‘લેન્ડ ફોર જોબ સ્કેમ’માં લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ માટે પહોંચી CBI ટીમ

‘લેન્ડ ફોર જોબ સ્કેમ’ કેસમાં CBIની ટીમ લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ કરવા માટે એજન્સીના અધિકારી દિલ્હીમાં મીસાના ઘરે પહોંચી ગયા છે. આ અગાઉ સોમવારે જ CBIની ટીમ પટના જઈને રાબડી દેવીની પૂછપરછ કરી હતી. આ કેસમાં લાલુ પ્રસાદ યાદવની સૌથી મોટી દીકરી મીસા ભારતનીનું નામ પણ સામેલ છે. લાલુ પ્રસાદ યાદવે ડિસેમ્બરમાં જ પોતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. લાંબા સમાય સુધી ત્યાં જ રહ્યા બાદ દિલ્હી ફર્યા છે અને હવે મીસા ભારતીના આવાસ પર જ છે.

આ અગાઉ સોમવારે ઘણા કલાકો સુધી CBIના એક ડઝન અધિકારી રાબડી દેવીના ઘરે પહોંચ્યા હતા અને તેમની પૂછપરછ કરી હતી. CBIના આ એક્શનને RJDએ રાજનૈતિક બદલાની કાર્યવાહી બતાવી છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તો કટાક્ષ કરતા કહ્યું હતું કે, CBIએ અહીં જ પોતાની ઓફિસ ખોલી લેવી જોઈએ કેમ કે તેમને આવવા-જવામાં સમય લાગે છે. આ કેસમાં કોંગ્રેસે પણ હુમલો કર્યો હતો અને વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે.

એટલું જ નહીં આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ રાબડી દેવીના ઘર પર CBI પહોંચવા પર નારાજગી વ્યક્ત કરી અને વિપક્ષને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, તેના પર એકજૂથ થવાની જરૂરિયાત છે. CBIએ આ કેસમાં ગયા વર્ષે ઓક્ટોબરમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી સિવાય 14 અન્ય લોકોના નામ પણ સામેલ કરવામાં આવ્યા છે.

CBI તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે, રાબડી દેવી, મીસા ભારતી અને લાલુ પ્રસાદ યાદવની એક અન્ય દીકરી હેમા યાદવના નામે ડીડ તૈયાર કરીને જમીનોનું ટ્રાન્સફર કરાવવામાં આવ્યું હતું. એજન્સીનો આરોપ છે કે 1 લાખ વર્ગ ફૂટ જમીન લાલુ પ્રસાદ યાદવના પરિવારે પટનામાં લીધી છે. એ હેઠળ તેમણે સામાન્ય રકમમાં વેચનારા લોકોને આપી અને નોકરીને બદલે જમીન પચાવી પાડી.

શું છે લેન્ડ ફોર જોબ સ્કેમ?

લેન્ડ ફોર જોબ સ્કેમ 14 વર્ષ જૂનો છે. આ કેસમાં ગયા વર્ષે 18 મેના રોજ CBIએ કેસ દાખલ કર્યો હતો. CBIના જણાવ્યા મુજબ, લોકોને પહેલા રેલવેમાં ગ્રુપ Dના પદો પર સબ્સ્ટિટ્યુટ તરીકે ભરતી કરવામાં આવ્યા અને જ્યારે તેમના પરિવારે જમીનની ડીલ કરી તો તેમને રેગ્યુલર કરી દેવામાં આવ્યા. CBIનું કહેવું છે કે, પટનામાં લાલુ પ્રસાદ યાદવના પરિવારે 1.05 લાખ વર્ગ ફૂટ જમીન પર કથિત રીતે કબજો કરી રાખ્યો છે. આ જમનની ડીલ રોકડમાં થઈ હતી એટલે કે લાલુ પરિવારે રોકડ આપીને આ જમીનોને ખરીદી હતી. CBI મુજબ આ જમીન ખૂબ જ ઓછી કિંમતમાં વેચી દેવામાં આવી હતી.

CBIને એ પણ જાણવા મળ્યું કે, ઝોનલ રેલવેમાં સબ્સ્ટિટ્યુટની ભરતીની કોઈ જાહેરાત કે પબ્લિક નોટિસ જાહેર કરવામાં આવી નહોતી, પરંતુ જે પરિવારોએ યાદવ પરિવારને પોતાની જમીન આપી, તેમના સભ્યોને રેલવેમાં મુંબઈ, જબલપુર, કોલકાતા, જયપુર અને હાજીપુરમાં નિમણૂક કરવામાં આવી. એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) મુજબ કેટલાક ઉમેદવારોની અરજીઓને અપ્રુવ કરવામાં ઉતાવળ કરવામાં આવી.

કેટલીક અરજીઓને 3 દિવસમાં જ અપ્રુવ કરી દેવામાં આવી. પશ્ચિમ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ ઉમેદવારોની અરજીઓને આખા સરનામા વિના પણ અપ્રુવ કરી દેવામાં આવી અને નિમણૂક કરી દેવામાં આવી. કુલ મળાવીને લાલુ પ્રસાદ યાદવ એન્ડ ફેમિલીએ કથિત રીતે 7 ઉમેદવારોને જમીનના બદલે નોકરી આપી. તેમાંથી 5 જમીનોનું વેચાણ થયું હતું, જ્યારે 2 ગિફ્ટ તરીકે આપી દેવામાં આવી હતી.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.