ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી કથા' પર બનાવેલા વીડિયોમાં ધ્રૂવ રાઠીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) વડે શીખ ગુરુઓ, શહીદ યોદ્ધાઓ અને તેમના પરિવારના સભ્યોનું એનિમેશન બનાવ્યું હતું. તેણે બંદા સિંહ બહાદુરને રોબિન હૂડ તરીકે પણ વર્ણન કર્યું હતું.

શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC) એ આનો વાંધો ઉઠાવ્યો હતો. SGPC ના મહાસચિવ ગુરચરણ સિંહ ગ્રેવાલે કહ્યું હતું કે શીખોને તેમનો ઇતિહાસ જાણવા માટે ધ્રૂવ રાઠીના AI-આધારિત વીડિયોની જરૂર નથી. ધ્રૂવ રાઠીએ શ્રી ગુરુ તેગ બહાદુરજી અને બાબા બંદા સિંહ બહાદુરની શહાદત સાથે સંબંધિત ઘણા મહત્વપૂર્ણ ઐતિહાસિક તથ્યોને તોડી-મોડી રીતે રજૂ કર્યા છે.

02

દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (DSGMC) એ ધ્રૂવ રાઠી સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. DSGMCના ભૂતપૂર્વ પ્રમુખ અને દિલ્હી સરકારના મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ કહ્યું, ધ્રૂવ રાઠીએ શીખ ઇતિહાસ અને ભાવનાઓનું અપમાન કર્યું છે. શ્રી ગુરુ ગોવિંદ સિંહજીને રડતા બાળક તરીકે દર્શાવવા એ શીખ ધર્મની આત્માનું અપમાન છે. તેમની સામે કલમ 295A (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવી) હેઠળ કેસ નોંધવો જોઈએ.

વિવાદ વધતા ધ્રૂવ રાઠીએ એક વીડિયો જાહેર કરીને કહ્યું હતું કેશીખ સમુદાયના લોકો કહે છે કે વીડિયોમાં શીખ ગુરુઓને એનિમેશનમાં દર્શાવવા ખોટું છે. લોકો મને સોશિયલ મીડિયા પર પોતાનો અભિપ્રાય આપી શકે છે. આ પછી હું વીડિયો કાઢી નાખીશ અથવા અન્ય કોઈ કાર્યવાહી કરીશ.

ધ્રૂવ રાઠીએ એક વીડિયો જાહેર કરી કહ્યું- એનિમેશન વીડિયો બનાવવામાં ઘણી મહેનત કરવામાં આવી છે. AI ના કારણે એનિમેશન દ્વારા વાર્તા બતાવવી શક્ય બની. ઘણા લોકોને આ વીડિયો પણ ગમ્યો, પરંતુ શીખ સમુદાયના કેટલાક લોકો માને છે કે શીખ ગુરુઓને એનિમેશન દ્વારા બતાવવા ખોટું છે. ગુરુ ગોવિંદ સિંહજીને આ રીતે બતાવવા યોગ્ય નથી.

ધ્રૂવે સોશિયલ મીડિયા પર એક પોલ મૂક્યો અને શીખ સમુદાયને પૂછ્યું, જો આ તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે, તો શું મારે આ વીડિયો ડિલીટ કરવો જોઈએ? જો હા, તો તમે મને ટિપ્પણીઓમાં કહી શકો છો. જો નહીં તો હું વીડિયોને જેમ છે તેમ રહેવા દઈ શકું છું, અથવા હું કેટલાક ભાગોને બ્લર કરી શકું છું. ફોટો વગર કોઈપણ શીખ ગુરુની વાર્તા પર વીડિયો બનાવવો શક્ય નથી.

ધ્રૂવે કહ્યું, આ એક હિસ્ટ્રી વીડિયો છે, જેમાં ગુરુ ગોવિંદ સિંહજી મુખ્ય પાત્ર છે. જો હું તેમનો ચહેરો બતાવી શકતો નથી, તો આખો વીડિયો ફક્ત એક ભાષણ હશે. લોકો મતદાન પર પોતાનો અભિપ્રાય આપી શકે છે. હું દરેકના અભિપ્રાય જાણ્યા પછી તેના પર કાર્યવાહી કરીશ.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.