દાન ચોરીના કેસમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીન ચીટ, SITએ ફક્ત 8 લોકોને દોષિત ગણ્યા

SITએ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને રામ મંદિરના દાન ચોરી કેસમાં ક્લીન ચીટ આપી છે.

ઉત્તર પ્રદેશના ગૃહ વિભાગે રામ મંદિરના પ્રસાદ ચોરીના કેસની તપાસ માટે SITની રચના કરી હતી. SITએ તેનો તપાસ અહેવાલ રજૂ કર્યો છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરના ભૂતપૂર્વ મહામંત્રી ચંપત રાય અને ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાને SIT રિપોર્ટમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું નથી.

Ram-Mandir-SIT-Report2
navjivanindia.com

UP ગૃહ વિભાગે રામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસને રિપોર્ટ સુપરત કર્યો હતો. તે 2 સપ્ટેમ્બરના રોજ રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં રજૂ કરવામાં આવશે. ટ્રસ્ટે પોતે ઉત્તર પ્રદેશ સરકારને દાન ચોરીની SIT તપાસ માટે વિનંતી કરી હતી. 13 જૂનના રોજ, UP સરકારે લખનૌના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંતની આગેવાની હેઠળ 3 સભ્યોની SITની રચના કરી હતી. IG રેન્જ કિરણ S અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રતન કુમાર તેના સભ્યો હતા. SIT23 જૂને પોતાનો પ્રારંભિક અહેવાલ રજૂ કર્યો. ત્યારપછી, સુપ્રીમ કોર્ટે SIT તપાસનું નેતૃત્વ IPS અધિકારી દ્વારા કરવા અને નાણાકીય નિષ્ણાતોને સામેલ કરવાનો નિર્દેશ આપ્યો. 20 જુલાઈના રોજ, એક નવી SITની રચના કરવામાં આવી, જેમાં લખનૌ રેન્જ IG કિરણ S, અયોધ્યા DIG સોમેન વર્મા અને અયોધ્યા SSP ગૌરવ ગ્રોવરનો સમાવેશ થાય છે. આ SIT હજુ પણ દાન ચોરીની તપાસ કરી રહી છે.

Ram-Mandir-SIT-Report
hindi.news18.com

SIT રિપોર્ટમાં ચોરીમાં સંડોવાયેલા ફક્ત 8 વ્યક્તિઓના આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રમાશંકર યાદવ ઉર્ફે ટીનુને આરોપી તરીકે જાહેર કર્યા હતા.

Ram-Mandir-SIT-Report5
indiatv.in

અહીં તમને બતાવી દઈએ કે, તપાસ શરૂ થયા પછી ચંપત રાય અને અનિલ મિશ્રાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાજીનામા પછી, ચંપત રાયે અયોધ્યામાં 4 મહિનાનો ચાતુર્માસ ધ્યાન શરૂ કરવાનો નિર્ણય લીધો. તેઓ 21 નવેમ્બર સુધી અયોધ્યામાં રહેશે, રામ મંત્રનો જાપ કરશે અને રામચરિતમાનસનો પાઠ કરશે. તેઓ દરરોજ લગભગ 6 કલાક મૌન રહીને ધ્યાન કરે છે. તેઓ 7 જૂનથી રામકોટ સ્થિત તીર્થ ક્ષેત્ર ભવનમાં એકાંતવાસમાં છે.

બીજી બાજુ, અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મુખ્ય કાર્યકારી અધિકારીના પદ માટેની પસંદગી પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પદ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 3 નામોની અંતિમ પેનલ હવે નક્કી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના બે જાણીતા અધિકારીઓ આ પદ માટે રેસમાં આગળ છે. સૂત્રો સૂચવે છે કે યોગેશ્વર રામ મિશ્રા અને રાજેશ પાંડેના નામો સૌથી વધુ ચર્ચામાં છે.

Ram-Mandir-SIT-Report1
tv9hindi.com

રામ મંદિરના CEO પદ માટેની પસંદગી પ્રક્રિયા લાંબી અને કઠોર રહી છે. શરૂઆતમાં, દેશભરમાંથી 5,585 અરજીઓ મળી હતી. તેમાંથી 3,877 ઉમેદવારોએ તેમના વિગતવાર બાયોડેટા (CV) સબમિટ કર્યા હતા, ત્યારપછી ઇન્ટરવ્યૂ પ્રક્રિયા શરૂ થઈ હતી.

About The Author

Related Posts

Top News

40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

જે રસ્તાને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ આધુનિક સુવિધાઓથી લેસ અને સારા નિર્માણનું ઉદાહરણ ગણાવવામાં આવ્યું હતું, એ જ રસ્તો પાણીની...
National 
40 કરોડના ખર્ચે બનેલો રસ્તો પાણીની પાઇપલાઇનના પરીક્ષણમાં ધસી પડ્યો; ઘટના કેમેરામાં કેદ

શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકેને NDAમાં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું, ...
Politics 
શું અભિજીત દીપકે NDAમાં જોડાશે? કેન્દ્રીયમંત્રી અઠાવલેની ઓફર પર CJP ફાઉન્ડરે આપ્યો જવાબ

PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

તાજેતરના ઓડિટેડ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ મુજબ, PM Cares ફંડ પાસે 2024-25 નાણાકીય વર્ષના અંતે ₹8,452 કરોડની રકમ હતી. નાણાકીય વર્ષ...
National 
PM કેર્સ ફંડનો હિસાબ આવ્યો સામે, ખાતામાં છે 8452 કરોડ, એક વર્ષમાં ખર્ચ થયા 87 લાખ

ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પાર્ટી છોડ્યા પછી દેશની સરકારો પર તીખા પ્રશ્નો પૂછ્યા છે. તેમણે કહ્યું કે ભારતના મધ્યમ...
Politics 
ટેક્સ આપીને મધ્યમ વર્ગને શું મળે છે? ભાજપથી છેડો ફાડ્યા પછી શહેઝાદ પૂનાવાલાએ સરકારને પૂછ્યા સવાલ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.