1.5% વોટ સાથે 1 પણ ન જીતી અને 0.5% મતથી થઇ ગઇ વિધાનસભામાં એન્ટ્રી, કંઇ પાર્ટી...

ચૂંટણી લડી. અરવિંદ કેજરીવાલે ઘણી રેલીઓ કરી. દાવો હતો કે તેમના વિના હરિયાણામાં કોઇ ખાતું નહીં ખોલી શકે, પરંતુ જ્યારે પરિણામ આવ્યા તો ખબર પડી કે 1.5 ટકાથી વધુ વોટ તો મળ્યા, પરંતુ 1 પણ સીટ ન મળી. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં અરવિંદ કેજરીવાલે માત્ર એક રેલી કરી અને AAPને 0.5 ટકા વોટ પણ મળ્યા, પરંતુ સૌથી મોટી વાત તેમની વિધાનસભામાં એન્ટ્રી થઇ ગઇ. તેમનો એક ઉમેદવાર જીતી ગયો.

બપોરે 3:00 વાગ્યા સુધી ચૂંટણી પંચના આંકડાઓને જોઇએ તો ભાજપને 40 ટકા અને કોંગ્રેસને 39 ટકાની આસપાસ મોટા મળ્યા છે. તો AAPને 1.77 ટકા લોકોએ વોટ આપ્યા છે. હેરાનીની વાત એ પણ છે કે દુષ્યંત ચૌટાલાની જે જનનાયક જનતા પાર્ટી (JJP)ને ગત વિધાનસભામાં 10 સીટો મળી હતી. તેમણે ભાજપ સાથે મળીને સરકાર બનાવી હતી અને નાયબ મુખ્યમંત્રી પણ બન્યા, તેમની પાર્ટીને પણ AAP કરતા અડધા વોટ મળ્યા. JJPને 1 ટકાથી પણ ઓછા લોકોએ વોટ આપ્યા.

મતોનું આ ગણિત જોઇને AAP ઉત્સાહિત જરૂર હશે કેમ કે વર્ષ 2019ની વિધાનસભાની ચૂંટણીમાં તેને 1 ટકા વોટ મળ્યા હતા. આ વખત તેણે પોતાના વોટ વધાર્યા છે, પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જે કમાલ કરી છે, તે શાનદાર છે. 0.5 ટકા વોટ મેળવીને તેમનો ઉમેદવાર ધારાસભ્ય બની ગયો. આખરે આ ખેલ કઇ રીતે થયો. આવો સમજીએ. જમ્મુ-કાશ્મીરની ડોડા સીટ પર AAPના મેહરાજ મલિકને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

તેણે ભાજપના ગજય સિંહ રાણાને 4538 મતથી હરાવી દીધા છે. અહીની અન્ય વિધાનસભા સીટો પર AAP કોઇ ખાસ પ્રભાવ છોડી શકી નથી. પરંતુ માત્ર ડોડાની સીટ પર ઉમેદવારની છબીના કારણે તેને શાનદાર જીત મળી છે. આંકડાઓને જોઇએ તો પાર્ટીને 0.5 ટકા જે વોટ મળ્યા છે, તેમાં મોટા ભાગના વોટ આજ સીટ પર મળ્યા છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-08-2026 દિવસ: સોમવાર મેષ: કાર્યક્ષેત્રમાં અવનવી તકો જણાય, સાવચેતી રાખીને આગળ વધવું, આવનારા વિઘ્નો હળવા થતા જણાય. વૃષભ: દિવસ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.