બિહારમાં પોલીસનો લાઠી ચાર્જ, BJP નેતાનું મોત, રેલી કાઢી હતી, જુઓ વીડિયો

બિહારમાં શિક્ષકોની નિમણૂકને લઈને ભાજપે સરકાર સામે વિધાનસભાથી લઈને રસ્તા સુધી મોરચો ખોલ્યો છે. ભાજપના ધારાસભ્યોએ પહેલા  ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બાદમાં ગાંધી પ્રતિમા પાસેથી પદયાત્રા કાઢવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે પટના પોલીસે વોટર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ભાજપના એક  નેતાનું મોત થયું છે. આ ઘટના પછી બિહારના રાજકારણમાં હંગામો મચી ગયો છે.

બિહાર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યા પછી એક રેલી કાઢી હતી, જમાં ભાજપ નેતાઓ પર પોલીસે ડંડા વાળી કરી હતી. ભાજપ નેતાઓનું કહેવું છે કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં  જહાનાબાદ નગરના ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થઇ ગયું હતું.

પોલીસે કરેલા લાઠીચાર્જમાં વિજય કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઇ ગયું હતું. ભાજપ નેતાના મોત થી બિહારના રાજકારણમાં ભડકો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન સાધ્યું છે. જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને  બોખલાહટનું પરિણામ છે. ભ્રષ્ટાચારના કિલ્લાને બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકશાહી પર પ્રહાર કરી રહી છે, જેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી  તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેને કારણે વિજય કુમાર પડી ગયા હતા, તેમની તબિયત લથડી ગઇ હતી, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા નથી.

આ પહેલાં ગુરુવારે બિહાર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. શિક્ષકોની નિમણુંકનો  મુદ્દો ઉઠાવવાને કારણે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. ભાજપના ધારાસભ્યો વેલમાં પહોંચીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી માર્શલોએ ભાજપના બે ધારાસભ્યોનો ટીંગાટોળી કરીને સદનની બહાર પહોંચાડી દીધા હતા. એ પછી ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ રેલી કાઢી હતી, જેની પર બિહાર પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

આ પહેલાં બુધવારે પણ બિહાર વિધાનસભામાં  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના રાજીનામાની માંગ સાથે ભાજપે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળી હતી.

Related Posts

Top News

જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

દેશની વસ્તી ગણતરી અને જાતિગત ગણતરીની લાંબા સમયથી પડતર પ્રક્રિયા હવે પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 1 માર્ચ, 2027...
Governance 
જાતિગત વસતી ગણતરી ક્યારે થશે? સરકારે જાહેર કરી દીધી તારીખ

USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
World 
USમાં ચીની મહિલા વૈજ્ઞાનિક પાસેથી મળી ખતરનાક ફૂગ ભરેલી પ્લાસ્ટિકની થેલી

જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
Gujarat 
  જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?

વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો

સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
National 
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.