CM શિંદેના એક MLAની સુરક્ષાનો ખર્ચ 20 લાખ! 35 ધારાસભ્યોને Y+ સુરક્ષા મળીઃ પવાર

મહારાષ્ટ્રની નાગપુર વિધાનસભામાં CM શિંદે- DyCM ફડણવીસ સરકારનું ચાલુ શિયાળુ સત્ર શુક્રવારે સમાપ્ત થયું. આખું સત્ર હોબાળાથી ભરેલું હતું. સત્રના છેલ્લા દિવસે પણ વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવારે CM એકનાથ શિંદે જૂથ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે શિવસેના સામે બળવો કરીને CM શિંદે જૂથમાં સામેલ થયેલા 30 થી 35 ધારાસભ્યોને સરકાર દ્વારા Y+ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. Y પ્લસ સિક્યોરિટી (Y+)ની કિંમત 20 લાખ રૂપિયા પ્રતિ મહિને આવે છે. આખરે આ ધારાસભ્યોને Y પ્લસ સુરક્ષા આપવાની શું જરૂર છે? જે પણ ધારાસભ્યને ખરેખર તેની જરૂર છે તેને આ રક્ષણ મળવું જોઈએ. પછી તે શાસક પક્ષના હોય કે વિપક્ષના ધારાસભ્ય. અજિત પવારે કહ્યું કે, જે રીતે ધારાસભ્ય ભાસ્કર જાધવના ઘરની બહાર બોમ્બ મળ્યો હતો.

આ દર્શાવે છે કે તેનો જીવ જોખમમાં છે. પવારે કહ્યું કે, રાજન સાલ્વીને લઈને તેમણે ગઈકાલે CMને એક પત્ર આપ્યો છે. તે જે વિસ્તારમાં કામ કરે છે ત્યાં તેનો જીવ પણ જોખમમાં છે. આ ઉપરાંત ધર્મરાવબાબા આત્રામ એક જનપ્રતિનિધિ હોવા છતાં તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ વિભાગ દ્વારા સમયસર તેને નક્સલવાદીઓની ચુંગાલમાંથી સુરક્ષિત રીતે બહાર લાવવામાં આવ્યો હતો. એટલા માટે Y+ સિક્યોરિટી આપતી વખતે એ ન જોવું જોઈએ કે તે વ્યક્તિ કયા પક્ષ અને જૂથનો છે. જો મહારાષ્ટ્રના કોઈપણ નાગરિકને તેના જીવનું જોખમ હોય અને તેને સુરક્ષાની જરૂર હોય તો તેને પણ સુરક્ષા આપવી જોઈએ.

અજિત પવારે કટાક્ષ કરતા કહ્યું કે, જે રીતે વિરોધ પક્ષોના નેતાઓની સુરક્ષા દૂર કરવામાં આવી છે. તે બિલકુલ ખોટું છે. જો ખરેખર સુરક્ષાની જરૂર હોય તો તેની સાથે બદલાની રાજનીતિ ન કરવી જોઈએ. અજિત પવાર અહીં જ ન અટક્યા, તેમણે કહ્યું કે, અમે ગૃહમાં CM શિંદે સરકારના ચાર પ્રધાનો સામે ભ્રષ્ટાચારના પુરાવા આપ્યા, પરંતુ એવું લાગે છે કે સરકારે તે તમામને ક્લીનચીટ આપવાનો નિર્ણય કરી લીધો છે.

થોડા મહિના પહેલા મહારાષ્ટ્રની CM એકનાથ શિંદે સરકારે અચાનક 15 વિપક્ષી નેતાઓની સુરક્ષા હટાવી દીધી હતી. જેમાં મોટાભાગના કોંગ્રેસ, NCP અને શિવસેનાના નેતાઓ હતા. ખાસ વાત એ છે કે આ યાદીમાં ઉદ્ધવ ઠાકરેનું નામ પણ હતું, જેમની સુરક્ષામાં ઘટાડો કરવામાં આવ્યો છે. જ્યારે, ઉદ્ધવ ઠાકરેના ખાનગી સચિવ મિલિંદ નાર્વેકરની સુરક્ષા વધારીને Y શ્રેણીની કરવામાં આવી છે. આ યાદીમાં ઉદ્ધવ જૂથના ઘણા નેતાઓ અને પૂર્વ મંત્રીઓ સામેલ છે. જેમની સુરક્ષા હટાવી દેવામાં આવી છે તેમાં NCPના પૂર્વ મંત્રી છગન ભુજબલ, NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલ, NCPના નેતા અને પૂર્વ વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવલ, NCP નેતા અને પૂર્વ મંત્રી ધનંજય મુંડેનો સમાવેશ થાય છે.

ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની સુરક્ષામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ સિવાય કોંગ્રેસ વિધાયક દળના નેતા અને પૂર્વ મંત્રી બાલાસાહેબ થોરાત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નાના પટોલે, કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નીતિન રાઉત, સતેજ પાટીલ, વિજય વડેટ્ટીવાર, સુનીલ કેદારની સુરક્ષા પણ હટાવી દેવામાં આવી છે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.