- National
- ‘90 હજાર સૈનિકોની પેન્ટ આજે પણ લટકે છે’, જનરલ મુનીરને બલૂચ નેતાનો જડબાતોડ જવાબ
‘90 હજાર સૈનિકોની પેન્ટ આજે પણ લટકે છે’, જનરલ મુનીરને બલૂચ નેતાનો જડબાતોડ જવાબ

‘જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનની અંદર પણ રાજકીય તાપમાન વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઇસ્લામાબાદમાં પ્રવાસી પાકિસ્તાનીઓના એક કાર્યક્રમમાં બોલતા, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે બલૂચ અલગાવવાદીઓને ધમકી આપતા કહ્યું કે, ‘બલૂચિસ્તાન પાકિસ્તાનના કપાળ પરનું રત્ન છે, જેને આગામી 10 પેઢીઓ પણ અલગ નહીં કરી શકે.’ પરંતુ બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે આ નિવેદનનો જોરદાર અને તીખો જવાબ આપ્યો છે.

મેંગલે કહ્યું કે, ‘પાકિસ્તાની સેનાએ 1971ની શરમજનક હાર અને 90,000 સૈનિકોના આત્મસમર્પણને ક્યારેય ભૂલવું ન જોઈએ. માત્ર તેમના હથિયાર નહીં, તેમના પેન્ટ પણ હજી સુધી ત્યાં લટકે છે. સેના બલૂચોને 10 પેઢીઓ સુધી સજા આપવાની વાત કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાની સેનાની કેટલી પેઢીઓ બંગાળીઓના હાથે થયેલી એ ઐતિહાસિક હાર યાદ રાખે છે? બલૂચ લોકો છેલ્લા 75 વર્ષથી પાકિસ્તાની સેના અને સરકારના અત્યાચારોનો ભોગ બની રહ્યા છે. આપણે એવા લોકો છીએ જે તમારા દરેક ગુનાને યાદ રાખીએ છે, અને અમે તમારી ધમકીઓથી ડરવાના નથી.’
https://twitter.com/YusufDFI/status/1919058860897444090
અખ્તર મેંગલની આ પ્રતિક્રિયા માત્ર એક રાજકીય ટિપ્પણી નહીં, પરંતુ પાકિસ્તાનમાં આંતરિક વિભાજનના અને સેનાના દમનકારી વલણના સ્તરને પણ ઉજાગર કરે છે. ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન પર આંગળીઓ ઉઠી રહી છે, ત્યારે બલૂચ નેતાની આ ચેતવણી પાકિસ્તાની સત્તા માટે એક ગંભીર પડકાર બનીને ઉભરી છે.
Related Posts
Top News
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Opinion
-copy.jpg)