2 લાખ રોકડા અને સોનાની ચેઇન લઇને આવ, નહીં તો નોકરાણી બનાવીશું, પરિણીતા પાસે માગ

ઉત્તર પ્રદેશનાના બાંદામાં સાસરિયાઓએ દહેજને લઈને તમામ હદો વટાવી દીધી હતી.નવપરિણીત મહિલાએ આરોપ લગાવ્યો છે કે 2 લાખ રૂપિયાના વધારાના દહેજની માંગણી પૂરી ન થવાને કારણે તેના પર તેના પતિના મિત્રો સાથે સંબંધ બાંધવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આટલું જ નહીં, પરિવારના સભ્યો પણ તેની છેડતી કરતા હતા. વિરોધ કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે તેને માર મારીને ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી. પીડિતાનો આરોપ છે કે સાસરિયાઓ કહેતા કે તારા પિયરથી 2 લાખ રૂપિયા રોકડા અને સોનાની ચેઇન લઇને આવ નહીં તો તને નોકરાણીની જેમ રાખીશું.

સાસરિયામાંથી કાઢી મુકાયેલી પરણિતા પોતાના પિયર પહોંચી હતી અને પરિવાર સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાસરિયા પક્ષના 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સાસરિયાઓ સામે પોલીસે દહેજ, મારપીટ સહિતની અનેક કલમો હેઠળ કેસ કર્યો છે.

પીડિતાના પિતાએ પોલીસને કહ્યુ હતું કે તેઓ બબેરુ વિસ્તારના રહેવાસી છે. તેમણે કહ્યું કે મે 2022માં તેમની દીકરીના લગ્ન ચિત્રકુટ જિલ્લામા કર્યા હતા.લગ્ન પછી સાસરિયા દીકરીને દહેજના નામે પરેશાન કરતા હતા.

પીડિતાના પિતાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે એક વખત જમાઇના કાકા દીકરીના રૂમમાં બદઇરાદાથી પહોંચી ગયા હતા અને અશ્લીલ હરકત કરી હતી. જ્યારે દીકરીએ કાકાનો વિરોધ કર્યો અને બુમરાણ મચાવી તો સાસરીયાઓએ જબરદસ્તીથી ચુપ કરાવી દીધી હતી.

પિતાએ ફરિયાદમાં કહ્યુ હતુ કે, દીકરીનો પતિ બીજા લોકો સાથે સંબંધ બનાવવા માટે દીકરી પર દબાણ કરતો હતો અને સાથે જાનથી મારી નાખવાની ધમકી આપતો. આખરે સાસરીયાઓએ દીકરીને માર મારીને ઘરમાંથી કાઢી મુકી છે. પિતાએ સાસરીયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.સાસરિયાઓએ આ બધા આરોપો ખોટો હોવાનું કહ્યું છે.

આ મામલે બાબેરુના SHO પંકજ કુમાર સિંહે જણાવ્યું કે કોતવાલી વિસ્તારના એક વ્યક્તિએ તેની પુત્રીને તેના સાસરિયાઓ દ્વારા હેરાન કરવાની ફરિયાદ કરી છે. ફરિયાદના આધારે 9 સાસરીયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, છેડતી, મારપીટ અને ધમકીની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે

જમાનો ભલે આગળ આવી ગયો, પરંતુ આજે પણ દેશમાં દહેજના નામે દીકરીઓને પરેશાન કરવાનું ચાલું જ છે. પિતાની ક્ષમતા ન હોવા છતા સાસરીયઓની માંગ ઘટતી નથી હોતી. અમુક જગ્યાઓ પર તો કાર, ફલેટ જેવી માંગ કરવામાં આવે છે.

Top News

RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ શુક્રવારે જણાવ્યું હતું કે, 30મી તારીખે પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી...
Business 
RBI ગવર્નરએ જણાવ્યું દેશ પાસે કેટલો વિદેશી ખજાનો છે

મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
Politics 
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન

DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેનો સામાન્ય માણસ (કોમન મેન) અવતાર ફરી એકવાર સામે આવ્યો છે. એક સમયે ઓટો રિક્ષા ચલાવનારા DyCM ...
National 
DyCM શિંદે મોડા આવ્યા, તો પાયલટે કહી દીધું ડ્યુટી સમય પૂરો થઈ ગયો છે

રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ X પર પોસ્ટ કર્યા પછી કે મહારાષ્ટ્રમાં નવેમ્બર 2024ની ચૂંટણીમાં 'ગડબડ' ...
National 
રાહુલે કરેલા 'મહારાષ્ટ્ર ચૂંટણી ફિક્સિંગ'ના આરોપોનો ચૂંટણી પંચે 4 મુદ્દાથી આપ્યો જવાબ
Copyright (c) Khabarchhe All Rights Reserved.