શિવમંદિરમાં ઘેરી લેવાયા હતા 2500 લોકો, લેડી સિંઘમ ગણાતા IPS મમતા સિંહે બચાવ્યા

ગુરુગ્રામમાં, ટોળાએ એક મસ્જિદ પર હુમલો કર્યો, તેના નાયબ ઈમામની હત્યા કરી. આ સાથે હરિયાણાના નૂહ જિલ્લામાં વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા શોભા યાત્રાને રોકવાનો પ્રયાસ કરતી વખતે ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. પોલીસના અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી.

આવી તંગ પરિસ્થિતિમાં નૂહ જિલ્લામાં યાત્રા દરમિયાન હિંસામાં નલ્લાહડ મંદિરમાં ફસાયેલા 2500 લોકોને બચાવવામાં લેડી સિંઘમ  તરીકે જાણીતા  Additional Director General of Police  (કાયદો અને વ્યવસ્થા) મમતા સિંહએ સફળતા મેળવી હતી, તેમની બહાદુરી અને હિંમત ખૂબ પ્રશંસા થઈ રહી છે. હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે પણ તેમની હિંમતની પ્રશંસા કરી અને જણાવ્યું કે કેવી રીતે ADG મમતા સિંહે આ કામ કર્યું.

 

હરિયાણાના ગૃહ મંત્રી અનિલ વિજે કહ્યું, જ્યારે મંદિરમાં મોટી સંખ્યામાં લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા. અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ હતું. જવાબદાર લોકોએ મંદિરની અંદરથી જ મને ગૂગલ લોકેશન મોકલ્યું હતું. જ્યારે મેં પ્રશાસનને આ વાત કહી તો મમતા સિંહે ખૂબ હિંમતથી પોલીસ દળનું નેતૃત્વ કર્યું. તેમણે બધા લોકોને બચાવ્યા.

મેવાતના નલ્લાહડમાં ભગવાન શિવનું એક પ્રાચીન મંદિર છે. જે શોભાયાત્રા નીકળી હતી તે પહાડોથી ઘેરાયેલા આ મંદિર સુધી જ પહોંચવાની હતી. શોભાયાત્રાના અંતના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો, મોટાભાગે મહિલાઓ અને બાળકો, મંદિર પરિસરની અંદર હાજર હતા. આ તમામ લોકો યાત્રાની અહીં પહોંચવાની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ તે દરમિયાન એક જૂથે સરઘસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.

એટલા માટે વહીવટીતંત્રે અહીં સેંકડો લોકોને રાખ્યા હતા.કારણ કે જો તે સમયે લોકો મંદિરમાંથી બહાર આવ્યા હોત તો તેઓ તોફાનીઓનો શિકાર બની શક્યા હોત. મંદિરથી અડધો કિલોમીટર દૂર તોફાનીઓએ સેંકડો વાહનોને આગ ચાંપી દીધી હતી. અન્ય સમુદાયના લોકોને જોઈને તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા હતા.

આ પછી, મંદિરમાંથી લોકોને બહાર કાઢવાનું મિશન શરૂ કરવામાં આવ્યું અને ADGP મમતા સિંહના નેતૃત્વમાં સેંકડો મહિલાઓ, બાળકો અને પુરુષોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા.

મમતા સિંહ 1996 બેચના IPS ઓફિસર છે. ડોક્ટર બનવા માટે અભ્યાસ છોડીને પોલીસ સેવામાં જોડાઈ ગયેલા મમતા સિંહ કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક છે. IPS મમતા સિંહ  બાબા રામ રહીમની ખાસ ગણાતી હરમનપ્રીત સિંહ સાથેના વ્યવહારને લઈને પણ ચર્ચામાં  રહ્યા હતા.

મમતા સિંહને રાષ્ટ્રપતિ તરફથી મેડલ પણ મળ્યો છે. આ સિવાય માનવાધિકાર આયોગની અનેક તપાસમાં તેમના યોગદાન માટે સુપ્રીમ કોર્ટે પણ મમતા સિંહની પ્રશંસા કરી ચૂક્યું છે.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ADGP મમતા સિંહે કહ્યું કે હિંસાથી નૂહ સૌથી વધુ પ્રભાવિત છે. નૂહની બહાર કોઈ મોટી ઘટના બની નથી. આ મામલે FIR નોંધવામાં આવી છે. આ અંગે તપાસ ચાલી રહી છે. અમે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ પણ કરી છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.