પૂર્વ CJI DY ચંદ્રચુડને ઘર શોધવામાં પડી રહી છે મુશ્કેલી, તેમણે તેનું કારણ પણ જણાવ્યું

ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) DY ચંદ્રચુડે કહ્યું છે કે, તેમને તેમની બે અપંગ પુત્રીઓ માટે દિલ્હીમાં ઘર શોધવામાં મુશ્કેલી પડી રહી છે. હકીકતમાં, તેઓ એવું ઘર ઇચ્છે છે જે તેમની દીકરીઓની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ હોય. ભૂતપૂર્વ CJI 30 એપ્રિલ સુધીમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરી દેશે. પરંતુ આ પહેલાં, તેમને તેમની પુત્રીઓ માટે યોગ્ય જગ્યા મળી નથી.

DY Chandrachud
ndtv.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ CJI ચંદ્રચુડે 'મિશન એક્સેસિબિલિટી'ના કાર્યક્રમ 'ડિસેબિલિટી રાઇટ્સ એન્ડ બિયોન્ડ' પર એક પેનલ ચર્ચા દરમિયાન આ વાત કહી હતી. તેમણે કહ્યું કે, 'અમારી બે સુંદર દીકરીઓ છે, જેમને જરૂરિયાતો છે, પરંતુ તેમની જરૂરિયાતો પૂરી થઇ શકે તેવું ઘર શોધવું મુશ્કેલ થઇ રહ્યું છે. દરેક જાહેર જગ્યા એક જ પ્રકારની છે. ઘણા લાંબા સમયથી, આપણા સમાજે અપંગ લોકોને અજ્ઞાન અને જુલમના પડદા હેઠળ રાખ્યા છે.'

ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડ અને તેમની પત્ની કલ્પના દાસે બે પુત્રીઓ, પ્રિયંકા અને માહીને દત્તક લીધી છે. બંનેને 'નેમાલાઇન માયોપેથી' નામનો રોગ છે. ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડે જણાવ્યું કે, જ્યારે તેમણે આ બે દીકરીઓને દત્તક લીધી ત્યારે તેઓ ખૂબ જ નબળી હતી. તેમણે કહ્યું, 'અમે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. મારી મોટી દીકરી તેની નાની બહેન વિશે ખૂબ ચિંતિત હતી.' ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડ કહે છે કે, આમ હોવા છતાં, તેમની પુત્રીઓએ તેમના જીવનને એક નવી દિશા આપી અને પરિવારને શાકાહારી ખોરાક અને પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા શીખવી.

DY Chandrachud
ndtv-com.translate.goog

સુપ્રીમ કોર્ટના વડા રહી ચૂકેલા જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટમાં 'મિટ્ટી કાફે' શરૂ કર્યું હતું. આ દિવ્યાંગો માટે એક ખાસ કાફે છે, જ્યાં તેઓ કામ કરે છે. આ પહેલને જોઈને રાષ્ટ્રપતિ ભવનમાં પણ 'મિટ્ટી કાફે' શરૂ કરવામાં આવ્યું.

ભૂતપૂર્વ CJI DY ચંદ્રચુડે એમ પણ કહ્યું કે, અપંગ વ્યક્તિઓને લગતા કેસોનો કોર્ટમાં ઝડપથી ઉકેલ લાવવો જોઈએ અને આ કેસો પ્રત્યે સહાનુભૂતિપૂર્ણ અદાલતોની જરૂર છે.

About The Author

Related Posts

Top News

બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની...
National 
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.