'ડૉક્ટરો ગભરાટમાં એકબીજા સામે જોઈ રહ્યા હતા', પુત્રએ પિતાના મોત પર ઉઠાવ્યા સવાલ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પંજાબના જલંધર પહોંચી ત્યારે જલંધરના સાંસદ સંતોખ સિંહ ચૌધરીને હાર્ટ એટેક આવ્યો અને તેમનું નિધન થયું. તેમના મૃત્યુ બાદ ફિલૌરના ધારાસભ્ય અને સંતોખ સિંહના પુત્ર વિક્રમજીત ચૌધરીએ મોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું કે, જ્યારે એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેના પિતા પમ્પિંગ પર શ્વાસ લઈ રહ્યા હતા. ત્યારે ત્યાં હાજર ડોકટરોએ અમને કહ્યું, 'બાજુ પર હટી જાઓ, અમે જાણીએ છીએ કે તે કેવી રીતે કરવું'. તેની પાસે કોઈ ઈમરજન્સી શોક સાધનો પણ ન હતા. ત્યાંના ડોકટરો ગભરાટમાં હતા. પુત્રએ જણાવ્યું કે, તેના જીવનમાં તેમણે એક માત્ર મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું.

એટલું જ નહીં વિક્રમજીત ચૌધરીની સાથે વિપક્ષી પાર્ટીઓએ પણ આ માટે આમ આદમી પાર્ટી (AAP)ને જવાબદાર ગણાવી છે. ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે, સારવારમાં બેદરકારી થઈ છે અને આ માટે આમ આદમી પાર્ટી (AAP) જવાબદાર છે. તેમણે કહ્યું કે, જો ચૌધરી સંતોખ સિંહને સમયસર તબીબી સહાય મળી હોત તો તેમને બચાવી શકાયા હોત. રાહુલ ગાંધીને અનુસરતી એમ્બ્યુલન્સમાં યોગ્ય વ્યવસ્થા નહોતી અને આની સીધી જવાબદારી આમ આદમી પાર્ટી (AAP) કે પંજાબના CM ભગવંત માનની છે.

BJPના નેતા મનોરંજન કાલિયાએ કહ્યું કે, ઓછામાં ઓછા VIP માટે યોગ્ય વ્યવસ્થા થવી જોઈતી હતી. જ્યાં સુવા માટેની જગ્યા હતી ત્યાં સામાન પડેલો હતો અને ડોક્ટરો ગભરાટમાં એકબીજા સામે જોઈ રહ્યા હતા. તેનો મતલબ એ છે કે, તે એવા ડોકટરો ન હતા જે આવી ઇમરજન્સી માટે તૈયાર હોય. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું કહીશ કે સરકારે આ માટે જવાબદારી નક્કી કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જે એમ્બ્યુલન્સ યાત્રા સાથે ચાલી રહી હતી, તેમાં તમામ વ્યવસ્થા હોવી જોઈતી હતી. એમાં ડૉક્ટર પોતે ઈમરજન્સી માટે તૈયાર નહોતા. તે ખૂબ જ દુઃખની વાત છે, શરમજનક બાબત છે. આ આમ આદમી પાર્ટી (AAP) પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.

જ્યારે સૂત્રોએ એમ્બ્યુલન્સમાં થયેલી ભૂલ પછી, જલંધરના સિવિલ સર્જન ડૉ. રમણ શર્મા સાથે વાત કરી, તો તેમણે કહ્યું કે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવામાં નથી આવી કમનસીબે સાંસદને બચાવી શક્યા નહીં. તેમણે કહ્યું કે, જ્યારે સાડા આઠ વાગ્યે હુમલો થયો ત્યારે તેમણે તેની આખી ટીમ સાથે વાત કરી હતી. એમ્બ્યુલન્સમાં ડોકટરોએ તેને પ્રોટોકોલ મુજબ જે સારવાર આપવી જોઈતી હતી તે આપી. જેમ જેમ CPR કરવામાં આવ્યું તેમ કોર્ડિંગ મસાજ કરવામાં આવ્યું અને ઓક્સિજન આપવામાં આવ્યું. આ સાથે શોક (ફટકો) પણ બે વખત લગાવવામાં આવ્યો હતો. ડૉક્ટરે મને કહ્યું કે, તેના સંબંધીને પણ તેની પીઠ પાછળ હાથ રાખવાનું કહેવામાં આવ્યું હતું જેથી, તેને સ્પર્શ કરવાથી વીજ કરંટ ન લાગે. અમે શોક આપીએ ત્યારે કરંટ આવતો હતો. તેમને 5 મિનિટમાં બે વાર શોક આપવામાં આવ્યો અને તે જ ડોક્ટર તેમને હોસ્પિટલની અંદર લઈ ગયા અને સાથે ડોક્ટરોની પુરી મદદ પણ કરી. પરંતુ સંસદ બચી શક્યા ન હતા. એવી કોઈ વાત નથી કે તેમની તરફ પૂરતું ધ્યાન આપવામાં નથી આવ્યું.

તેમણે કહ્યું કે, એમ્બ્યુલન્સની સ્થિતિ એકદમ સારી છે, તે એકદમ નવી એમ્બ્યુલન્સ છે અને તમામ નિષ્ણાતોની ટીમ તેમાં સાથે હતી. કારમાં મેડિકલ સ્પેશિયાલિસ્ટ, ઓર્થો સ્પેશિયાલિસ્ટ હતા. તેઓ બધા લાયક અને અનુભવી ડોકટરો છે. એવું નથી કે કોઈ શિખાઉ ડૉક્ટરને બેસાડવામાં આવ્યા હોય. આ એક કમનસીબી છે કે, સાંસદનો જીવ બચાવી ન શકાયો.

ધારાસભ્ય પુત્ર અને BJPના આરોપો બાદ પંજાબની આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર સવાલ ઉભા થયા છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.