મેસ્સી ઇવેન્ટ વિવાદમાં સરકારની પીછેહટ, બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે રાજીનામું આપ્યું, CM મમતા બેનર્જીને પત્ર લખ્યો

13 ડિસેમ્બરે, વિશ્વ વિખ્યાત ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીએ GOAT ઇન્ડિયા ટૂર 2025 માટે પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમનો કાર્યક્રમ રાજ્યની રાજધાની કોલકાતાના સોલ્ટ લેક સ્ટેડિયમમાં યોજાયો હતો. જોકે, આ કાર્યક્રમમાં ભારે અરાજકતા ફેલાઈ ગઈ હતી, જેના કારણે પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય વિવાદ થયો હતો.

પશ્ચિમ બંગાળના રમતગમત મંત્રી અરૂપ બિશ્વાસે CM મમતા બેનર્જીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. CM મમતા બેનર્જીએ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. તેમણે હાથેથી લખેલી નોંધમાં CM મમતા બેનર્જીને જાણ કરી હતી કે, તેઓ રાજીનામું આપી રહ્યા છે, જેથી આ મામલાની નિષ્પક્ષ તપાસ થઈ શકે.

Arup Biswas Resign
livehindustan.com

સૂત્રો અનુસાર, સોમવારે ગંગાસાગર મેળાની સમીક્ષા બેઠક દરમિયાન, CM મમતા બેનર્જીએ મેસ્સી ઇવેન્ટ દરમિયાન થયેલી અરાજકતા અને હંગામા માટે અધિકારીઓ અને નેતાઓને ઠપકો આપ્યો હતો.

CM મમતા બેનર્જીએ સીધા રમતગમત મંત્રી અરૂપને પૂછ્યું કે શું તેઓ આ ઘટનાની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. જો તેઓ જવાબદારી નથી લઈ શકતા, તો તેમણે પદ છોડી દેવું જોઈએ.

આ દરમિયાન, CM મમતા બેનર્જીએ DGP રાજીવ કુમાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ પ્રકારની ઘટનાથી રાજ્યની છબી ખરડાય છે.

Arup Biswas Resign
m.punjabkesari.in

લિયોનેલ મેસ્સીનો ભારત પ્રવાસ શનિવારે કોલકાતામાં શરૂ થયો હતો. 15,000 રૂપિયા સુધીની ટિકિટ ખરીદનારા હજારો દર્શકો સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જોકે, મેસ્સી ફક્ત 20 મિનિટ માટે મેદાનમાં જોવા મળ્યો હતો.

આનાથી દર્શકો નારાજ થઈને ગુસ્સે થયા હતા. મેસ્સી રાજકારણીઓ અને પ્રભાવશાળી લોકોથી ઘેરાયેલો હોવાના આરોપો કરવામાં આવ્યા હતા, જેના કારણે સામાન્ય ટિકિટ ધારકો તેને જોવાની તકથી વંચિત રહ્યા હતા.

હતાશ અને ગુસ્સે ભરાયેલા દર્શકોએ બોટલો ફેંકી, ખુરશીઓ તોડી અને સ્ટેડિયમમાં હંગામો મચાવ્યો. સમગ્ર ઘટનાના વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેના કારણે સરકાર અને શાસક તૃણમૂલ કોંગ્રેસની વ્યાપક ટીકા થઈ. BJPTMC સરકાર પર જોરદાર પ્રહારો પણ કર્યા હતા.

Arup Biswas Resign
jantaserishta.com

રમતગમત મંત્રીના રાજીનામા પછી મીડિયા સાથે વાત કરતા BJPના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું કે, અરૂપ બિશ્વાસની ધરપકડ થવી જોઈએ.

તેમણે કહ્યું કે, CM મમતા બેનર્જી 2026ની વિધાનસભા ચૂંટણી માટે આ અવ્યવસ્થિત ઘટનાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, તેનાથી ઉલ્ટું જ થઇ ગયું હતું. તેમના આ મિશનની ખરાબ વ્યવસ્થા તેમણે જ ભારે પડી ગઈ.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.