ભાજપના આ મંત્રીએ કહ્યું- PM મોદી અને ડૉ. મનમોહન સિંહની સરખામણી કરવી શક્ય નથી

કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સરકારમાં કામ કરવાના પોતાના અનુભવો ન્યૂઝ ચેનલ આજ-તક સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે PM મોદી અને ડો. મનમોહન સિંહની સરખામણી કરવી મુશ્કેલ છે. બનેંની કામ કરવાની રીતમાં જમીન આસમાનનું અંતર છે.

એક શોમાં હાજર રહેલાં કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મોદી સરકાર એક રિઝલ્ટ ઓરીએંટેડ સરકાર છે. આ સરકારમાં નિર્ણય ખુબ ઝડપથી લેવામાં આવે છે. મારા અનુભવ પરથી એટલું કહી શકુ કે આ સરકાર પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે અને તેના માટે આખી એક સીસ્ટમ કામ કરે છે.

 સિંધિયાએ કહ્યું કે એક રાજનેતા અને પ્રજા સેવક પહેલાં હુ ખાનગી ક્ષેત્રમાં બેંકર તરીકે કામ કરી ચૂક્યો છુ. એવામાં મારું એ સૌભાગ્ય કહેવાય કે મને આવી રિઝલ્ટ ઓરિએંટેડ અને પ્રોડક્ટિવિટિ ડ્રિવન સરકારમાં કામ કરવાની તક મળી. આ મારા માટે એક સોનેરી અવસર છે.

સિંધિયાએ આ ખાનગીકરણને બધાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આને કારણે એર ઇન્ડિયાનું તો ભલું થશે જ, પરંતુ પ્રજાને પણ એક સારો વિક્લપ મળશે. સાથે એવિએશન સેકટરમાં તેની નવી ભૂમિકા પણ નક્કી થશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે 30-40 વર્ષ પહેલાં માત્ર થોડા લોકો જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા, પરંતુ આજે ઉડાન યોજના હેઠળ સામાન્ય માણસ પણ હવાઇ યાત્રા કરી શકે છે. દેશમાં એરપોર્ટ નેટવર્ક નાંખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બિહારના દરભંગા જેવા શહેરમાં પણ એરપોર્ટ બન્યું અને લોકો અહીંથી મુસાફરી કરી શકે છે. સિંધિયાએ કહ્યુ કે પ્રાદેશિક કનેકિટવિટીથી દેશનો વિકાસ થશે.

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ હવાઇ યાત્રાના  આંકડા આપતા કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે 14 કરોડ લોકો મુસાફરી કરે છે. જેમાં દર વર્ષે 10 ટકા જેટલો વધારો થાય છે. રેલવેમાં વર્ષે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કલાસમાં 18 કરોડ લોકો મુસાફરી કરે છે.. સિંધિયાએ કહ્યુ હતું કે આગામી દિવસોમાં લોકો રેલવે કરતા ફલાઇટમાં વધુ યાત્રા કરતા થશે.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.