બિહારમાં પોલીસનો લાઠી ચાર્જ, BJP નેતાનું મોત, રેલી કાઢી હતી, જુઓ વીડિયો

બિહારમાં શિક્ષકોની નિમણૂકને લઈને ભાજપે સરકાર સામે વિધાનસભાથી લઈને રસ્તા સુધી મોરચો ખોલ્યો છે. ભાજપના ધારાસભ્યોએ પહેલા  ગૃહમાં હંગામો મચાવ્યો હતો અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બાદમાં ગાંધી પ્રતિમા પાસેથી પદયાત્રા કાઢવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે પટના પોલીસે વોટર ટીયર ગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો, જેમાં ભાજપના એક  નેતાનું મોત થયું છે. આ ઘટના પછી બિહારના રાજકારણમાં હંગામો મચી ગયો છે.

બિહાર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોએ હંગામો મચાવ્યા પછી એક રેલી કાઢી હતી, જમાં ભાજપ નેતાઓ પર પોલીસે ડંડા વાળી કરી હતી. ભાજપ નેતાઓનું કહેવું છે કે પટનાના ડાકબંગલા ચાર રસ્તા પર પોલીસ બળ પ્રયોગ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં  જહાનાબાદ નગરના ભાજપના મહામંત્રી વિજય કુમાર સિંહનું મોત થઇ ગયું હતું.

પોલીસે કરેલા લાઠીચાર્જમાં વિજય કુમાર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામા આવ્યા હતા, પરંતુ તેમનું મોત થઇ ગયું હતું. ભાજપ નેતાના મોત થી બિહારના રાજકારણમાં ભડકો થયો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે નિશાન સાધ્યું છે. જે પી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું કે, પટનામાં ભાજપના કાર્યકરો પર લાઠીચાર્જ રાજ્ય સરકારની નિષ્ફળતા અને  બોખલાહટનું પરિણામ છે. ભ્રષ્ટાચારના કિલ્લાને બચાવવા માટે મહાગઠબંધન સરકાર લોકશાહી પર પ્રહાર કરી રહી છે, જેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તેને બચાવવા માટે બિહારના મુખ્યમંત્રી  તેમની નૈતિકતા પણ ભૂલી ગયા છે.

બિહારના ભાજપ નેતા સુશીલ મોદીએ કહ્યું કે, પોલીસે લાઠીચાર્જ કર્યો, જેને કારણે વિજય કુમાર પડી ગયા હતા, તેમની તબિયત લથડી ગઇ હતી, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા, પરંતુ બચાવી શકાયા નથી.

આ પહેલાં ગુરુવારે બિહાર વિધાનસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો હતો. શિક્ષકોની નિમણુંકનો  મુદ્દો ઉઠાવવાને કારણે સત્તા પક્ષ અને વિપક્ષ સામ સામે આવી ગયા હતા. ભાજપના ધારાસભ્યો વેલમાં પહોંચીને સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો, જે પછી માર્શલોએ ભાજપના બે ધારાસભ્યોનો ટીંગાટોળી કરીને સદનની બહાર પહોંચાડી દીધા હતા. એ પછી ભાજપના ધારાસભ્યો અને નેતાઓએ રેલી કાઢી હતી, જેની પર બિહાર પોલીસે લાઠીચાર્જ કરી દીધો હતો.

આ પહેલાં બુધવારે પણ બિહાર વિધાનસભામાં  બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના રાજીનામાની માંગ સાથે ભાજપે વિધાનસભામાં ખુરશીઓ ઉછાળી હતી.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.