જે ઈલેક્ટોરલ બોન્ડ કેશ નહોતા થયા, તેના પૈસા PM રાહત ફંડમાં નાંખ્યા: SBI

ભારતીય સ્ટેટ બેંકે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. એવું કહેવાય છે કે, ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ ડેટા ચૂંટણી પંચને સોંપી દેવામાં આવ્યા છે. આ એફિડેવિટ SBIના ચીફ મેનેજિંગ ડિરેક્ટર દિનેશ ખારા દ્વારા દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે 12 માર્ચે ચૂંટણી પંચને ખરીદી, વેચાણ અને ખરીદદારોના નામ સાથે સંબંધિત તમામ માહિતી સોંપવામાં આવી છે. SBIએ એપ્રિલ 2019 થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ખરીદેલા 22,217 ઈલેક્ટોરલ બોન્ડની વિગતો આપી છે.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, SBIએ કહ્યું છે કે, સીલબંધ પરબિડીયામાં પેન ડ્રાઈવ અને બે PDF ફાઈલ દ્વારા ચૂંટણી પંચને માહિતી સોંપવામાં આવી છે. આ સમગ્ર માહિતી પાસવર્ડથી સુરક્ષિત છે. એટલે કે પાસવર્ડ વગર કોઈ ફાઈલ ખુલશે નહીં.

SBIએ ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત કેટલાક ડેટા પણ કોર્ટને બતાવ્યા છે. બેંક અનુસાર, 1 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024 સુધીમાં કુલ 22,217 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે. તેમાંથી 22,030 રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા હતા. SBI અનુસાર, 187 ઈલેક્ટોરલ બોન્ડની રકમ જે પક્ષકારો દ્વારા 15 દિવસની માન્યતા અવધિમાં રોકડ કરવામાં આવી ન હતી, તેને PM રાહત ફંડમાં મોકલવામાં આવી હતી.

વર્ષ 2019માં સરકારની ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી હતી. 15 ફેબ્રુઆરી, 2024ના રોજ, સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, ચૂંટણી બોન્ડને ગોપનીય રાખવું એ બંધારણની કલમ 19(1) અને માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે.

કોર્ટે SBIને 6 માર્ચ, 2024 સુધીમાં ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ્સ સંબંધિત તમામ વિગતો સબમિટ કરવા કહ્યું હતું. તેના પર SBIએ કોર્ટ પાસે 30 જૂન સુધીનો સમય માંગ્યો હતો. પરંતુ, સુપ્રીમ કોર્ટે બેંકને આ સમય આપવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે SBIને કોઈપણ સંજોગોમાં 12 માર્ચ સુધીમાં ચૂંટણી પંચને તમામ વિગતો સબમિટ કરવા જણાવ્યું હતું. બેન્ચે ચૂંટણી પંચને 15 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં SBI તરફથી મળેલી તમામ વિગતો તેની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ પણ આપ્યો હતો.

વર્ષ 2018માં કેન્દ્ર સરકાર ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ લાવી હતી. ચૂંટણી બોન્ડ લાગુ કરવા પાછળ મોદી સરકારનો મત એ હતો કે, તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને સ્વચ્છ નાણાં આવશે. જેમાં વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદીને રાજકીય પક્ષોને ડોનેશન તરીકે આપતા હતા અને રાજકીય પક્ષો આ બોન્ડને બેંકમાં રોકીને નાણાં મેળવતા હતા.

ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાઓને ચૂંટણી બોન્ડ બહાર પાડવા અને તેને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. જો કે, એવા આક્ષેપો થયા છે કે, આ યોજનાનો ઉપયોગ મની લોન્ડરિંગ અથવા કાળા નાણાને સફેદમાં ફેરવવા માટે કરવામાં આવી રહ્યો હતો.

About The Author

Related Posts

Top News

દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

દેશની રાજધાની દિલ્હીમાં લકઝુરિયસ હોટલોમાં રૂમના ભાવો ભડકે બળી રહ્યા છે. તેની પાછળનું કારણ એવું છે કે દિલ્હીના પ્રગતિ મેદાન...
National 
દિલ્હીમાં એક દિવસનું હોટલનું ભાડું 32 લાખ સુધી કેમ પહોંચી ગયું?

હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

ઘણી વાર જોવા મળે છે કે એક ઇંચ જમીન માટે પણ વર્ષો સુધી કોર્ટના ચક્કર લગાવવા પડે છે. ક્યારેક નકશાની...
National 
હવે માણસોની જેમ તમારી જમીનનું પણ બનશે ‘આધાર કાર્ડ’, એક નંબરથી પકડાઈ જશે અસલી માલિક!

15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

ઉત્તર પ્રદેશના હરદોઈથી એક ઈમોશનલ કહાની સામે આવી છે. 6 દાયકા અગાઉ ડાકુઓએ જે મહિલાનું અપહરણ કર્યું હતું તે આખરે ...
National 
15 વર્ષની ઉંમરે ઉઠાવી લઈ ગયા હતા ડાકુઓ, 65 વર્ષ બાદ ઘરે પરત ફરેલી મીઠાનીની કહાની

જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે

સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી સામે હવે લોકો ફરિયાદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ સૂત્રોના કહેવા મુજબ ચિરાગ...
Gujarat 
જે રીતે ચિરાગ ગોટીના કાળા કારનામા ખૂલી રહ્યા છે આટલા વર્ષ સુધી તો એ જેલમાંથી બહાર નહીં આવે
Copyright (c) Khabarchhe All Rights Reserved.