સફાઇ કામદાર પતિના આરોપો પર ક્લાસ વન ઓફિસર પત્નીના પિતાએ કર્યો મોટો ખુલાસો

ઉત્તર પ્રદેશના બરેલીના SDM જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના લગ્નનો વિવાદ આખા દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ મૌર્ય પર તેના પતિ આલોકે સંબંધોમાં બેવફાઇ કરવાનો આરોપ લગાવ્યો છે. આલોક મૌર્યનું કહેવું છે કે, તેણે જ્યોતિના PCS બનવામાં પૂરો સહયોગ કર્યો હતો. તેમના અભ્યાસથી લઈને ઘરના કામકાજ સુધી, દરેક વસ્તુમાં તેમનું સમર્થન કર્યું, પરંતુ જ્યારે તેઓ PCS ક્વાલિફાઈ કરીને SDM બની ગયા તો તેમણે તેની સાથે બેવફાઇ કરી દીધી.

આલોક મૌર્યનો આરોપ છે કે, જ્યોતિનું કોઈ બીજા અધિકારી સાથે અફેર ચાલી રહ્યું છે અને જ્યારે તેમને રંગે હાથ પકડી લીધી તો તેની વિરુદ્ધ કરિયાવર અત્યાચારની ફરિયાદ નોંધાવી દેવામાં આવી. સાથે જ SDM જ્યોતિ મૌર્યએ તેની સાથે સંબંધો તોડી લીધા. આલોક મૌર્યના આ આરોપો બાદ SDM જ્યોતિ મૌર્યના પિતા પારસનાથ મૌર્યનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ બાબતે ખુલાસો કરતા આલોક મૌર્ય પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. પારસનાથ મૌર્યએ એક ટી.વી. ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યોતિના લગ્ન દરમિયાન આલોકના પરિવાર તરફથી જે જાણકારી આપવામાં આવી હતી, તેમાં આલોક મૌર્ય ગ્રામ પંચાયત અધિકારી હોવાનું જણાવ્યું હતું.

લગ્નના કાર્ડમાં પણ વર પક્ષ તરફથી VDO છપાવવામાં આવ્યું હતું, પરંતુ આજે તે આખા દેશ સામે કહી રહ્યો છે કે તે ફોર્થ ક્લાસ કર્મચારી એટલે કે સફાઇ કર્મચારી છે. આ લોકોએ અમને ખોટું કહ્યું. લગ્ન દરમિયાન કરવામાં આવેલી બધી વાતો ખોટી હતી. આલોક મૌર્ય ક્યારેય અધિકારી નહોતો. પારસનાથ મૌર્યએ જણાવ્યું કે, આલોકના પરિવારે ખોટું બોલીને અમારી સાથે સંબંધો જોડ્યા હતા. પારસનાથ મૌર્યને જ્યારે પૂછવામાં આવ્યું કે, આલોક સફાઇ કર્મચારી છે આ કારણે સંબંધ તોડવામાં આવી રહ્યા છે? તો તેમણે કહ્યું કે, જ્યારે લગ્ન જ અસત્યની બુનિયાદ પર કરવામાં આવ્યા તો શું એવા વ્યક્તિ સાથે સંબંધ નિભાવી શકાય છે?

હાલમાં જ SDM જ્યોતિ મૌર્યનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં જ્યોતિ પોતાના પતિ આલોક સાથે ગાળાગાળી કરતા નજરે પડી રહ્યા છે. વાયરલ વીડિયોમાં IAS અધિકારી ખૂબ આક્રમક નજરે પડી રહી છે, જ્યારે વીડિયોમાં બંને વાતચીત કરી રહ્યા હોય છે તો એ દરમિયાન જ SDM તેના પતિના માતા-પિતા વિરુદ્ધ અપશબ્દોનો પ્રયોગ કરે છે. જ્યારે આલોક શાંતિથી જવાબ આપતો નજરે પડે છે. વાયરલ વીડિયોમાં SDM કહે છે કે તારા માતા-પિતા સફાઇકર્મી છે, કોઈ કામના નથી, મારો એક જમીંદાર પરિવાર છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.