BJP સામે મોટું સંકટ! હજુ પ્રમુખ નક્કી નથી થયા, ત્યાં તો ઉપરાષ્ટ્રપતિએ રાજીનામું આપી દીધું; શું કોઈ મોટી 'ગેમ' થવા જઈ રહી છે?

BJP હજુ સુધી પોતાના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી કરી શક્યું નથી, આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે અચાનક સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપી દીધું. તેમના રાજીનામા સાથે, આ અટકળોને જોર મળ્યું છે કે આગામી દિવસોમાં સંગઠન અને સરકારમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે. અગાઉ, મીડિયામાં સૂત્રો તરફથી સમાચાર આવી રહ્યા હતા કે, નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની સાથે, BJP સંગઠનમાંથી કેટલાક નવા ચહેરાઓને સરકારમાં મોકલી શકે છે અને કેટલાક મોટા ચહેરાઓને મંત્રીમંડળને બદલે સંગઠનમાં મોકલી શકાય છે. એટલે કે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, મોદી મંત્રીમંડળમાં ફેરબદલ થઈ શકે છે. આ દરમિયાન, ઉપરાષ્ટ્રપતિના રાજીનામાથી રાજકીય અટકળોમાં વધારો થયો છે.

BJP
livehindustan.com

એ સ્પષ્ટ છે કે ધનખડના રાજીનામા સાથે, BJPએ હવે નવા ઉપરાષ્ટ્રપતિની શોધ કરવી પડશે. આ માટે, એવી વ્યક્તિની પસંદગી કરવી પડશે જે બંધારણીય જવાબદારીઓ સંભાળવાની ક્ષમતા ધરાવતા હોય. નિષ્ણાતો કહે છે કે, જગદીપ ધનખડના રાજીનામા સાથે, ભારતના નવા ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરવાની બંધારણીય પ્રક્રિયા હવે શરૂ થશે. નિષ્ણાતો કહે છે કે, ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના અધ્યક્ષ પણ હોય છે, તેથી આ પદ લાંબા સમય સુધી ખાલી રહી શકે નહીં.

BJP1
lokmatnews.in

રાજકીય નિરીક્ષકોના મતે, સંસદના ઉપલા ગૃહની કામગીરીમાં સાતત્ય સુનિશ્ચિત કરવા માટે બંધારણ દ્વારા ફરજિયાત કરાયેલા ધનખડના અનુગામીની પસંદગી ટૂંક સમયમાં થવાની પ્રબળ શક્યતા છે.

BJP3
tv9hindi.com

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જરૂરી શરત એ છે કે, સૌથી પહેલા ઓછામાં ઓછા અડધા રાજ્યોના પ્રદેશ વડાઓની પસંદગી કરવામાં આવે. BJPએ તેના પક્ષના બંધારણ અનુસાર આ કાર્ય પૂર્ણ કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ 15 ઓગસ્ટ પછી ગમે ત્યારે જાહેર કરી શકાય છે. વર્તમાન કાર્યકારી પ્રમુખ JP નડ્ડાનો કાર્યકાળ 2023માં જ પૂર્ણ થયો હતો, પરંતુ 2024ની લોકસભા ચૂંટણી અને ત્યારપછીની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, તેમનો સમય વધારી આપવામાં આવ્યો હતો. BJP હવે એક નવા રાષ્ટ્રીય અધ્યક્ષની શોધમાં છે જે 2029ની લોકસભા ચૂંટણીની દિશા નક્કી કરવામાં મદદરૂપ થશે. આની સાથે સાથે, સરકાર PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકારની સિદ્ધિઓને પણ જનતા સુધી પહોંચાડી શકે છે.

About The Author

Related Posts

Top News

'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

વંદે માતરમના 150 વર્ષ પૂરા થવાના પ્રસંગે સંસદભવનમાં ચર્ચા થઈ રહી છે, ત્યારે સૌ કોઈ તેમના ઈતિહાસ વિશે જાણવા ઈચ્છતા...
National 
'જન ગન મન'ને રાષ્ટ્રગાન અને 'વન્દે માતરમ્'ને રાષ્ટ્રગીતનો દરજ્જો કંઈ રીતે અપાયો

સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

કાનપુરના રૂ. 1,500 કરોડના કાનપુર છેતરપિંડીના કેસમાં અભિનેતા સોનુ સૂદ અને કુસ્તીબાજ ધ ગ્રેટ ખલીનું નામ માસ્ટરમાઇન્ડ રવિન્દ્રનાથ સોનીના છેતરપિંડીના...
National 
સોનુ સૂદ અને ખલીને કાનપુર પોલીસે નોટિસ મોકલી, 1500 કરોડનો મામલો છે

રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત રાઈડ્સમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જેના કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા...
Gujarat 
રાજકોટઃ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ લોકો બેઠા હતા અને રાઇડ બંધ કરીને જતો રહ્યો ઓપરેટર

જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડનગરમાં યોજાયેલી જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર...
Gujarat 
જિગ્નેશ મેવાણીએ PM મોદી વિરુદ્ધ આપેલા નિવેદન બાદ મોદી સમાજમાં રોષ, અમદાવાદમાં...
Copyright (c) Khabarchhe All Rights Reserved.