2 લાખ રોકડા અને સોનાની ચેઇન લઇને આવ, નહીં તો નોકરાણી બનાવીશું, પરિણીતા પાસે માગ

ઉત્તર પ્રદેશનાના બાંદામાં સાસરિયાઓએ દહેજને લઈને તમામ હદો વટાવી દીધી હતી.નવપરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે 2 લાખ રૂપિયાના વધારાના દહેજની માંગણી પૂરી ન થવાને કારણે તેના પર તેના પતિના મિત્રો સાથે સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, પરિવારના સભ્યો પણ તેની છેડતી કરતા હતા. વિરોધ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે તેને માર મારીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે સાસરિયાઓ કહેતા કે તારા પિયરથી 2 લાખ રૂપિયા રોકડા અને સોનાની ચેઇન લઇને આવ નહીં તો તને નોકરાણીની જેમ રાખીશું.

સાસરિયામાંથી કાઢી મુકાયેલી પરણિતા પોતાના પિયર પહોંચી હતી અને પરિવાર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાસરિયા પક્ષના 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સાસરિયાઓ સામે પોલીસે દહેજ, મારપીટ સહિતની અનેક કલમો હેઠળ કેસ કર્યો છે.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યુ હતું કે તેઓ બબેરુ વિસ્તારના રહેવાસી છે. તેમણે કહ્યું કે મે 2022માં તેમની દીકરીના લગ્ન ચિત્રકુટ જિલ્લામા કર્યા હતા.લગ્ન પછી સાસરિયા દીકરીને દહેજના નામે પરેશાન કરતા હતા.

પીડિતાના પિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે એક વખત જમાઇના કાકા દીકરીના રૂમમાં બદઇરાદાથી પહોંચી ગયા હતા અને અશ્લીલ હરકત કરી હતી. જ્યારે દીકરીએ કાકાનો વિરોધ કર્યો અને બુમરાણ મચાવી તો સાસરીયાઓએ જબરદસ્તીથી ચુપ કરાવી દીધી હતી.

પિતાએ ફરિયાદમાં કહ્યુ હતુ કે, દીકરીનો પતિ બીજા લોકો સાથે સંબંધ બનાવવા માટે દીકરી પર દબાણ કરતો હતો અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતો. આખરે સાસરીયાઓએ દીકરીને માર મારીને ઘરમાંથી કાઢી મુકી છે. પિતાએ સાસરીયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાસરિયાઓએ આ બધા આરોપો ખોટો હોવાનું કહ્યું છે.

આ મામલે બાબેરુના SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે કોતવાલી વિસ્તારના એક વ્યક્તિએ તેની પુત્રીને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરવાની ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે 9 સાસરીયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, છેડતી, મારપીટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે

જમાનો ભલે આગળ આવી ગયો, પરંતુ આજે પણ દેશમાં દહેજના નામે દીકરીઓને પરેશાન કરવાનું ચાલું જ છે. પિતાની ક્ષમતા ન હોવા છતા સાસરીયઓની માંગ ઘટતી નથી હોતી. અમુક જગ્યાઓ પર તો કાર, ફલેટ જેવી માંગ કરવામાં આવે છે.

About The Author

Top News

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
Business 
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ

સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Gujarat 
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.