8 કરોડની જમીન, નકલી દસ્તાવેજ, નકલી લગ્ન અને... પૂર્વ ધારાસભ્યની ATSએ કરી ધરપકડ

તમે મોટા ભાગે ફિલ્મોમાં એવી કહાનીઓ જોઈ હશે, જ્યાં લાલચના ચક્કરમાં ષડયંત્ર રચવામાં આવે છે અને પછી ઘટનાને અંજામ આપવામાં આવે છે. એવી જ એક ફિલ્મો સાથે હળતી-મળતી રિયલ સ્ટોરી અમે તમને બતાવી રહ્યા છીએ, જ્યાં એક પૂર્વ ધારાસભ્ય પર પોતાના સાથીઓ સાથે મળીને એવું ષડયંત્ર રચવાનો આરોપ છે, જ્યાં 8 કરોડની જમીન માટે ન માત્ર નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યા, પરંતુ નકલી લગ્ન પણ કરાવવામાં આવ્યા અને પછી એ વ્યક્તિની કથિત હત્યા પણ કરાવી દીધી.

આ કેસમાં UP ATSએ પૂર્વ ધારાસભ્ય પવન પાંડેની શુક્રવારે ધરપકડ કરી છે. આ કેસ ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની છે જે 3 વર્ષ જૂનો છે. ઓક્ટોબર 2020માં નાસિરપૂર્ણ રહેવાસી અજય સિંહનું રોડ અકસ્માતના મોત થઈ જાય છે. એક્સિડેન્ટના 2 કલાક અગાઉ જ અજયના લગ્ન નીતૂ સિંહ સાથે થયા હતા. અજય સિંહની માતા ચંપા દેવી તરફથી નોંધાવવામાં આવેલી FIR ઘણી હેરાન કરનારી વાતો લખવામાં આવી છે. એ મુજબ પીડિતાના દીકરા અજય સિંહ સાથે બારાબંકીના સફેદાબાદ આર્ય સમાજ મંદિરમાં લગ્નનું નકલી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું અને પછી 2 કલાકની અંદર જ અજયનું શંકાસ્પદ પરિસ્થિતિમાં અકસ્માત કરાવી દેવામાં આવ્યો, જેમાં તેનું મોત થઈ ગયું.

5 જૂન 2022ના રોજ આંબેડકરનગરના અકબરપુર પોલીસ સ્ટેશનની ચંપા દેવીએ શિવસેનાના પૂર્વ ધારાસભ્ય પવન પાંડે, મુકેશ તિવારી, ગોવિંદ યાદવ સહિત 12 લોકો વિરુદ્ધ છેતરપિંડીની FIR નોંધાવવામાં આવી. તેમાં તેમણે જે આરોપ લગાવ્યા છે તે ગંભીર અને હેરાન કરી દેનારા છે. આરોપ લગાવામાં આવ્યો કે, અકબરપુર બસખારી નેશનલ હાઇવે પર સ્થિત તેમની 8 કરોડની કિંમતી જમીનને પચાવી પડવા માટે પવન પાંડે અને તેના સાથીઓએ મળીને પીડિતાના દીકરાની પત્નીના રૂપમાં નીતૂનું નામ નોંધાવ્યું અને જેમાં બારાબંકીથી બનાવવામાં આવેલું આર્ય સમાજ મંદિરના નકલી પ્રમાણપત્ર તૈયાર કરાવવામાં આવ્યું.

FIR મુજબ, ઑગસ્ટ 2020ના રોજ પીડિતાના દીકરાને નશાનો આદી બતાવીને પવન પાંડેએ તેમની કિંમતી જમીન 20 લાખ રૂપિયામાં પોતાના નજીકના મુકેશ તિવારીના નામે લખાવી લીધી. એટલું જ નહીં પવન પાંડેએ આંબેડકર નગર નગરપાલિકાના સર્વે અધિકારીઓને પણ પોતાની સાથે લઈ લીધો અને પછી આજમગઢની રહેનારી નીતૂ સિંહ નામની યુવતી સાથે મળીને મારા દીકરાનું નકલી પ્રમાણપત્ર બનાવડાવ્યું અને નીતૂના નામ અમારા પરિવાર રજીસ્ટરમાં નોંધાવવા માટે પણ અરજી આપી દીધી. તેમાં આગળ લખવામાં આવ્યું છે કે અજય સિંહ પાસે બારાબંકીના સફેદાબાદ આર્ય સમાજ મંદિરમાં લગ્નનું નકલી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું.

લગ્નના 2 કલાક બાદ તેના દીકરાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં અકસ્માત કરાવવામાં આવ્યું. અજયના મોત બાદ આખી જમીન નીતૂ સિંહના નામ પર થવાની હતી. અજય સિંહની પીડિત માતાના આરોપો મુજબ 8 કરોડની જમીન 20 કરોડમાં નકલી દસ્તાવેજોના સહારે પચાવી પાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું. બનાવટી અને છેતરપિંડીના કેસ નોંધવાનારી પીડિતા અજય સિંહની માતાએ અહી સુધી કહ્યું કે, જો તેને તેની બંને દીકરીઓ અને જમાઈને કંઇ થઈ જશે તો તેના માટે પવન પાંડે અને તેમના સાથી જ જવાબદાર હશે.અકબરપુરમાં નોંધાયેલા કેસની તપાસ હાઇકોર્ટના આદેશ પર UP ATSએ શરૂ કરી હતી અને ત્યારબાદ UP ATSએ પવન પાંડેની ધરપકડ કરી છે.

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.