ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે. આ જ કારણસર મુઘલ શાસક ઔરંગઝેબને સોમનાથ મંદિર પ્રત્યે વિશેષ દ્વેષ હતો. ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર, ઔરંગઝેબે સોમનાથ મંદિરને ત્રણ વખત નષ્ટ કરવાના ફરમાન જાહેર કર્યા હતા.

શા માટે સોમનાથ ઔરંગઝેબના નિશાન પર હતું?

ભારતના અનેક મંદિરો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડવામાં આવ્યા, પરંતુ સોમનાથ પ્રત્યે તેની નફરત વિશેષ હતી. કારણ એ હતું કે ભૂતકાળમાં મહમૂદ ગઝનવી સહિત અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડી નાખ્યું હતું, છતાં દરેક વખતમાં સોમનાથ ફરીથી ઊભું થઈ જતું હતું. આ અડગ પુનર્નિર્માણ ઔરંગઝેબ માટે અસહ્ય હતું.

01

ત્રણ વખત ફરમાન: 

1669 ઈ.માં, ઔરંગઝેબે પ્રથમ વખત સોમનાથ મંદિર તોડવાનો ફરમાન જાહેર કર્યો. જોકે આ આદેશ સંપૂર્ણ રીતે અમલમાં ન આવ્યો અથવા થોડા સમય બાદ મંદિરમાં ફરી પૂજા શરૂ થઈ ગઈ. આથી અસંતોષ અનુભવીને ઔરંગઝેબે 1701 ઈ.માં બીજો, વધુ કડક આદેશ આપ્યો.
 આ આદેશ હેઠળ ગુજરાતના 39મા સુબેદાર શહઝાદા મોહમ્મદ આઝમને જવાબદારી સોંપવામાં આવી. આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે મંદિરનેમરામતની કોઈ સંભાવના ન રહે તે રીતેનષ્ટ કરવું. તેમ છતાં મંદિરનો અમુક ભાગ અડીખમ ઊભો રહ્યો. અંતે 1706 ઈ.માં, પોતાના અવસાનથી થોડા સમય પહેલાં, ઔરંગઝેબે અંતિમ ફરમાન જાહેર કર્યો, જેમાં મંદિરને સંપૂર્ણ રીતે તોડી તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો હુકમ હતો.

03

મંદિરથી મસ્જિદ: કેવી રીતે બદલાઈ રચના

આ આદેશો બાદ મંદિરની મૂળ ઓળખ નષ્ટ કરવા માટે વિશાળ રચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા:

 મંદિરના ગુઢ મંડપ અને ગર્ભગૃહ ઉપર બે મોટા ગુંબજ બનાવવામાં આવ્યા.
મૂળ ચાલુક્ય યુગના સ્તંભોને કાપછાંટ કરીને પથ્થરની મેહરાબોમાં ફેરવવામાં આવ્યા.
 ગુંબજનો ભાર સહન કરવા માટે ગર્ભગૃહની પશ્ચિમ બાહ્ય દિવાલ બંધ કરી દેવામાં આવી.
મંદિરનો મહત્વનો ધાર્મિક ભાગ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.
આ માર્ગના પથ્થરો નજીક આવેલા પાર્વતી મંદિરના ચબૂતરા પર ઢગલા તરીકે નાખવામાં આવ્યા.
1706 ઈ.માં સફેદ પથ્થરની નવી ફરસ બિછાવવામાં આવી, જેથી મૂળ હિંદુ સ્થાપત્ય, ગર્ભગૃહની ડેહરી અને ધાર્મિક ચિહ્નો છુપાઈ જાય. આ તમામ ફેરફારોનો હેતુ માત્ર ઈમારતનો ઉપયોગ બદલવાનો નહોતો, પરંતુ મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો હતો.

04

ઉપેક્ષા, ખંડેર અને ખજાનાની લ્હાય

1707 ઈ.માં ઔરંગઝેબના અવસાન બાદ આ ઈમારત થોડાં વર્ષો સુધી જ મસ્જિદ તરીકે ઉપયોગમાં રહી. ત્યારબાદ સ્થળ ઉપેક્ષિત બની ગયું.છુપાયેલો ખજાનોશોધવાની લ્હાયમાં વારંવાર ખોદકામ કરવામાં આવ્યું, જેના કારણે માળખું વધુ નુકસાન પામ્યું અને સમય જતાં આ સ્થળ સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગયું.

પુનર્જન્મ: સરદાર પટેલ અને આધુનિક સોમનાથ

સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું. આજે ઊભેલું ભવ્ય સોમનાથ મંદિર વિનાશ પછી પણ સંસ્કૃતિ ફરી ઊભી થવાની ભારતીય પરંપરાનું જીવંત પ્રતીક છે.

 

About The Author

Related Posts

Top News

શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

દેશની સૌથી પ્રતિષ્ઠિત કાયદા સંસ્થાઓમાંની એક, હૈદરાબાદની NALSAR યુનિવર્સિટી ઓફ લોના વિદ્યાર્થીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ખુબ મોટી રાહત મળી...
Education 
શું છે NALSAR વિવાદ જેને લીધે બાર કાઉન્સિલ પર ભડક્યા CJI, કહ્યું- આ મારા અને વિદ્યાર્થીઓ વચ્ચેની વાત છે તમે...

જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ...
National 
જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

જ્યારે માતા-પિતા પોતાના પુત્રને પરણાવે ત્યારે એવી અપેક્ષા હોય કે વૃદ્ધાવસ્થામાં, જ્યારે હાથ-પગ કામ કરતાં બંધ થઈ જાય ત્યારે...
Gujarat 
‘મિલકતમાં અમારો ભાગ આપી દો, નહીંતર પતાવી દઇશું’, દાદા-દાદીની સંપત્તિ હડપવા પૂત્રવધૂ-પૌત્રીઓએ હદ વટાવી

ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

દેશમાં ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાની કેન્દ્ર સરકારની જાહેર ખાતરીના થોડા સમય બાદ, ભારતના મુખ્ય ઓટોમોબાઈલ સંગઠને બળતણમાં મિશ્રણ...
Tech and Auto 
ઓટો ઉત્પાદકોના સંગઠન સમક્ષ મારૂતિ, ટાટા અને મહિન્દ્રાએ E20 પેટ્રોલમાં ખામીઓ અંગે ચિંતા વ્યક્ત કરી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.