‘ચપ્પલ ઘસાઈ ગઈ, હાથ..’, ખેડૂતે ખેતરે જવા માટે CM પાસે માંગ્યું હેલિકોપ્ટર; ભાવુક કરી દેશે ખેડૂતનું આવેદન

મધ્ય પ્રદેશના ઉજ્જૈન જિલ્લાના એ એક ખેડૂતની પીડા સામે આવી છે, જે સિસ્ટમની ઉપેક્ષા અને લાચારીની હદ દર્શાવે છે. પોતાના ખેતર સુધી જવાનો રસ્તો છીનવાઇ ગયા ગયા બાદ, ખેડૂતે મુખ્યમંત્રી પાસે હેલિકોપ્ટરની માંગ કરી દીધી છે. આ માંગ કોઈ શોખ કે દેખાડાની નથી, પરંતુ બચવા માટેનો છેલ્લો પ્રયાસ છે. આ આખો મામલો ઘટ્ટિયા તાલુકાના ઉટેસરા ગામના રહેવાસી ખેડૂત માનસિંહ રાજોરિયાનો છે. તેની પાસે 3.5 વીઘા જમીન છે. આ જમીન તેના પરિવારની આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત હતી, પરંતુ 2023માં ઉજ્જૈન-ગરોઠ હાઇવેનું નિર્માણ શરૂ થયું અને આ ખેડૂતનું જીવન સંકટમાં મુકાઇ ગયું હતું. હાઇવેના નિર્માણ દરમિયાન તેના ખેતર તરફ જતા બધા રસ્તાઓ બંધ થઈ ગયા. સામે લગભગ 2 મીટર ઊંચો હાઇવે બનાવવામાં આવ્યો, પરંતુ કોઈ અંડરપાસ કે વૈકલ્પિક માર્ગ આપવામાં આવ્યો નથી.

farmer2
etvbharat.com

માનસિંહ જણાવે છે કે નજીકના અન્ય ખેડૂતોના ખેતરો પ્રધાનમંત્રી સડક સાથે જોડાયેલા છે, પરંતુ તેનું ખેતર વચ્ચે ફસાઈ ગયું છે. ન તો ટ્રેક્ટર, ન બળદગાડું, ન તો ચાલવાનો રસ્તો છે. ખેતર સામે દેખાય છે, પરંતુ ત્યાં સુધી પહોંચવું અશક્ય થઈ ગયું છે. પરિણામે ખેતી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતે મામલતદાર, SDM અને કલેક્ટરની કચેરીઓના ચક્કર લગાવ્યા. તેમણે મુખ્યમંત્રીની હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કરી, પરંતુ દરેક વખતે તેને માત્ર આશ્વાસન મળ્યું. કોઈ ઉકેલ ન દેખાયો. હવે હું આવેદનો આપતા-આપતા થાકી ગયો છું.

farmer4
etvbharat.com

તેણે કહ્યું કે, હવે મારી પાસે અરજી કરવાની પણ તાકાત બચી નથી. મારા ચપ્પલ ઘસાઈ ગયા છે, મારા હાથ બંધાઈ ગયા. એટલે, હું મારા ખેતર સુધી પહોંચવા માટે હેલિકોપ્ટર માંગી રહ્યો છું. આ હૃદયદ્રાવક અરજીમાં ખેડૂતે આગળ લખ્યું છે કે, જો તેમના ખેતર સુધી જવા માટે રસ્તો નહીં મળે, તો તેની પાસે તેમના પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈ મધ્યમ નહીં બચે. મજબૂરીમાં તેણે એમ પણ લખી દીધું કે ઝેર પીવું એ એકમાત્ર વિકલ્પ બચ્યો છે.

farmer3
etvbharat.com

ખેડૂતના માતા-પિતાની આંખોમાં પણ લાચારી સ્પષ્ટ છલકાઈ રહી હતી. માતા ગીતા બાઈ અને પિતા રામલાલ કહે છે કે તેઓ 2022-23 થી સતત ફરિયાદ કરી રહ્યા છે. જેમ-તેમ તેઓએ લસણ અને ડુંગળીનો પાક લીધો, પરંતુ પછીથી સોયાબીનમાં માત્ર મજૂરીના જ પૈસા મળે છે. હવે, પરિસ્થિતિ એવી છે કે તેઓ ઘઉં પણ વાવી શકતા નથી. અધિકારીઓએ રસ્તો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે રસ્તો થોડા સમય બાદ બંધ થઈ ગયો, જેના કારણે લગભગ 2 લાખ રૂપિયાનું નુકસાન થઇ ચૂક્યું છે. આ બાબત અંગે, ઘટ્ટિયા તાલુકાના SDM રાજારામ કરજરેએ જણાવ્યું હતું કે ખેડૂતની અરજી મળી ગઈ છે. તેમની મુખ્ય માંગ તેમના ખેતર સુધી રસ્તો બનાવવાની છે. અગાઉ આપેલી અરજી વિચારણા હેઠળ છે અને આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તેમને ઝડપી ઉકેલ લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.

About The Author

Top News

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

CBSE 10મા બોર્ડનું પ્રથમ ગણિતનું પેપર એટલું અઘરું હતું કે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. વિદ્યાર્થીઓએ પણ અહેવાલ આપ્યો...
Education 
શું ગણિત અને ભૌતિકશાસ્ત્રના અઘરા પેપર માટે સરળ માર્કિંગનો ઓર્ડર આવી શકે છે? જાણો એ બે શરતો વિશે જેની ખબર પડી છે

શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

દિલ્હીની ઇન્કમટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલે એક મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. હિંદુ ફેમીલી સેટલમેન્ટ હેઠળ ગિફ્ટ આપવામાં આવેલી મિલ્કત ટ્રાન્સફરની વ્યાખ્યામાં આવતી...
National 
શું પરિવાર તરફથી ગિફ્ટમાં મળેલી મિલકત પર ટેક્સ આપવો પડે? ટ્રીબ્યુનલનો ચુકાદો જાણો

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.