ભારતનું આ રાજ્ય વૃક્ષોને આપે છે પેન્શન, જાણો કેવી રીતે મળી શકે છે લાભ

માણસોને મળતા પેન્શન બાબતે તો તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્યાંક વૃક્ષોને પેન્શન પણ મળે છે. સૌથી મોટી વાત કે વૃક્ષો માટે આ સ્કીમ ભારતના જ એક રાજ્યની છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આખરે કયા રાજ્યમાં અને વૃક્ષોને કેટલા રૂપિયા પેન્શન મળે છે. તેની સાથે જ તમને એ પણ જણાવીશું કે જો તમે આ રાજ્યમાં રહો છો તો કેવી રીતે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

કયા રાજ્યમાં વૃક્ષોને મળે છે પેન્શન?

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે લોકોને રિટાયરમેન્ટ પેન્શન, વિધવા પેન્શન કે વૃદ્ધ પેન્શન મળે છે, પરંતુ હરિયાણા એક એવું રાજ્ય છે જે વૃક્ષોને પેન્શન આપે છે. જો કે, આ કોઈ સામાન્ય વૃક્ષ હોતા નથી, પરંતુ ખૂબ વૃદ્ધ વૃક્ષ હોય છે. વૃદ્ધ વૃક્ષ તેમને કહેવામાં આવે છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ હોય. આ વૃક્ષોને હરિયાણા સરકાર પ્રાણવાયુ દેવતા સ્કીમ હેઠળ વાર્ષિક પેન્શન આપે છે.

કેટલા મળે છે પૈસા?

આ યોજનાની જાહેરાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 5 જૂન 2021ના રોજ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. સૌથી મોટી વાત કે પછી આ રકમ વધારીને 2,750 રૂપિયા કરવામાં આવી. આ સ્કીમ હેઠળ ફાયદો લેવા માટે તમે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તેની સાથે જ તમે ઓફલાઇન માધ્યમથી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

તમે કઇ રીતે ઉઠાવી શકો છે લાભ:

જો તમે હરિયાણામાં રહો છો અને તમારી પાસે એવા વૃક્ષ છે, જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે તો તમે પોતાના વૃક્ષોનું રજીસ્ટ્રેશન આ સ્કીમ હેઠળ કરાવી શકો છો. તો જો તમારા વૃક્ષ પીપળાનો છે તો સરકાર તેમને વધુ મહત્ત્વ આપે છે. ઉલ્લેખનીય છે કે, વૃક્ષ હંમેશાં ઑક્સિજન છોડે છે એટલે હિન્દુ ધર્મને માનનારા લોકો તેની પૂજા પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રાણવાયુ દેવતા યોજના હેઠળ દાવા અને આપત્તિઓ બાદ જિલ્લામાં 680 જૂના વૃક્ષને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વૃક્ષોના માલિકોને વાર્ષિક 2,750 રૂપિયાની પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 941 અરજી વનવિભાગને મળી હતી, જેમાં 680 સ્વીકારવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

શિક્ષણ દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે, શિક્ષણ દરેક વ્યક્તિના  ઘડતરનો પાયો છે, શિક્ષણ થકી જ વ્યક્તિ પોતાના...
Education 
અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓને લઈને ગુજરાત સરકાર કેમ નીરસ વલણ અપનાવી રહી છે?

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.