ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે. આ જ કારણસર મુઘલ શાસક ઔરંગઝેબને સોમનાથ મંદિર પ્રત્યે વિશેષ દ્વેષ હતો. ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર, ઔરંગઝેબે સોમનાથ મંદિરને ત્રણ વખત નષ્ટ કરવાના ફરમાન જાહેર કર્યા હતા.

શા માટે સોમનાથ ઔરંગઝેબના નિશાન પર હતું?

ભારતના અનેક મંદિરો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડવામાં આવ્યા, પરંતુ સોમનાથ પ્રત્યે તેની નફરત વિશેષ હતી. કારણ એ હતું કે ભૂતકાળમાં મહમૂદ ગઝનવી સહિત અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડી નાખ્યું હતું, છતાં દરેક વખતમાં સોમનાથ ફરીથી ઊભું થઈ જતું હતું. આ અડગ પુનર્નિર્માણ ઔરંગઝેબ માટે અસહ્ય હતું.

01

ત્રણ વખત ફરમાન: 

1669 ઈ.માં, ઔરંગઝેબે પ્રથમ વખત સોમનાથ મંદિર તોડવાનો ફરમાન જાહેર કર્યો. જોકે આ આદેશ સંપૂર્ણ રીતે અમલમાં ન આવ્યો અથવા થોડા સમય બાદ મંદિરમાં ફરી પૂજા શરૂ થઈ ગઈ. આથી અસંતોષ અનુભવીને ઔરંગઝેબે 1701 ઈ.માં બીજો, વધુ કડક આદેશ આપ્યો.
 આ આદેશ હેઠળ ગુજરાતના 39મા સુબેદાર શહઝાદા મોહમ્મદ આઝમને જવાબદારી સોંપવામાં આવી. આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે મંદિરનેમરામતની કોઈ સંભાવના ન રહે તે રીતેનષ્ટ કરવું. તેમ છતાં મંદિરનો અમુક ભાગ અડીખમ ઊભો રહ્યો. અંતે 1706 ઈ.માં, પોતાના અવસાનથી થોડા સમય પહેલાં, ઔરંગઝેબે અંતિમ ફરમાન જાહેર કર્યો, જેમાં મંદિરને સંપૂર્ણ રીતે તોડી તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો હુકમ હતો.

03

મંદિરથી મસ્જિદ: કેવી રીતે બદલાઈ રચના

આ આદેશો બાદ મંદિરની મૂળ ઓળખ નષ્ટ કરવા માટે વિશાળ રચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા:

 મંદિરના ગુઢ મંડપ અને ગર્ભગૃહ ઉપર બે મોટા ગુંબજ બનાવવામાં આવ્યા.
મૂળ ચાલુક્ય યુગના સ્તંભોને કાપછાંટ કરીને પથ્થરની મેહરાબોમાં ફેરવવામાં આવ્યા.
 ગુંબજનો ભાર સહન કરવા માટે ગર્ભગૃહની પશ્ચિમ બાહ્ય દિવાલ બંધ કરી દેવામાં આવી.
મંદિરનો મહત્વનો ધાર્મિક ભાગ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.
આ માર્ગના પથ્થરો નજીક આવેલા પાર્વતી મંદિરના ચબૂતરા પર ઢગલા તરીકે નાખવામાં આવ્યા.
1706 ઈ.માં સફેદ પથ્થરની નવી ફરસ બિછાવવામાં આવી, જેથી મૂળ હિંદુ સ્થાપત્ય, ગર્ભગૃહની ડેહરી અને ધાર્મિક ચિહ્નો છુપાઈ જાય. આ તમામ ફેરફારોનો હેતુ માત્ર ઈમારતનો ઉપયોગ બદલવાનો નહોતો, પરંતુ મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો હતો.

04

ઉપેક્ષા, ખંડેર અને ખજાનાની લ્હાય

1707 ઈ.માં ઔરંગઝેબના અવસાન બાદ આ ઈમારત થોડાં વર્ષો સુધી જ મસ્જિદ તરીકે ઉપયોગમાં રહી. ત્યારબાદ સ્થળ ઉપેક્ષિત બની ગયું.છુપાયેલો ખજાનોશોધવાની લ્હાયમાં વારંવાર ખોદકામ કરવામાં આવ્યું, જેના કારણે માળખું વધુ નુકસાન પામ્યું અને સમય જતાં આ સ્થળ સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગયું.

પુનર્જન્મ: સરદાર પટેલ અને આધુનિક સોમનાથ

સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું. આજે ઊભેલું ભવ્ય સોમનાથ મંદિર વિનાશ પછી પણ સંસ્કૃતિ ફરી ઊભી થવાની ભારતીય પરંપરાનું જીવંત પ્રતીક છે.

 

About The Author

Top News

MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

JSW-MGએ તેની નવી કાર લોન્ચ કરી છે. કંપનીએ ભારતીય બજારમાં MG Hector Tomahawk EV લોન્ચ કરી છે. આ કાર...
Tech and Auto 
MGએ 7-સીટર SUV Hector Tomahawk લોન્ચ કરી; જાણી લો કિંમત અને ફીચર્સ

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.