RTIમાં સવાલ પૂછાયો- સરકારી ઓફિસમાં દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે? કોર્ટ ગરમ...

બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં માહિતી અધિકાર (RTI) કાયદાના દુરુપયોગ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ મુદ્દા પર નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં એક નકામી RTI અરજીમાં સરકારી ઓફિસમાં એક દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે રાજ્ય માહિતી આયોગ (SIC)એ હાઈકોર્ટને કહ્યું કે, તેમને આવી અર્થહીન RTI અરજીઓ મળી રહી છે.

એક સમાચારપત્રમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, હાઈકોર્ટે કહ્યું છે કે, માહિતી અધિકાર જેવા કાયદાઓનો હેતુ લોકોનું કલ્યાણ થાય તે માટે હોય છે, પરંતુ લોકો તેનો ખોટો ઉપયોગ કરવામાં રોકાયેલા છે. બુધવારે એક કેસની સુનાવણી દરમિયાન, રાજ્ય માહિતી આયોગ (SIC)એ બોમ્બે હાઈકોર્ટને કહ્યું કે, તેમને આવી RTI અરજીઓ મળે છે, જેનો કોઈ અર્થ નથી. હાઈકોર્ટે આ બાબતને ગંભીરતાથી લીધી છે.

RTI-Misuse
amarujala.com

SICએ જણાવ્યું હતું કે, તેમને તાજેતરમાં એક RTI અરજી મળી હતી જેમાં પૂછવામાં આવ્યું હતું કે, સરકારી ઓફિસમાં એક દિવસમાં કેટલા સમોસા પીરસવામાં આવે છે. હાઇકોર્ટે કહ્યું કે આ મુદ્દો ગંભીર છે. મુખ્ય ન્યાયાધીશ આલોક આરાધે અને ન્યાયાધીશ સંદીપ માર્નેની બેન્ચે જણાવ્યું હતું કે, 'કાયદા લોક કલ્યાણના હેતુથી બનાવવામાં આવે છે, પરંતુ લોકો આ દ્વારા જમાઈઓ શોધી રહ્યા છે, સરકારી નોકરી ધરાવતા છોકરાઓને શોધી રહ્યા છે, જે ચિંતાજનક છે.'

RTI-Misuse2
statemirror.com

આ મામલો બુધવારે સુનાવણી દરમિયાન સામે આવ્યો, જ્યારે ભૂતપૂર્વ મુખ્ય માહિતી કમિશનર શૈલેષ ગાંધી અને પાંચ RTI કાર્યકરોએ જાહેર હિતની અરજી (PIL) દાખલ કરી. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, રાજ્ય માહિતી કમિશનરે 45 દિવસમાં બીજી અપીલ અને ફરિયાદોનો નિકાલ કરવા માટે એક રોડમેપ તૈયાર કરવો જોઈએ. જોકે, SICએ કોર્ટને જણાવ્યું હતું કે સમાધાનમાં વિલંબનું કારણ માહિતી કમિશનરોની ખાલી જગ્યાઓ છે. અરજદારોએ લગભગ 1 લાખ પેન્ડિંગ ફરિયાદોનો ઉલ્લેખ કરીને ત્રણ વધારાની જગ્યાઓ ભરવાની માંગ કરી હતી.

RTI-Misuse1
timesofindia.indiatimes.com

હાઇકોર્ટે કહ્યું કે અરજદારો હંમેશા સરકારમાં ખામીઓ શોધે છે અને તેમનું વલણ નકારાત્મક હોય છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, RTI કાયદામાં બીજી અપીલ માટે કોઈ સમય મર્યાદા નથી. ચુકાદો આપતી વખતે, બેન્ચે આશા વ્યક્ત કરી કે, SIC શક્ય તેટલી વહેલી તકે ફરિયાદોનો નિકાલ કરશે.

Related Posts

Top News

આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

થોડા દિવસ પહેલા, મહારાષ્ટ્ર વિધાનસભામાં હળવાશથી CM દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને પક્ષ બદલીને શાસક પક્ષમાં જોડાવાનું કહ્યું. જો આ...
National 
આ શું? ઉદ્ધવ-શરદ પવાર CM ફડણવીસના ચાહક કેમ બની ગયા? મહારાષ્ટ્રના રાજકારણમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે!

રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ભારતીય રેલવેએ ઓનલાઈન ટિકિટ બુકિંગ સિસ્ટમનો દુરુપયોગ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (...
Business 
રેલવેએ લીધો મોટો નિર્ણય... IRCTCના અઢી કરોડથી વધુ યુઝર ID ડિએક્ટિવેટ કર્યા, 5 નિયમ બદલાયા

ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા, CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

જો તમે ChatGPT પર તમારા દિલની વાત કરો છો, તો સાવચેત રહો, કારણ કે તમારા રહસ્યો સુરક્ષિત નથી....
World 
ChatGPT સાથે લાગણીશીલ થઈને તમારા દિલની વાત ન કરતા,  CEOએ કહ્યું- તમારું સિક્રેટ સુરક્ષિત નથી

બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ

દેશની પ્રખ્યાત ઓટો કંપની બજાજ ઓટોને મોટો ઝટકો લાગી શકે છે. કંપનીના MD રાજીવ બજાજે કહ્યું છે કે, જો...
Business 
બજાજ ઑગસ્ટથી બંધ કરી શકે છે EV પ્રોડકશન; આ છે કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.