‘નકલ કરવા માટે પણ અક્કલની જરૂર પડે…’, ઓવૈસીએ પાકિસ્તાન આર્મી ચીફને મૂર્ખ જોકર કહ્યા

ફિલ્ડ માર્શલ તરીકે નિયુક્ત થયા પછી PM શાહબાઝ શરીફને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે એક ફોટોગ્રાફ ભેટમાં આપ્યો હતો. આ પછી, પાકિસ્તાન આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની દરેક જગ્યાએ મજાક ઉડાવવામાં આવી રહી છે. આ અંગે AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, તેની નકલ કરવા માટે પણ અક્કલની જરૂર પડે છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, પાકિસ્તાન જે કંઈ કહી રહ્યું છે તે પણ બિલકુલ ગંભીરતાથી ન લેવું જોઈએ, એક ચપટી મીઠું હાથમાં લઈને પણ નહીં.

Asaduddin-Owaisi1
aajtak.in

કુવૈતમાં ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરતી વખતે ઓવૈસીએ કહ્યું, 'ગઈકાલે પાકિસ્તાની આર્મી ચીફે પાકિસ્તાની PM શાહબાઝ શરીફને એક ફોટો આપ્યો હતો. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ત્યાં હાજર હતા અને રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ પણ ત્યાં હતા. આ મૂર્ખ મજાકિયાઓ ભારત સાથે સ્પર્ધા કરવા માંગે છે. તેમણે 2019ના ચીની સૈન્ય કવાયતનો ફોટો આપ્યો અને દાવો કર્યો કે તે ભારત પર વિજયનો ફોટો છે.'

AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, 'આપણે બાળપણમાં શાળામાં આવું સાંભળતા હતા, ઘણીવાર શાળામાં એવું બનતું હતું કે હું સારું ભણતા બાળકની બાજુમાં જઈને બેસતો હતો. તો નકલ કરવા માટે પણ અક્કલની જરૂર પડે છે. આ નાલાયક લોકો પાસે અક્કલ પણ નથી. તમે પોતે કલ્પના કરી શકો છો કે, તમારા પોતાના દેશના PM, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય સભાના અધ્યક્ષ ત્યાં હાજર છે. તમારા કહેવાતા ફિલ્ડ માર્શલ પણ ત્યાં હતા. તે ચીની કવાયતનો ફોટો આપી રહ્યો છે. પાકિસ્તાન જે કંઈ પણ કહી રહ્યું છે, તેને ચપટી મીઠું સાથે પણ સાચું ન માનો.'

Asaduddin-Owaisi3
x.com

અસદુદ્દીન ઓવૈસી એ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનો ભાગ છે, જે પહેલગામ હુમલા પછી પાકિસ્તાનનો અસલી ચહેરો ઉજાગર કરવા માટે વિદેશ પ્રવાસ પર છે. આ પહેલા તે બહેરીન પણ પહોંચી ગયા હતા. અહીં પણ તેમણે પાકિસ્તાન પર જોરદાર હુમલો કર્યો હતો. ઓવૈસીએ કહ્યું હતું કે, 'અમારી સરકારે અમને અહીં એટલા માટે મોકલ્યા છે કે, દુનિયાને ખબર પડે કે છેલ્લા ઘણા વર્ષોથી ભારત કયા ખતરાનો સામનો કરી રહ્યું છે. અમે ઘણા નિર્દોષ લોકોના જીવ ગુમાવ્યા છે. આ બધી સમસ્યાઓ પાકિસ્તાનમાંથી જ ઉદ્ભવે છે.'

Asaduddin-Owaisi2
jagran.com

અહીં તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તે સમયે વધારે બગડ્યા જ્યારે પડોશી દેશે 22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં  હુમલો કર્યો. આમાં લગભગ 26 નિર્દોષ લોકો માર્યા ગયા. જવાબમાં, ભારતે 7 અને 8 મેની રાત્રે પાકિસ્તાન વિરુદ્ધ 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યું અને ત્યાં આ કાર્યવાહીમાં, પાકિસ્તાનમાં આશ્રય લઈ રહેલા 100થી વધુ આતંકવાદીઓને માર્યા ગયા.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.