ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે. આ જ કારણસર મુઘલ શાસક ઔરંગઝેબને સોમનાથ મંદિર પ્રત્યે વિશેષ દ્વેષ હતો. ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર, ઔરંગઝેબે સોમનાથ મંદિરને ત્રણ વખત નષ્ટ કરવાના ફરમાન જાહેર કર્યા હતા.

શા માટે સોમનાથ ઔરંગઝેબના નિશાન પર હતું?

ભારતના અનેક મંદિરો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડવામાં આવ્યા, પરંતુ સોમનાથ પ્રત્યે તેની નફરત વિશેષ હતી. કારણ એ હતું કે ભૂતકાળમાં મહમૂદ ગઝનવી સહિત અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડી નાખ્યું હતું, છતાં દરેક વખતમાં સોમનાથ ફરીથી ઊભું થઈ જતું હતું. આ અડગ પુનર્નિર્માણ ઔરંગઝેબ માટે અસહ્ય હતું.

01

ત્રણ વખત ફરમાન: 

1669 ઈ.માં, ઔરંગઝેબે પ્રથમ વખત સોમનાથ મંદિર તોડવાનો ફરમાન જાહેર કર્યો. જોકે આ આદેશ સંપૂર્ણ રીતે અમલમાં ન આવ્યો અથવા થોડા સમય બાદ મંદિરમાં ફરી પૂજા શરૂ થઈ ગઈ. આથી અસંતોષ અનુભવીને ઔરંગઝેબે 1701 ઈ.માં બીજો, વધુ કડક આદેશ આપ્યો.
 આ આદેશ હેઠળ ગુજરાતના 39મા સુબેદાર શહઝાદા મોહમ્મદ આઝમને જવાબદારી સોંપવામાં આવી. આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે મંદિરનેમરામતની કોઈ સંભાવના ન રહે તે રીતેનષ્ટ કરવું. તેમ છતાં મંદિરનો અમુક ભાગ અડીખમ ઊભો રહ્યો. અંતે 1706 ઈ.માં, પોતાના અવસાનથી થોડા સમય પહેલાં, ઔરંગઝેબે અંતિમ ફરમાન જાહેર કર્યો, જેમાં મંદિરને સંપૂર્ણ રીતે તોડી તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો હુકમ હતો.

03

મંદિરથી મસ્જિદ: કેવી રીતે બદલાઈ રચના

આ આદેશો બાદ મંદિરની મૂળ ઓળખ નષ્ટ કરવા માટે વિશાળ રચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા:

 મંદિરના ગુઢ મંડપ અને ગર્ભગૃહ ઉપર બે મોટા ગુંબજ બનાવવામાં આવ્યા.
મૂળ ચાલુક્ય યુગના સ્તંભોને કાપછાંટ કરીને પથ્થરની મેહરાબોમાં ફેરવવામાં આવ્યા.
 ગુંબજનો ભાર સહન કરવા માટે ગર્ભગૃહની પશ્ચિમ બાહ્ય દિવાલ બંધ કરી દેવામાં આવી.
મંદિરનો મહત્વનો ધાર્મિક ભાગ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.
આ માર્ગના પથ્થરો નજીક આવેલા પાર્વતી મંદિરના ચબૂતરા પર ઢગલા તરીકે નાખવામાં આવ્યા.
1706 ઈ.માં સફેદ પથ્થરની નવી ફરસ બિછાવવામાં આવી, જેથી મૂળ હિંદુ સ્થાપત્ય, ગર્ભગૃહની ડેહરી અને ધાર્મિક ચિહ્નો છુપાઈ જાય. આ તમામ ફેરફારોનો હેતુ માત્ર ઈમારતનો ઉપયોગ બદલવાનો નહોતો, પરંતુ મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો હતો.

04

ઉપેક્ષા, ખંડેર અને ખજાનાની લ્હાય

1707 ઈ.માં ઔરંગઝેબના અવસાન બાદ આ ઈમારત થોડાં વર્ષો સુધી જ મસ્જિદ તરીકે ઉપયોગમાં રહી. ત્યારબાદ સ્થળ ઉપેક્ષિત બની ગયું.છુપાયેલો ખજાનોશોધવાની લ્હાયમાં વારંવાર ખોદકામ કરવામાં આવ્યું, જેના કારણે માળખું વધુ નુકસાન પામ્યું અને સમય જતાં આ સ્થળ સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગયું.

પુનર્જન્મ: સરદાર પટેલ અને આધુનિક સોમનાથ

સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું. આજે ઊભેલું ભવ્ય સોમનાથ મંદિર વિનાશ પછી પણ સંસ્કૃતિ ફરી ઊભી થવાની ભારતીય પરંપરાનું જીવંત પ્રતીક છે.

 

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.