મોદી સરકારે આ દવા પર મૂકી દીધો પ્રતિબંધ, કહ્યું- સ્વાસ્થ્ય માટે જોખમી છે

કેન્દ્ર સરકારે પેઇનકિલર નાઇમેસુલાઇડ (Nimesulide)ને લઇને એક મોટું પગલું ભર્યું છે. આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે 100 mgથી વધુ નાઇમેસુલાઇડની ઓરલ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે. આ નિર્ણય ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ લેવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, આટલી મોટી માત્રામાં આ દવા માનવ સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે અને બજારમાં સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે.

પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો?

આરોગ્ય મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, 100mgથી વધુ માત્રાવાળી નાઇમેસુલાઇડ દવા માનવો માટે જોખમ ઊભું કરી શકે છે. તે એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા (NSAID) છે જેની લીવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય આડઅસરને લઈને વિશ્વભરમાં તપાસ કરવામાં આવી રહી છે. સરકારે ડ્રગ્સ ટેક્નિકલ એડવાઇઝરી બોર્ડ પાસેથી સલાહ લીધા બાદ આ નિર્ણય લીધો છે. આદેશ અનુસાર, આ પ્રતિબંધ સમગ્ર દેશમાં તાત્કાલિક અસરથી લાગૂ થશે. ઓછા ડોઝવાળી દવાઓ અને અન્ય સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ રહેશે.

German-Bank-Vault3
internationalnewsandviews.com

આરોગ્ય મંત્રાલયના એક નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, 100mgથી વધુ નાઇમેસુલાઇડવાળા બધા ઓરલ ફોર્મ્યૂલેશન, જે તાત્કાલિક રીલિઝ થતા ડોઝના સ્વરૂપમાં હોય છે, તે માનવો માટે જોખમ ઊભું કરી શકે છે અને તેના સુરક્ષિત વિકલ્પો ઉપલબ્ધ છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે જનહિતમાં આ પગલું લેવામાં આવ્યું છે, જેથી લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ જોખમ ન રહે.

નાઇમેસુલાઇડ અંગે લાંબા સમયથી ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. 2011 માં આરોગ્ય મંત્રાલયે 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં નાઇમેસુલાઇડના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ, જાન્યુઆરી 2025માં સરકારે પ્રાણીઓ માટે નાઇમેસુલાઇડની તમામ દવાઓના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બજાર સાથે જોડાયેલા આંકડા અનુસાર, ભારતમાં નાઇમેસુલાઇડ બજાર લગભગ 497 કરોડનું છે અને છેલ્લા 12 મહિનામાં તેમાં 11 ટકાનો વધારો થયો છે. આ આંકડા બજાર રિસર્ચ ફર્મ ફાર્માટ્રેકના છે.

Nimesulide1
pharmaceutical-technology.com

નાઇમેસુલાઇડ, એક નોન-સ્ટીરોઇડલ એન્ટી-ઇન્ફ્લેમેટરી દવા છે, જેની લિવર પર સંભવિત ટોક્સિસિટી અને અન્ય પ્રતિકૂળ અસરો માટે વૈશ્વિકભરમાં તપાસ કરવામાં આવી રહી છે, અને આ પગલું સલામતી ધોરણોને કડક બનાવવા અને ધીમે-ધીમે ઉચ્ચ જોખમોવાળી દવાઓને દૂર કરવાના પ્રયાસોનો એક ભાગ છે.

નાઇમેસુલાઇડ બ્રાન્ડનું માર્કેટિંગ કરનારી કંપનીઓએ ઉત્પાદન બંધ કરવું પડશે અને પ્રભાવિત બેચોને પાછા મંગાવવા પડશે. વિશ્લેષકોનો અંદાજ છે કે મોટી કંપનીઓ પર નાણાકીય અસર મર્યાદિત રહેશે, કારણ કે નાઇમેસુલાઇડ કુલ NSAID વેચાણનો એક નાનો હિસ્સો છે. જો કે, નાની કંપનીઓને આવક પર દબાણનો સામનો કરવો પડી શકે છે. સરકારે અગાઉ સેક્શન 26A હેઠળ ઘણી હાઇ રિસ્ક દવાઓ અને ફિક્સ્ડ-ડોઝ કોમ્બિનેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

About The Author

Top News

રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસ નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધીના યુવા સંવાદ કાર્યક્રમ 'છાત્રોં કી ગૂંજ' દરમિયાન મંચ...
Politics 
રાહુલ ગાંધીના છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં એવું શું થયું કે BJP રોષે ભરાઇ, કહ્યું- આ સહન નહીં થાય

TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

ટ્રેન મુસાફરી દરમિયાન ટિકિટ ચેક કરવી એ એક સામાન્ય વાત છે. પરંતુ જ્યારે કોઈ મુસાફર ટિકિટ વિના પકડાય છે અને...
National 
TTEએ ટિકિટ માંગી તો યુવતીએ કપડા ફાડવાનું શરૂ કર્યું અને કહ્યું, 'હું તને હમણાં બતાવું છું', આખો હાઇ-વોલ્ટેજ ડ્રામા કેમેરામાં કેદ થયો!

નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

જગતજનની મા આધ્યશક્તિની ભક્તિ, શક્તિ અને આરાધનાનું પવિત્ર મહાપર્વ એટલે નવરાત્રિ. પ્રાચીન કાળથી ગુજરાતની ઓળખ રહેલા શેરી ગરબા...
Gujarat 
નવરાત્રિમાં 1000-2000માં ગરબા પાર્ટનર મળશેની જાહેરાત પર બજરંગ દળ ગરમ, શું આસ્થાના પર્વને અંગત મોજમસ્તી અને મનોરંજનનું સાધન બનાવી દેવાયું છે?

ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!

શું ભારત પર એક શક્તિશાળી હવામાન સંકટ આવી રહ્યું છે? 180થી વધુ ભારતીય પર્યાવરણીય અને હવામાનશાસ્ત્રીઓ માને છે...
National 
ભારત પર સુપર અલ નીનોનો ખતરો; 180 વૈજ્ઞાનિકોએ 2026-27માં તીવ્ર ગરમી અને દુષ્કાળની આપી ચેતવણી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.