'અતિક-અશરફને ઉપર પહોંચાડવામાં BJPની સિદ્ધિ' કહીને BJPના MLAએ વોટ માગ્યા

પોલીસ કસ્ટડીમાં માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા પર BJPએ અત્યાર સુધી મૌન ધારણ કર્યું હતું, પરંતુ હવે BJPએ નગરપાલિકા ચૂંટણી પ્રચારમાં તેની સિદ્ધિઓ કહેવાનું શરૂ કર્યું છે. સહારનપુરના BJPના ધારાસભ્ય રાજીવ ગુમ્બરે અતીક અને અશરફની હત્યાને BJPની સિદ્ધિ ગણાવી હતી.

એક કાર્યક્રમમાં બોલતા BJPના ધારાસભ્ય રાજીવ ગુંબરે કહ્યું કે, માફિયાઓ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું કે નહીં..., અતીકને ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં..., અશરફને પણ ઉપર પહોંચાડવામાં આવ્યો કે નહીં..., તો આવી રીતે સહારનપુરમાંથી પણ ગુંડાઓને બહાર કાઢવા જોઈએ. જો તેવું કરવું હોય તો, ડૉ. અજય સિંહને જીતાડવા જરૂરી છે., આવું કહેતાંની સાથે જ ત્યાં હાજર લોકોએ તેમના આ નિવેદન પર ખુબ તાળીઓ પાડી હતી.

સહરાનપુરમાં બુધવારે એટલે કે ગઈકાલે બપોરે BJPના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે BJPના કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે ધારાસભ્ય રાજીવ ગુમ્બરે રાજ્યના વિકાસ કાર્યો અને સિદ્ધિઓની સાથે માફિયાઓને ઉપર પહોંચાડવા માટે પણ રાજ્યની યોગી સરકારની સિદ્ધિઓ હોવાનો સીધો ઉલ્લેખ કર્યો હતો.

આના પરથી એવું લાગે છે કે, BJP અતીક અને અશરફ હત્યા કેસને પોતાની સિદ્ધિ તરીકે અને ચૂંટણીના હથિયાર તરીકે ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે. સહારનપુર શહેરના ધારાસભ્ય રાજીવ ગુમ્બરનું અતીક અને અશરફ હત્યા કેસ પર નિવેદન સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

બીજી તરફ UP સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, 'જે લોકો અતીક-અશરફની હત્યાની CBI તપાસની માંગ કરી રહ્યા છે, તેઓને મારી વિનંતી છે કે તપાસની માંગ કરનારાઓની પહેલા CBI તપાસ થવી જોઈએ... કયા લોકોના પક્ષ દ્વારા, કયા લોકોના પરિવાર દ્વારા તે માફિયાઓનો વિકાસ થયો હતો.'

UP સરકારના મંત્રી કુંવર બ્રિજેશ સિંહે કહ્યું, 'અમે કોઈપણ પ્રકારની તપાસથી ડરતા નથી. માનનીય CM યોગી આદિત્યનાથે તાત્કાલિક આ ઘટનાની ગંભીર નોંધ લીધી અને ન્યાયિક પંચની રચના કરી. તેનો વિગતવાર અહેવાલ આવ્યા બાદ, તેના પર વ્યાપક ચર્ચા થશે, તેના આધારે જે કોઈ પણ દોષી હશે તેના પર સખત કાર્યવાહી કરવામાં આવશે.'

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.