અવિમુક્તેશ્વરાનંદની શિબિર બહાર બબાલ, બળજબરીથી ઘૂસવાનો પ્રયાસ, ‘બુલડોઝર બાબા કી જય’ના નારા લાગ્યા

પ્રયાગરાજના માઘ મેળા વિસ્તારમાં સેક્ટર-4, ત્રિવેણી માર્ગ પર સ્થિત શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના શિબિરમાં અસામાજિક તત્વોએ હોબાળો મચાવ્યો હતો. એવો આરોપ છે કે કેટલાક લોકો લાકડીઓ અને ઝંડા સાથે બળજબરીથી શિબિરમાં ઘૂસી ગયા હતા અને આક્રમક નારેબાજી કરવા લાગ્યા હતા. આ દરમિયાન વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું.

Avimukteshwaranand-Saraswati2
x.com/Sahajsatta_prg

અહેવાલો અનુસાર, આ ઘટના 24 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 06:30 વાગ્યાથી 7:30 વાગ્યા વચ્ચે બની હતી. શિબિરમાં હાજર સેવકો અને કાર્યકરોએ સમજદારી દર્શાવતા, તોફાની તત્વોને શાંતિથી બહાર કાઢ્યા હતા, જેથી મોટી ઘટના ટળી હતી. જો કે, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ગમે ત્યારે મારમારી થઈ શકતી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિબિર બહાર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી શ્રદ્ધાળુઓ વચ્ચે શાંતિથી બેસી રહે છે, અને મોટી સંખ્યામાં ભક્તો ત્યાં હાજર હતા. એવામાં, આ પ્રકારની ઘટનાએ સંતો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા થઈ ગયા છે.

Avimukteshwaranand-Saraswati
x.com/aajtak

આ ઘટના બાદ, શિબિર વ્યવસ્થાપક તરફથી પ્રશાસનને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં માંગ કરવામાં આવી હતી કે, ‘અજાણ્યા અસામાજિક તત્વો સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે અને તેમની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ શિબિર અને તેની આસપાસ પૂરતા પ્રમાણમાં પોલીસ દળને કાયમી તૈનાત કરવાની પણ માંગ કરવામાં આવી હતી. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને તો તેની સંપૂર્ણ જવાબદારી મેળા પ્રશાસન અને પોલીસ પ્રશાસનની રહેશે.

Avimukteshwaranand-Saraswati4
x.com/Sahajsatta_prg

પ્રયાગરાજ પોલીસે ભલે હવે પરિસ્થિતિને કાબૂમાં કરવાની વાત કહી હોય, પરંતુ યુવકો નારેબાજી કરતા શિબિર સુધી કેવી રીતે પહોંચી ગયા? તેમને પહેલા કેમ રોકવામાં ન આવ્યા? આ ઘટનાથી સંગમમાં સાધુ-સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલો પહેલાથી જ સંવેદનશીલ હતો, પરંતુ હવે આ ઘટના બાદ, સ્થાનિક પોલીસ-પ્રશાસન પર પ્રશ્નો ઉભા થવા વાજબી છે. આ ઘટના બાદ, વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચાઓ તેજ થઈ ગઈ છે.

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.