મોદી સરકારે આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ, કહ્યું- સ્વાસ્થ્ય માટે જોખમી છે

કેન્દ્ર સરકારે પેઇનકિલર નાઇમેસુલાઇડ (Nimesulide)ને લઇને એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 100 mgથી વધુ નાઇમેસુલાઇડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આટલી મોટી માત્રામાં આ દવા માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે અને બજારમાં સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.

પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો?

આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 100mgથી વધુ માત્રાવાળી નાઇમેસુલાઇડ દવા માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા (NSAID) છે જેની લીવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય આડઅસરને લઈને વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે. સરકારે ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ પાસેથી સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી લાગૂ થશે. ઓછા ડોઝવાળી દવાઓ અને અન્ય સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે.

German-Bank-Vault3
internationalnewsandviews.com

આરોગ્ય મંત્રાલયના એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 100mgથી વધુ નાઇમેસુલાઇડવાળા બધા ઓરલ ફોર્મ્યૂલેશન, જે તાત્કાલિક રીલિઝ થતા ડોઝના સ્વરૂપમાં હોય છે, તે માનવો માટે જોખમ ઊભું કરી શકે છે અને તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જનહિતમાં આ પગલું લેવામાં આવ્યું છે, જેથી લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ ન રહે.

નાઇમેસુલાઇડ અંગે લાંબા સમયથી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2011 માં આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં નાઇમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ, જાન્યુઆરી 2025માં સરકારે પ્રાણીઓ માટે નાઇમેસુલાઇડની તમામ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બજાર સાથે જોડાયેલા આંકડા અનુસાર, ભારતમાં નાઇમેસુલાઇડ બજાર લગભગ 497 કરોડનું છે અને છેલ્લા 12 મહિનામાં તેમાં 11 ટકાનો વધારો થયો છે. આ આંકડા બજાર રિસર્ચ ફર્મ ફાર્માટ્રેકના છે.

Nimesulide1
pharmaceutical-technology.com

નાઇમેસુલાઇડ, એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા છે, જેની લિવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય પ્રતિકૂળ અસરો માટે વૈશ્વિકભરમાં તપાસ કરવામાં આવી રહી છે, અને આ પગલું સલામતી ધોરણોને કડક બનાવવા અને ધીમે-ધીમે ઉચ્ચ જોખમોવાળી દવાઓને દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.

નાઇમેસુલાઇડ બ્રાન્ડનું માર્કેટિંગ કરનારી કંપનીઓએ ઉત્પાદન બંધ કરવું પડશે અને પ્રભાવિત બેચોને પાછા મંગાવવા પડશે. વિશ્લેષકોનો અંદાજ છે કે મોટી કંપનીઓ પર નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે નાઇમેસુલાઇડ કુલ NSAID વેચાણનો એક નાનો હિસ્સો છે. જો કે, નાની કંપનીઓને આવક પર દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારે અગાઉ સેક્શન 26A હેઠળ ઘણી હાઇ રિસ્ક દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

About The Author

Top News

Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે અને ઘણી નવી ફિલ્મો પહેલાથી જ થિયેટરોમાં આવી ગઈ છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં...
Tech and Auto 
Pikashow જેવી એપથી મફતમાં જુવો છો ફિલ્મો તો ધ્યાન રાખજો નહિતર જેલમાં જવું પડશે

સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

દેશભરના લાખો સરકારી શિક્ષકો માટે એક રાહત આપનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઘણા સમયથી શિક્ષક પાત્રતા કસોટી (TET)...
Education 
સરકારી શિક્ષકોને મોટી રાહત મળી શકે છે, મોદી સરકારે આપ્યો સંકેત

મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

સોશિયલ મીડિયા પર એક કિસ્સો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે લોકો હેરાની, ગુસ્સો અને શરમ અનુભવી...
National 
મહિલાઓને ગર્ભવતી બનાવવાના બદલામાં લાખો રૂપિયા મળશે... ધ્યાન રાખજો નહિતર...

રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ

આ સમાચાર વાંચ્યા બાદ, બીજી વાર ઓર્ડર નાઉ બટન દબાવતા પહેલા તમારા હાથ ચોક્કસ ધ્રૂજશે! આપણે બધા જાણીએ છીએ...
Lifestyle 
રેસ્ટોરાંના જે ખાવાનું રૂ. 320માં મળે છે તે Zomato પર 655નું કેવી રીતે? મહિલાએ કંપનીને પૂછ્યો સવાલ તો મળ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.