‘90 હજાર સૈનિકોની પેન્ટ આજે પણ લટકે છે’, જનરલ મુનીરને બલૂચ નેતાનો જડબાતોડ જવાબ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનની અંદર પણ રાજકીય તાપમાન વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ઇસ્લામાબાદમાં પ્રવાસી પાકિસ્તાનીઓના એક કાર્યક્રમમાં બોલતા, પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે બલૂચ અલગાવવાદીઓને ધમકી આપતા કહ્યું કે, બલૂચિસ્તાન પાકિસ્તાનના કપાળ પરનું રત્ન છે, જેને આગામી 10 પેઢીઓ પણ અલગ નહીં કરી શકે. પરંતુ બલૂચિસ્તાન નેશનલ પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખ્તર મેંગલે આ નિવેદનનો જોરદાર અને તીખો જવાબ આપ્યો છે.

Akhtar-Mangal2
ANI

 

મેંગલે કહ્યું કે, પાકિસ્તાની સેનાએ 1971ની શરમજનક હાર અને 90,000 સૈનિકોના આત્મસમર્પણને ક્યારેય ભૂલવું ન જોઈએ. માત્ર તેમના હથિયાર નહીં, તેમના પેન્ટ પણ હજી સુધી ત્યાં લટકે છે. સેના બલૂચોને 10 પેઢીઓ સુધી સજા આપવાની વાત કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે પાકિસ્તાની સેનાની કેટલી પેઢીઓ બંગાળીઓના હાથે થયેલી એ ઐતિહાસિક હાર યાદ રાખે છે? બલૂચ લોકો છેલ્લા 75 વર્ષથી પાકિસ્તાની સેના અને સરકારના અત્યાચારોનો ભોગ બની રહ્યા છે. આપણે એવા લોકો છીએ જે તમારા દરેક ગુનાને યાદ રાખીએ છે, અને અમે તમારી ધમકીઓથી ડરવાના નથી.

અખ્તર મેંગલની આ પ્રતિક્રિયા માત્ર એક રાજકીય ટિપ્પણી નહીં, પરંતુ પાકિસ્તાનમાં આંતરિક વિભાજનના અને સેનાના દમનકારી વલણના સ્તરને પણ ઉજાગર કરે છે. ભારતમાં આતંકવાદી હુમલાઓ માટે પાકિસ્તાન પર આંગળીઓ ઉઠી રહી છે, ત્યારે બલૂચ નેતાની આ ચેતવણી પાકિસ્તાની સત્તા માટે એક ગંભીર પડકાર બનીને ઉભરી છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.