પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23 મે)ના રોજ વિજિલન્સ ટીમે જાલંધર સ્થિત તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. રમણ અરોરા પર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા લોકોને નોટિસ મોકલવાનો અને પછી પૈસા લઈને તે નોટિસ રદ કરાવવાનો આરોપ છે.

હકીકતમાં, તાજેતરમાં પંજાબ પોલીસે ધારાસભ્ય રમણ અરોરાની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, ત્યારપછી એવું માનવામાં આવતું હતું કે અરોરા સરકારના રડાર પર હતા. શુક્રવારે, વિજિલન્સ ટીમે તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

Raman Arora
livehindustan.com

રમણ અરોરા જાલંધરમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓમાંના એક છે. 2022ની ચૂંટણીમાં, રમણ અરોરા જાલંધર સેન્ટ્રલ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જલંધર મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ સહાયક નગર નિયોજક સુખદેવ વશિષ્ઠ સાથે સંબંધિત ભ્રષ્ટાચાર કેસમાં અરોરા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુખદેવની ગયા અઠવાડિયે ધરપકડ કરવામાં આવી હતી. અને હવે, કથિત રીતે તેમના દ્વારા, રમણ અરોરાના ભ્રષ્ટાચારના ખેલનો પર્દાફાશ થયો છે.

શુક્રવારે પંજાબ વિજિલન્સ બ્યુરોએ તેમની ધરપકડ કરી હતી, જ્યારે તેઓ એક મંદિરમાં પૂજા કરવા ગયા હતા. સૂત્રો કહે છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર સાથેના તેમના સંબંધો બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. એવો આરોપ છે કે, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર સુખદેવ વશિષ્ઠ સાથે મળીને તે પૈસા પણ વસૂલતો હતો. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુખદેવ વશિષ્ઠને આ કામ માટે અમન અરોરા દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે સુખદેવ વશિષ્ઠ દ્વારા લોકોના નામે નકલી નોટિસ મોકલાવતો હતો અને પછી તેમની પાસેથી પૈસા વસૂલતો હતો.

Raman Arora
bhaskar.com

બીજી તરફ, રમણ અરોરા સામેની વિજિલન્સ કાર્યવાહી અંગે, આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે ભલે તે અમારો માણસ હોય કે બીજા કોઈનો, જો કોઈએ ભ્રષ્ટાચાર કર્યો હશે, તો તેને માફી આપવામાં આવશે નહીં. ભગવંત સરકારના મંત્રી હરપાલ ચીમાએ જણાવ્યું હતું કે, 'ધારાસભ્ય વિરુદ્ધ ઘણી ફરિયાદો મળી હતી અને તે ફરિયાદોના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે.'

તેમણે વધુમાં કહ્યું, 'આમ આદમી પાર્ટીનો જન્મ જ ભ્રષ્ટાચાર વિરુદ્ધના જન આંદોલનમાંથી થયો હતો. રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને CM ભગવંત માનએ ખાસ સૂચના આપી છે કે, ભ્રષ્ટાચારમાં કોઈને પણ છોડવામાં ન આવે.'

Raman Arora
bhaskar.com

એક સમાચાર એજન્સી અનુસાર, 54 વર્ષીય રમણ અરોરા જાલંધર સેન્ટ્રલ વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય છે અને તેમને AAP સરકારમાં એક મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે. તાજેતરમાં રાજ્ય સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી હતી, ત્યારપછી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, તેમને આ નિર્ણય વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. રમણ અરોરા પાસે અગાઉ 14 બંદૂકધારીઓની સુરક્ષા ટીમ હતી.

About The Author

Top News

હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

આ સાંભળીને તમને નવાઈ લાગી હશે, પણ આ વાત સાચી છે, જો તમે ગધેડા કે ઘોડા ઉછેરવાનું શરૂ...
Agriculture 
હવે સરકાર ગધેડા ઉછેરવા માટે 50 લાખ રૂપિયા આપશે, જાણી લો તેનો લાભ કેવી રીતે લેવો

મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

જો તમે સવારથી સાંજ સુધી WhatsApp પર સંદેશા અને વીડિયોઝ મોકલી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ...
Tech and Auto 
મફત ચેટિંગ કરવાના દિવસો પૂરા? WhatsApp લાવી રહ્યું છે પ્રીમિયમ પ્લાન

ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

US અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. એકબીજાના...
Tech and Auto 
ઈરાન પર US-ઈઝરાયલનો સાયબર હુમલો, લોકપ્રિય એપ પણ હેક

ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈનું મૃત્યુ થયું . આ...
World 
ખામેનેઈની હત્યા પછી ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બ્લોક કરતા વૈશ્વિક તેલ પુરવઠો જોખમમાં

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.