બિહારમાં પોલીસનો લાઠી ચાર્જ, BJP નેતાનું મોત, રેલી કાઢી હતી, જુઓ વીડિયો

બિહારમાં શિક્ષકોની નિમણૂકને લઈને ભાજપે સરકાર સામે વિધાનસભાથી લઈને રસ્તા સુધી મોરચો ખોલ્યો છે. ભાજપના ધારાસભ્યોએ પહેલા  ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બાદમાં ગાંધી પ્રતિમા પાસેથી પદયાત્રા કાઢવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે પટના પોલીસે વોટર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ભાજપના એક  નેતાનું મોત થયું છે. આ ઘટના પછી બિહારના રાજકારણમાં હંગામો મચી ગયો છે.

બિહાર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યા પછી એક રેલી કાઢી હતી, જમાં ભાજપ નેતાઓ પર પોલીસે ડંડા વાળી કરી હતી. ભાજપ નેતાઓનું કહેવું છે કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં  જહાનાબાદ નગરના ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થઇ ગયું હતું.

પોલીસે કરેલા લાઠીચાર્જમાં વિજય કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઇ ગયું હતું. ભાજપ નેતાના મોત થી બિહારના રાજકારણમાં ભડકો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન સાધ્યું છે. જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને  બોખલાહટનું પરિણામ છે. ભ્રષ્ટાચારના કિલ્લાને બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકશાહી પર પ્રહાર કરી રહી છે, જેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી  તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેને કારણે વિજય કુમાર પડી ગયા હતા, તેમની તબિયત લથડી ગઇ હતી, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા નથી.

આ પહેલાં ગુરુવારે બિહાર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. શિક્ષકોની નિમણુંકનો  મુદ્દો ઉઠાવવાને કારણે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. ભાજપના ધારાસભ્યો વેલમાં પહોંચીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી માર્શલોએ ભાજપના બે ધારાસભ્યોનો ટીંગાટોળી કરીને સદનની બહાર પહોંચાડી દીધા હતા. એ પછી ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ રેલી કાઢી હતી, જેની પર બિહાર પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

આ પહેલાં બુધવારે પણ બિહાર વિધાનસભામાં  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના રાજીનામાની માંગ સાથે ભાજપે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળી હતી.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.