3 વર્ષ સુધી હૉસ્પિટલ ગયા વિના લીધો પ્રતિમાએ પગાર

જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ હૉસ્પિટલના પેથોલોજી વિભાગના અધિક્ષક અને મેટ્રન કાર્યાલયના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી, સ્ટાફ નર્સ પ્રતિમા કુમારી ત્રણ વર્ષ સુધી કામ કર્યા વિના પગાર લેતી રહી. આશ્ચર્યજનક વાત એ છે કે, પ્રતિભાએ 37 વખત રજા માટે અરજી મેટ્રનની ઑફિસમાં કરી હતી. તેને પણ મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ પણ, પ્રતિભાની ઉપસ્થિતિ બતાવીને અધિક્ષકની ઑફિસમાં મોકલવામાં આવી, જ્યારે નર્સની હાજરી 2 જગ્યાએ બને છે. આ મામલો સામે આવ્યા બાદ, અધિક્ષકે કારકુન પાસેથી શૉકોઝ માગ્યું છે. જોકે, બુધવારે સરકારી હોસ્પિટલ હોવાથી કાર્યાલય ખુલી નહોતી.

આ મામલે હૉસ્પિટલના કર્મચારીઓ પર સવાલ ઊભા થઈ રહ્યા છે. પેથોલોજી વિભાગના હાજરી રજિસ્ટરમાં પ્રતિભાની હાજરી કોણ પૂરી રહ્યું હતું? તે રજિસ્ટર અધિક્ષકની ઑફિસમાં મોકલવામાં આવી રહ્યું હતું. અહીં બધા સાથે તેનો પગાર બનાવવામાં આવી રહ્યો હતો. જ્યારે મેટ્રનની ઑફિસમાં જો વારંવાર રજા માટે અરજી કરી હતી, તો અધિક્ષકની ઑફિસને પણ તેની જાણ કરવામાં આવી જ હશે.

realme'
realme.com

તો 3 વર્ષથી ગાયબ હતી તો પૂર્વ અને વર્તમાન મેટ્રનને તેની જાણ કેમ નહોતી? જો પ્રતિભા અરજી લઈને ન આવતી તો વર્તમાન મેટ્રનને આ બાબતની ભનક ન લાગી હોત. મેટ્રનની ઑફિસમાં રજા માટે અરજી આપીને નર્સ જતી રહી. હવે કઈ નર્સે કેટલા દિવસની રજા લીધી? તેનું લેખું-જોખું આ કાર્યાલયમાં રાખવામા આવતા નથી. પરિણામે, તેનો લાભ અધિક્ષક કાર્યાલયના કેટલાક કારકૂનોએ ઉઠાવી લીધો. બધી નર્સોની હાજરી પહેલા હૉસ્પિટલ અધિક્ષકની કાર્યાલયની બહાર બાયોમેટ્રિક્સ પર બને છે. એવામાં પગાર ચૂકવવા પહેલા બંનેને મળાવવામાં આવે છે.

કોણ રજા પર છે તે પણ જોવામાં આવે છે. પરંતુ નર્સ પ્રતિભાના મામલે  અધિક્ષકની ઑફિસના કારકૂને આંખ આડા કાન કર્યા. 3 વર્ષ સુધી આમ કેવી રીતે ચાલી શકે? મિલીભગત વિના આ કેવી રીતે શક્ય છે? પગાર તૈયાર કર્યા બાદ અધિક્ષકની કાર્યાલયના કારકૂનો સીધા અધિક્ષક પાસે સહી કરવા માટે જાય છે. સહી કર્યા બાદ બધાને પગાર મોકલવામાં આવે છે. હવે કોનો પગાર કરવાનો છે અને કોનો પગાર રોકવાનો છે. તેને ચેક કરનાર માટે કોઈ હોતું નથી, જ્યારે નિયમ એ છે કે ઓછામાં ઓછા 3 અધિકારીઓએ તેની તપાસ કરવી જોઈએ.

nurse
inscol.com

 

જો હૉસ્પિટલમાં આ ચાલુ રહ્યું હોત તો આજે 28 લાખ રૂપિયા બિનજરૂરી રીતે વેડફાયા ન હોત. આ મામલે પૂર્વ અધિક્ષક ડૉ. ઉદય નારાયણ સિંહ અને ડૉ. રાકેશ કુમાર પર પણ સવાલ ઉભા થયા છે. બંનેના કાર્યકાળ દરમિયાન પ્રતિભા ગાયબ હતી. બંનેને આ વાતની ખબર નહોતી. એટલું જ નહીં, બંનેએ પ્રતિભાને સેવા લાભ પણ આપી દીધા. એવામાં જો તપાસ થઈ તો તે આ બંને સુધી પણ પહોંચશે. જોકે, ડૉ. રાકેશે જે ઇન્ક્રિમેન્ટ આપ્યું તેનો લાભ હજુ સુધી મળ્યો નથી.

તો હવે, હૉસ્પિટલ અધિક્ષક આ વાતની તપાસ કરી રહ્યા છે કે પ્રતિભાને કેટલી રજા મળવી જોઈએ. તેણે કેટલી રજા લીધી? કારણદર્શક જવાબ અને તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હોસ્પિટલના અધિક્ષક ડૉ. હેમશંકર શર્માએ કહ્યું કે, આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે એક ટીમ બનાવવામાં આવી છે. આમાં જે પણ દોષી હશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

દિલ્હી યુનિવર્સિટી (DU)એ ગુરુવારે સ્પષ્ટ કરી દીધું કે તેના કોઈપણ કોર્સમાં મનુસ્મૃતિ ભણાવવામાં નહીં આવે. આ નિવેદન ત્યારે...
Education 
દિલ્હી યુનિવર્સિટીનો યુ-ટર્ન, હવે કોઈ પણ કોર્સમાં નહીં ભણાવાય મનુસ્મૃતિ; જાણો શું છે મામલો

કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

ભલે આજે દુનિયા આધુનિક બની ગઇ હોય, આસમાનમાં પહોંચવાની વાત થતી હોય, પરંતુ આજની તારીખે પણ દહેજનું દુષણ...
National 
કરિયાવરનો આવો કિસ્સો નહીં સાંભળ્યો હોય, મહિલા પાસે કિડની માંગી લેવામાં આવી

આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

2016માં રિલીઝ થયેલી ફિલ્મ 'દંગલ'માં સુપરસ્ટાર આમિર ખાને મહાવીર સિંહ ફોગટની ભૂમિકા ભજવી હતી. તે કુસ્તીબાજો...
Entertainment 
આમીરે જણાવ્યું ફિલ્મ 'દંગલ' પાકિસ્તાનમાં કેમ રીલિઝ ન થઈ

એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં અઢી વર્ષથી કારમી મંદીને કારણે લાખો રત્નકલાકારોએ રોજગારી ગુમાવી છે એ વિશે દેશભરમાં ભારે ઉહાપોગ મચી જતા...
Gujarat 
એવું લાગે છે કે ડાયમંડ ઉદ્યોગમાં એક પણ રત્નકલાકાર બેરોજગાર નથી!
Copyright (c) Khabarchhe All Rights Reserved.