જ્ઞાનવાપી કેસ: મસ્જિદ કમિટીએ કોર્ટમાં કહ્યું-ઔરંગઝેબ ન તો ક્રૂર હતો કે ન તો…

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની એક માંગ સામે મસ્જિદ સમિતિએ આપત્તિ વ્યકત કરીને કહ્યું છે કે મુસ્લિમ શાસકો સામે ખોટું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. આવું કહેવાનો આશય માત્ર હિંદુ અને મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવાનો છે. મુસ્લિમ સમિતિએ દાખલ કરેલી અરજી પર હવે કોર્ટે 7 જુલાઇએ સુનાવણી કરવાનું કહ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરનો Archaeological Survey of India (ASI) પાસે સર્વે કરાવવાના આગ્રહ કરતી એક અરજી વારાણસી જિલ્લા અદાલત કરવામાં આવી છે. આ અરજી પર મુસ્લિમ પક્ષે પોતાની આપત્તિ રજૂ કરતી અરજી દાખલ કરી હતી. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કહ્યુ કે ન તો મોઘલ બાદશાહ ઔરંગઝેબ ક્રુર હતો કે ન તો તેણે વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડ્યું હતું.

જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વે પર પોતાની આપત્તિમાં અજુમન ઇંતિજામિયા મસ્જિદ સમિતિએ હિંદુ પક્ષની દલીલમાં કરવામાં આવેલા એ દાવાનું ખંડન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન આદિ વિશ્વેશ્વર મંદિર પર મુસ્લિમ આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું અને એ પછી 1580 ઇ.માં રાજા ટોંડલ મલે એ જ સ્થાન પર મંદિર બનાવ્યું હતું. કોર્ટે આગામી સુનાવણી માટે 7 જુલાઇની તારીખ નક્કી કરી છે.

મસ્જિદ સમિતિએ ગયા વર્ષે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા કમિશ્નરના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની શોધનો પણ ઇન્કાર કર્યો છે. મસ્જિદ સમિતિએ કહ્યું કે જ્ઞાનવાપીમાં કોઇ શિવલિંગ મળ્યું નથી એ એક માત્ર ફુવારો છે. વારાણસીમાં બે કાશી વિશ્વનાથ મંદિરો નવા અને જુનાનો કોઇ ખ્યાલ નહોતો. ઉપરાંત મસ્જિદ સમિતિએ મુસ્લિમ શાસકોને આક્રમણકારો કહેતી હિંદુ પક્ષની દલીલ પર આપત્તિ વ્યકત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વાત હિંદુ- મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવા માટે કહેવામાં આવી હતી.

મસ્જિદ કમિટીની અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ પર હાજર ઈમારત, જ્ઞાનવાપી મસ્જિદ, હજારો વર્ષોથી ત્યાં છે. તે ગઈ કાલે પણ મસ્જિદ હતી અને આજે પણ મસ્જિદ છે. વારાણસી અને આજુબાજુના જિલ્લાના મુસ્લિમો કોઈપણ પ્રતિબંધ વિના ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે. દરમિયાન, વારાણસીની એક જિલ્લા અદાલતે મંગળવારે જ્ઞાનવાપી કેસ સાથે સંબંધિત સમાન પ્રકૃતિના સાત કેસોની સુનાવણી એકસાથે કરવાનો આદેશ આપ્યો હતો.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.