જ્ઞાનવાપી કેસ: મસ્જિદ કમિટીએ કોર્ટમાં કહ્યું-ઔરંગઝેબ ન તો ક્રૂર હતો કે ન તો…

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષની એક માંગ સામે મસ્જિદ સમિતિએ આપત્તિ વ્યકત કરીને કહ્યું છે કે મુસ્લિમ શાસકો સામે ખોટું ચિત્રણ કરવામાં આવી રહ્યું છે. આવું કહેવાનો આશય માત્ર હિંદુ અને મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવાનો છે. મુસ્લિમ સમિતિએ દાખલ કરેલી અરજી પર હવે કોર્ટે 7 જુલાઇએ સુનાવણી કરવાનું કહ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદના આખા પરિસરનો Archaeological Survey of India (ASI) પાસે સર્વે કરાવવાના આગ્રહ કરતી એક અરજી વારાણસી જિલ્લા અદાલત કરવામાં આવી છે. આ અરજી પર મુસ્લિમ પક્ષે પોતાની આપત્તિ રજૂ કરતી અરજી દાખલ કરી હતી. આ દરમિયાન જ્ઞાનવાપી મસ્જિદ સમિતિએ કહ્યુ કે ન તો મોઘલ બાદશાહ ઔરંગઝેબ ક્રુર હતો કે ન તો તેણે વારાણસીમાં ભગવાન આદિ વિશ્વેશ્વરના મંદિરને તોડ્યું હતું.

જ્ઞાનવાપી મસ્જિદમાં ASIના સર્વે પર પોતાની આપત્તિમાં અજુમન ઇંતિજામિયા મસ્જિદ સમિતિએ હિંદુ પક્ષની દલીલમાં કરવામાં આવેલા એ દાવાનું ખંડન કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે ભગવાન આદિ વિશ્વેશ્વર મંદિર પર મુસ્લિમ આક્રમણકારોએ હુમલો કરીને મંદિરને નષ્ટ કરી દીધું હતું અને એ પછી 1580 ઇ.માં રાજા ટોંડલ મલે એ જ સ્થાન પર મંદિર બનાવ્યું હતું. કોર્ટે આગામી સુનાવણી માટે 7 જુલાઇની તારીખ નક્કી કરી છે.

મસ્જિદ સમિતિએ ગયા વર્ષે કોર્ટ તરફથી નિયુક્ત કરાયેલા કમિશ્નરના જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની શોધનો પણ ઇન્કાર કર્યો છે. મસ્જિદ સમિતિએ કહ્યું કે જ્ઞાનવાપીમાં કોઇ શિવલિંગ મળ્યું નથી એ એક માત્ર ફુવારો છે. વારાણસીમાં બે કાશી વિશ્વનાથ મંદિરો નવા અને જુનાનો કોઇ ખ્યાલ નહોતો. ઉપરાંત મસ્જિદ સમિતિએ મુસ્લિમ શાસકોને આક્રમણકારો કહેતી હિંદુ પક્ષની દલીલ પર આપત્તિ વ્યકત કરી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે આ વાત હિંદુ- મુસલમાનો વચ્ચે નફરત પેદા કરવા માટે કહેવામાં આવી હતી.

મસ્જિદ કમિટીની અરજીમાં આગળ કહેવામાં આવ્યું છે કે, આ સ્થળ પર હાજર ઈમારત, જ્ઞાનવાપી મસ્જિદ, હજારો વર્ષોથી ત્યાં છે. તે ગઈ કાલે પણ મસ્જિદ હતી અને આજે પણ મસ્જિદ છે. વારાણસી અને આજુબાજુના જિલ્લાના મુસ્લિમો કોઈપણ પ્રતિબંધ વિના ત્યાં નમાઝ અદા કરી રહ્યા છે. દરમિયાન, વારાણસીની એક જિલ્લા અદાલતે મંગળવારે જ્ઞાનવાપી કેસ સાથે સંબંધિત સમાન પ્રકૃતિના સાત કેસોની સુનાવણી એકસાથે કરવાનો આદેશ આપ્યો હતો.

About The Author

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.