ભાજપના આ મંત્રીએ કહ્યું- PM મોદી અને ડૉ. મનમોહન સિંહની સરખામણી કરવી શક્ય નથી

કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ પ્રધાનમંત્રી ડો. મનમોહન સિંહ સરકારમાં કામ કરવાના પોતાના અનુભવો ન્યૂઝ ચેનલ આજ-તક સાથે શેર કર્યા હતા. તેમણે કહ્યુ હતું કે PM મોદી અને ડો. મનમોહન સિંહની સરખામણી કરવી મુશ્કેલ છે. બનેંની કામ કરવાની રીતમાં જમીન આસમાનનું અંતર છે.

એક શોમાં હાજર રહેલાં કેન્દ્રીય કમ્યુનિકેશન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે મોદી સરકાર એક રિઝલ્ટ ઓરીએંટેડ સરકાર છે. આ સરકારમાં નિર્ણય ખુબ ઝડપથી લેવામાં આવે છે. મારા અનુભવ પરથી એટલું કહી શકુ કે આ સરકાર પ્રોડક્ટિવિટી પર ધ્યાન આપે છે અને તેના માટે આખી એક સીસ્ટમ કામ કરે છે.

 સિંધિયાએ કહ્યું કે એક રાજનેતા અને પ્રજા સેવક પહેલાં હુ ખાનગી ક્ષેત્રમાં બેંકર તરીકે કામ કરી ચૂક્યો છુ. એવામાં મારું એ સૌભાગ્ય કહેવાય કે મને આવી રિઝલ્ટ ઓરિએંટેડ અને પ્રોડક્ટિવિટિ ડ્રિવન સરકારમાં કામ કરવાની તક મળી. આ મારા માટે એક સોનેરી અવસર છે.

સિંધિયાએ આ ખાનગીકરણને બધાના હિતમાં હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આને કારણે એર ઇન્ડિયાનું તો ભલું થશે જ, પરંતુ પ્રજાને પણ એક સારો વિક્લપ મળશે. સાથે એવિએશન સેકટરમાં તેની નવી ભૂમિકા પણ નક્કી થશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે 30-40 વર્ષ પહેલાં માત્ર થોડા લોકો જ વિમાનમાં મુસાફરી કરી શકતા હતા, પરંતુ આજે ઉડાન યોજના હેઠળ સામાન્ય માણસ પણ હવાઇ યાત્રા કરી શકે છે. દેશમાં એરપોર્ટ નેટવર્ક નાંખવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે બિહારના દરભંગા જેવા શહેરમાં પણ એરપોર્ટ બન્યું અને લોકો અહીંથી મુસાફરી કરી શકે છે. સિંધિયાએ કહ્યુ કે પ્રાદેશિક કનેકિટવિટીથી દેશનો વિકાસ થશે.

કેન્દ્રીય મંત્રી જયોતિરાદિત્ય સિંધીયાએ હવાઇ યાત્રાના  આંકડા આપતા કહ્યુ હતું કે દેશમાં દર વર્ષે 14 કરોડ લોકો મુસાફરી કરે છે. જેમાં દર વર્ષે 10 ટકા જેટલો વધારો થાય છે. રેલવેમાં વર્ષે ફર્સ્ટ એન્ડ સેકન્ડ કલાસમાં 18 કરોડ લોકો મુસાફરી કરે છે.. સિંધિયાએ કહ્યુ હતું કે આગામી દિવસોમાં લોકો રેલવે કરતા ફલાઇટમાં વધુ યાત્રા કરતા થશે.

About The Author

Related Posts

Top News

જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

લોકસભામાં જન વિશ્વાસ સુધારા બિલ પસાર થઇ ગયું છે હવે રાજ્યસભામાં પાસ થયા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પડશે અને કાયદો...
National 
જન વિશ્વાસ બિલ: હવે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરો તો જેલ નહીં થાય, ફક્ત...

ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ બરબારનો જામ્યો છે. જેમ-જેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે તેમ-તેમ જેમને...
Gujarat 
ગાયિકા રાજલ બારોટ અને નેહા સુથારની રાજકારણમાં એન્ટ્રી, જાણો કોણ કયા પક્ષમાંથી અને ક્યાંથી ચૂંટણી લડશે?

પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી રૂવાડા ઉભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક પિતા લગભગ...
National 
પુત્રીની બોડી સાથે સૂતો રહ્યો પિતા, 5 મહિના સુધી ગંધ છુપાવવા માટે છાંટતો પરફ્યૂમ; આ રીતે ખુલ્યું રહસ્ય?

છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'

આમ તો પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સાત જન્મો સુધી ટકી રહેવાનો હોય છે, પરંતુ ક્યારેક ઘણી વખત અમુક વસ્તુ બરાબર...
National 
છૂટાછેડા માટે પતિ કોર્ટ ગયો તો ન્યાયાધીશે કહ્યું- 'બસ શાંતિથી બેસી રહો, 15000 રૂપિયા ચુકવતા રહો, અને ખુશ રહો.'
Copyright (c) Khabarchhe All Rights Reserved.