ભારતનું આ રાજ્ય વૃક્ષોને આપે છે પેન્શન, જાણો કેવી રીતે મળી શકે છે લાભ

માણસોને મળતા પેન્શન બાબતે તો તમે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ક્યાંક વૃક્ષોને પેન્શન પણ મળે છે. સૌથી મોટી વાત કે વૃક્ષો માટે આ સ્કીમ ભારતના જ એક રાજ્યની છે. ચાલો તો આ આર્ટિકલમાં જાણીએ કે આખરે કયા રાજ્યમાં અને વૃક્ષોને કેટલા રૂપિયા પેન્શન મળે છે. તેની સાથે જ તમને એ પણ જણાવીશું કે જો તમે આ રાજ્યમાં રહો છો તો કેવી રીતે આ સ્કીમનો ફાયદો ઉઠાવી શકો છો.

કયા રાજ્યમાં વૃક્ષોને મળે છે પેન્શન?

અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે લોકોને રિટાયરમેન્ટ પેન્શન, વિધવા પેન્શન કે વૃદ્ધ પેન્શન મળે છે, પરંતુ હરિયાણા એક એવું રાજ્ય છે જે વૃક્ષોને પેન્શન આપે છે. જો કે, આ કોઈ સામાન્ય વૃક્ષ હોતા નથી, પરંતુ ખૂબ વૃદ્ધ વૃક્ષ હોય છે. વૃદ્ધ વૃક્ષ તેમને કહેવામાં આવે છે જેમની ઉંમર 75 વર્ષથી વધુ હોય. આ વૃક્ષોને હરિયાણા સરકાર પ્રાણવાયુ દેવતા સ્કીમ હેઠળ વાર્ષિક પેન્શન આપે છે.

કેટલા મળે છે પૈસા?

આ યોજનાની જાહેરાત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે 5 જૂન 2021ના રોજ કરી હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યના વૃદ્ધ વૃક્ષોને વાર્ષિક 2,500 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. સૌથી મોટી વાત કે પછી આ રકમ વધારીને 2,750 રૂપિયા કરવામાં આવી. આ સ્કીમ હેઠળ ફાયદો લેવા માટે તમે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તેની સાથે જ તમે ઓફલાઇન માધ્યમથી આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.

તમે કઇ રીતે ઉઠાવી શકો છે લાભ:

જો તમે હરિયાણામાં રહો છો અને તમારી પાસે એવા વૃક્ષ છે, જેમની ઉંમર 75 વર્ષથી વધુ છે તો તમે પોતાના વૃક્ષોનું રજીસ્ટ્રેશન આ સ્કીમ હેઠળ કરાવી શકો છો. તો જો તમારા વૃક્ષ પીપળાનો છે તો સરકાર તેમને વધુ મહત્ત્વ આપે છે. ઉલ્લેખનીય છે કે, વૃક્ષ હંમેશાં ઑક્સિજન છોડે છે એટલે હિન્દુ ધર્મને માનનારા લોકો તેની પૂજા પણ કરે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ પ્રાણવાયુ દેવતા યોજના હેઠળ દાવા અને આપત્તિઓ બાદ જિલ્લામાં 680 જૂના વૃક્ષને ચિહ્નિત કરવામાં આવ્યા છે. આ વૃક્ષોના માલિકોને વાર્ષિક 2,750 રૂપિયાની પેન્શન આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે 941 અરજી વનવિભાગને મળી હતી, જેમાં 680 સ્વીકારવામાં આવી હતી.

Related Posts

Top News

નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

મહારાષ્ટ્રના રાજકારણમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા શિવસેના ઉદ્ધવ ઠાકરેએ હવે બધું ભુલાવીને ભારે હૃદયથી પોતાના જૂના રાજકીય દુશ્મનો તરફ મિત્રતાનો હાથ...
National 
નબળા ઉદ્ધવ ઠાકરે સાથે હાથ મિલાવવા માટે રાજ ઠાકરેએ અકડ બતાવી, કરી આ માંગણી

આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 4 જૂને એક ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. આ ઘોષણામાં 12 દેશોના લોકોને અમેરિકા આવવા પર સંપૂર્ણપણે...
World 
આ 12 દેશોના લોકો પર અમેરિકામાં દાખલ થવા ટ્રમ્પે સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો, જાણો શું કારણ આપ્યું

વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

UPના ઝાંસીમાં વીજળી મીટર બદલવા ગયેલી ટીમના JEને એક છોકરી થપ્પડ મારી રહી છે અને તેની સાથે ગેરવર્તન...
National 
વીજળી વિભાગની ટીમ સ્માર્ટ મીટર લગાવવા ગઈ તો, ડાકુ પાન સિંહ તોમરની પૌત્રીએ ધૂલાઈ કરી દીધી

કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?

અરવિંદ કેજરીવાલ ભલે દિલ્હીમાં ન દેખાતા હોય, પરંતુ સત્તાના ગલિયારાઓમાં તેમની મજબૂત લોકપ્રિયતાનો અહેસાસ જોવા મળે છે. વિધાનસભા ચૂંટણીમાં...
National 
કેમ કેજરીવાલ દિલ્હીના રાજકારણ કરતા પંજાબ-ગુજરાતની પેટાચૂંટણીને વધુ મહત્ત્વ આપી રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.