શું છે અમૃત કાળ, બજેટ ભાષણમાં નાણા મંત્રીએ શા માટે કર્યો તેનો ઉપયોગ?

નાણાકીય વર્ષ 2023-24 માટે ફાયનાન્સિયલ મિનિસ્ટર નિર્મલા સીતારમન સંસદમાં ભાષણ આપી રહ્યા છે. આ બજેટ સ્પીચમાં તેમણે ઘણા વર્ગ માટે આવનારા વર્ષોમાં કરવામાં આવનારા કામો વિશે માહિતી આપી છે. આ સાથે જ એક શબ્દ અમૃત કાળની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. શું તમે જાણો છો કે આખરે બજેટ ભાષણમાં જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અમૃત કાળ આખરે શું છે? તેનો શો મતલબ છે? આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ શબ્દનો ઉપયોગ કરી ચુક્યા છે. તો તમે પણ જાણી લો કે આ અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દનો ઉપયોગ ક્યારે કર્યો હતો અને એ પણ જાણી લો કે આ શબ્દની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ શબ્દનો ઉપયોગ 75માં સ્વતંત્રતા દિવસ સમારોહમાં કર્યો હતો. તે સમયે જ તેમણે 25 વર્ષો માટે દેશ માટે નવો રોડમેપ જાહેર કર્યો હતો. એ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અમૃત કાળનો ઉદ્દેશ્ય ભારતના નાગરિકોના જીવનમાં સુધાર કરવાનો છે. અહીંના ગામડાંઓ અને શહેરોની વચ્ચે જે વિભાજન છે, તેને દૂર કરવાનું છે અને લોકોના જીવનમાં સરકારના હસ્તક્ષેપને ઓછું કરવાનું છે. આ ઉપરાંત, નવી નવી ટેકનોલોજીનું સ્વાગત કરવાનું છે.

તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, અહીંથી આવનારા 25 વર્ષની યાત્રા, નવા ભારતનો અમૃત કાળ છે. આ અમૃત કાળ આપણા સંકલ્પોની પૂર્તિ કરશે અને આપણને આઝાદીના 100 વર્ષો સુધી લઈ જશે, ભારતે ઝડપથી પ્રગતિ કરી છે, એવામાં વિકાસની સંતૃપ્તિ થવી જોઈએ અને દરેક ગામમાં રસ્તાઓ હોવા જોઈએ. આ ઉપરાંત, તમામ પરિવારો પાસે બેંક ખાતુ હોય અને દરેક પાત્રતા ધરાવતા વ્યક્તિ પાસે સ્વાસ્થ્ય વીમા કાર્ડ અને ગેસ કનેક્શન હોવું જોઈએ.

અમૃત કાળ શબ્દ ખૂબ જ પ્રાચીન શબ્દ છે. તેની ઉત્પત્તિ વૈદિક જ્યોતિષથી માનવામાં આવે છે. અમૃત કાળનો મતલબ થાય છે કે, જ્યારે અમાનવીય, દેવદૂતો અને મનુષ્યો માટે વધુમાં વધુ સુખના દ્વાર ખૂલે છે. નવું કાર્ય શરૂ કરવા માટે અમૃત કાળને સૌથી શ્રેષ્ઠ અને સૌથી શુભ મુહૂર્ત માનવામાં આવે છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.