હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી એક સપ્તાહ સુધી અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે.

weather
abplive.com

મુખ્ય આગાહી અને તેની અસરો:

14 માર્ચથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં સક્રિય થશે, જેની અસર ઉત્તર અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં જોવા મળશે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 7 દિવસ સુધી વરસાદ અને બરફવર્ષા ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશમાં 12 માર્ચ સુધી કરા પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં 14 થી 16 માર્ચ દરમિયાન 30 થી 50 કિમીની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે.

weather
istockphoto.com

રાજ્યવાર હવામાનની સ્થિતિ:

આગામી 7 દિવસ પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવો વરસાદ અને વીજળીના કડાકા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં 13 થી 15 માર્ચ દરમિયાન છૂટો છવાયો વરસાદ,ઓડિશા, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.ગુજરાત રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.

ખેડૂતો અને પ્રવાસીઓ માટે સૂચના:

હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં જતા પ્રવાસીઓને સાવચેત રહેવા અને ખેડૂતોને તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડવાની સલાહ આપી છે, કારણ કે કરા પડવાથી પાકને નુકસાન થઈ શકે છે.

About The Author

Related Posts

Top News

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.