ આ આરોપોને નકારી કાઢ્યા છે. મુખ્ય કાર્યકારી અધિકારી અભિષેક રાઠોડે જણાવ્યું હતું કે ઉમેશ કુમાર એક સફાઈ કાર્યકર છે અને આ ફક્ત સામાન્ય વહીવટી ફેરફાર છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ઉમેશ કુમાર વિરુદ્ધ પહેલાથી પહેલાથી જ ઘણી ફરિયાદો પેન્ડિંગ હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉમેશ કુમારે આ ઘટના અંગે સંરક્ષણ મંત્રાલય અને અન્ય લશ્કરી અધિકારીઓને સીધા પત્રો લખ્યા હતા, જે સેવા આચાર નિયમોની વિરુદ્ધ માનવામાં આવતા હતા. આને કાર્યવાહીનો આધાર ગણાવવામાં આવી રહ્યો છે.

akhilesh yadav
samajwadiparty.in

અખિલેશ યાદવે આ બાબતે ભાજપ સરકાર પર નિશાન સાધ્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે PDA સમુદાયના એક પરિવારને ફક્ત એટલા માટે હેરાન કરવામાં આવી રહ્યો છે કારણ કે તેમણે આંબેડકર જયંતિ પર તેમને ભોજન કરાવ્યું હતું. અખિલેશ યાદવે તેને રાજકીય બદલો ગણાવતા કહ્યું કે ભાજપ હંમેશા PDA વિરોધી રાજકારણ કરતી રહે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમની સાથે ચા પીનારા લોકોને પહેલા પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.

સપાની ઓફિસમાં થયેલી બેઠક બાદ અંજલિ મેસીનું નિવેદન સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું. તમારા માટે આવી 100 નોકરીઓ પણ કુર્બાન છે... આ વાક્ય સૌથી વધુ ચર્ચામાં રહ્યું. ઘણા લોકો તેને પરિવારની ભાવનાત્મક પ્રતિક્રિયા કહી રહ્યા છે, જ્યારે અન્ય લોકો તેને રાજકારણ સાથે જોડી રહ્યા છે.

About The Author

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.