‘ચૂંટણી પંચને કંઈ નથી ખબર, અમારા પર નાંખી દેવામાં આવ્યું છે...’; મતદાર યાદી સુધારણા અંગે NDAમાં જ મૂંઝવણ છે!

એવું લાગે છે કે બિહાર સરકારના નેતૃત્વ હેઠળની NDA મતદાર યાદી સુધારણા વિશેષ સઘન સુધારણા (SIR)ના મુદ્દા પર મૂંઝવણમાં છે. એક તરફ, BJP ખુલ્લેઆમ SIRને સમર્થન આપી રહી છે અને કહી રહી છે કે ચૂંટણી પંચનું આ પગલું સ્વાગત યોગ્ય છે, આનાથી નકલી મતદારોને ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે નહીં. પરંતુ તેના સાથી JD(U)ના એક સંસદે આ મામલે BJPથી સંપૂર્ણપણે અલગ અભિપ્રાય આપ્યો છે. JD(U)ના આ સાંસદનું નામ ગિરધારી યાદવ છે.

Bihar-Voter-List-Revision1
aajtak.in

ગિરધારી યાદવે બુધવારે SIRના મુદ્દા પર એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું, ‘ચૂંટણી પંચને કોઈ વ્યવહારુ જ્ઞાન નથી, પંચને બિહારના ઇતિહાસ કે ભૂગોળની કંઈ જ ખબર નથી. વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ખેતી ચાલી રહી હોય છે... કાગળો વ્યવસ્થિત કરવામાં અમને 10 દિવસ લાગી ગયા. મારો પુત્ર અમેરિકામાં રહે છે, તે કેવી રીતે સહી કરશે?’

ગિરધારી યાદવે કહ્યું, '(SIR) આ અમારા પર જબરજસ્તી નાંખી દેવામાં આવ્યું છે... જો આવું કરવું જ હતું, તો અમને 6 મહિનાનો સમય આપવો જોઈતો હતો, આ ચૂંટણી પંચનો જુલમી આદેશ છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ તેમનો અંગત અભિપ્રાય છે, ત્યારે તેમણે કહ્યું, 'આ મારો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે, પણ આ સત્ય હકીકત છે, હવે જો અમે સાચું પણ બોલી શકતા ન હોઈએ તો અમે સાંસદ શા માટે બન્યા છીએ?'

Bihar-Voter-List-Revision3
x.com

એ કહેવું મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદી સુધારણાનું કામ 24 જૂને શરૂ કર્યું હતું અને તે 25 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું છે. બિહારમાં કુલ 7.8 કરોડ મતદારો છે. ચૂંટણી પંચે 11 દસ્તાવેજોનું લિસ્ટ બહાર પાડયું છે અને કહ્યું છે કે, મતદાન કરવા માટે આમાંથી એક દસ્તાવેજ જરૂરી છે.

JD(U)ના સાંસદ ગિરધારી યાદવના નિવેદન પરથી સમજાય છે કે, બિહારમાં મતદાર યાદી સુધારણાનો મુદ્દો માત્ર વિપક્ષને જ નહીં, પરંતુ સરકારમાં રહેલા રાજકીય પક્ષોને પણ પરેશાન કરી રહ્યો છે. બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પહેલાં, નીતિશ સરકારના કામ કરતાં મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વધુ ચર્ચા થઈ રહી છે.

Bihar-Voter-List-Revision2
insiderlive.in

લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી, બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ મતદાર યાદી સુધારણા સામે પટનામાં રસ્તા પર ઉતર્યા. વિપક્ષનું કહેવું છે કે, આ ગરીબ લોકોના મત કાપવાનું કાવતરું છે. જ્યારે JD(U)ના સાંસદ ગિરધારી યાદવ કેમેરા સામે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારા પર SIR લાદવામાં આવ્યો છે, ત્યારે સમજી શકાય છે કે, NDAમાં સમાવિષ્ટ પક્ષોમાં મતદાર યાદી સુધારણાના મુદ્દા અંગે ખરેખર પરેશાની છે.

ચૂંટણી પંચ 1 ઓગસ્ટના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત કરશે અને ત્યારપછી તેનું અંતિમ પ્રકાશન પણ 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. SIRના મુદ્દા પર, વિપક્ષે બુધવારે માત્ર બિહાર વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદમાં પણ જોરદાર વિરોધ કર્યો છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.