'કેસરી 2' માટે અક્ષય કુમારે કેટલી લીધી ફી? 100 કે 145 કરોડ! જાણો શું છે સત્ય

અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' હવે સિનેમાઘરોમાં આવી ચૂકી છે. આ ફિલ્મની કહાની જલિયાંવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર આધારિત છે અને અક્ષય તેમાં શંકરન નાયરનું પાત્ર ભજવી રહ્યો છે. અક્ષય કુમારને ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ફિસ લેનારા એકટર્સમાથી એક માનવામાં આવે છે. શું તેણે આ ફિલ્મ માટે પણ મોટી ફી લીધી છે? ચાલો જાણીએ.

kesari-chapter-23
hindustantimes.com

 

ફોર્બ્સના રિપોર્ટ મુજબ, અક્ષય કુમાર પ્રતિ ફિલ્મ 60 કરોડ રૂપિયાથી 145 કરોડ રૂપિયા સુધીનો ચાર્જ લે છે અને એવું માનવામાં આવે છે કે તેણે 'કેસરી 2' માટે પણ આજ રેન્જમાં ફીસ લીધી છે. પરંતુ તે ફિલ્મના સ્કેલ પર નિર્ભર કરે છે. ગયા વર્ષે હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેની વાતચીતમાં, એક્ટરે સ્વીકાર્યું હતું કે તે હવે સેલેરી નથી લેતો, પરંતુ પોતાની ફિલ્મોમાં પ્રોફિટ શેર લે છે. તેણે કહ્યું હતું કે, ‘હું મોટાભાગની વાતો સાથે સહમત છું. જો અમે આજે કોઈ ફિલ્મ સાઈન કરીએ છીએ, તો અમે માત્ર એક હિસ્સો લઈએ છીએ. જો ફિલ્મ ચાલે છે, તો અમને પ્રોફિટમાં હિસ્સો મળે છે, પરંતુ નથી ચાલતી તો અમને કોઈ પૈસા મળતા નથી.

kesari-chapter-2
boxofficeworldwide.com

 

તેનું આ નિવેદનને જોતા એ સંભાવ છે કે અક્ષય કુમારે 'કેસરી 2' માટે પણ નિશ્ચિત ફીસ લેવાની જગ્યાએ પ્રોફિટ વિકલ્પ પસંદ કર્યો હોય, પરંતુ એક્ટરે અત્યાર સુધી તેની પુષ્ટિ કરી નથી. રિપોર્ટ્સ મુજબ, અક્ષય કુમારે તેની છેલ્લી રીલિઝ ફિલ્મ 'સ્કાય ફોર્સ' માટે લગભગ 70 કરોડ રૂપિયાનો ચાર્જ લીધો હતો. ગયા વર્ષે એપ્રિલમાં, ફાઇનાન્સિયલ એક્સપ્રેસે પણ એક્ટરની ફી બાબતે વાત કરી હતી અને કહ્યું હતું હતું કે અક્ષયને 'બડે મિયાં છોટે મિયાં'માં મુખ્ય ભૂમિકા ભજવવા માટે 80 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

kesari-chapter-21
hindi.news18.com

 

જલિયાંવાલા બાગ હત્યાકાંડની પૃષ્ઠભૂમિ પર આધારિત અક્ષય કુમારની ફિલ્મ 'કેસરી ચેપ્ટર 2' રીલિઝ થઈ ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, અક્ષય કુમાર સામાન્ય રીતે પ્રતિ ફિલ્મ 60 કરોડથી 145 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, પરંતુ ગયા વર્ષે તેણે કહ્યું હતું કે તે હવે પ્રોફિટ શેરિંગને પ્રાથમિકતા આપે છે. એવું માનવામાં આવે છે કે તેણે 'કેસરી 2' માટે પણ આમ કર્યું છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે એક્ટર આર. માધવન અને અનન્યા પાંડે પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.