વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. ભારત સરકારે પાકિસ્તાન સાથેની સરહદ પણ બંધ કરી દીધી હતી. સરહદ બંધ થવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે.

બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે, બંને દેશો વચ્ચે લગ્નની આશા ઓછી થઈ ગઈ છે. જોકે, હવે, લગભગ દોઢ વર્ષ પછી, આશાઓ ફરી જાગી છે. એક અહેવાલ દર્શાવે છે કે આશરે 150 પાકિસ્તાની દુલ્હનોએ મસ્કત, કોલંબો, ઢાકા, કતાર અને દુબઈથી ભારતના વિવિધ શહેરોમાં કનેક્ટિંગ ફ્લાઇટ્સનો ઉપયોગ કર્યો હતો અને લગ્નની વિધિઓ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ મંત્રાલયે, એક સમ્માનીય ધાર્મિક સ્થળ સાથે મળીને, આવા પ્રવાસને ખાસ છૂટ આપી હતી.

Pakistani-Bridal
ndtv.com

આ આદેશ મુજબ, પાકિસ્તાની સંબંધીઓને દુલ્હન સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ શરત સાથે કે તેઓ ચોક્કસ સમયમર્યાદામાં પાછા ફરશે. આ જ કારણ છે કે કેટલાક લગ્નો ખુબ સાદગીથી કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની દુલ્હનો તેમના વિઝા પરમિટ અને દસ્તાવેજો પ્રાપ્ત કરીને ખૂબ ખુશ થઈ ગઈ હતી.

જો કે ભારતીય વિઝા ધરાવતા પાકિસ્તાનીઓ સામાન્ય પરિસ્થિતિઓમાં વાઘા બોર્ડર પરથી સરળતાથી મુસાફરી કરી શકતા હતા, પરંતુ હવે સરહદ બંધ થવાને કારણે તેમને હવાઈ મુસાફરી કરવાની જરૂર પડે છે. પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈ ક્ષેત્ર હજુ પણ બંધ રાખ્યું છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ વર્ષે જૂનથી એપ્રિલ વચ્ચે, આશરે 150 દુલ્હનો તેમના 450 સંબંધીઓ સાથે ભારત આવી હતી.

અહેવાલ મુજબ, લગ્ન માટે ભારતમાં આવેલી મોટાભાગની દુલ્હનોની સગાઇ ઓપરેશન સિંદૂર પહેલા થઇ ચુકી હતી. ગયા વર્ષે ઘણા યુગલોએ તેમના લગ્નનું આયોજન કર્યું હતું, પરંતુ બદલાતા સંજોગો અને સરહદ બંધ થવાને કારણે લગ્નમાં વિલંબ થયો. લાંબા ગાળાના વિઝા પર ભારતમાં રહેતા ઇન્કેશ જશનાનીએ ઓપરેશન સિંદૂર પહેલા સગાઈ કરી હતી. ત્યારપછી તેઓએ તેમના લગ્નનું આયોજન કર્યું. તેની મંગેતર સિંધના ખાનપુર તાલુકાથી ભારત આવી રહી હતી, પરંતુ વાઘા બોર્ડર બંધ થવાને કારણે તે આવી શકી નહીં.

Pakistani-Bridal2
facebook.com

લગભગ એક વર્ષ પછી, આરતીએ હવાઈ માર્ગ પસંદ કર્યો. તેણે મસ્કત થઈને નાગપુર જવાનું નક્કી કર્યું. વિઝા પ્રતિબંધોને કારણે, ફક્ત તેનો ભાઈ જ તેની સાથે જઈ શકતો હતો. આરતી ઈચ્છે છે કે, જો સરહદ ફરી ખુલે અને તે ફરીથી તેના માતાપિતાને મળી શકે.

ભારતીય નાગરિકત્વ મેળવનાર સંજય કલાનીની સગાઈ 3 વર્ષ પહેલાં સિંધના ઘોટકી જિલ્લાની કાજલ સાથે થઈ હતી. જોકે, તેને આશા નહોતી કે તેમના લગ્ન સરળતાથી થશે. લગ્ન ગયા વર્ષે થવાના હતા, પરંતુ ઓપરેશન સિંદૂર પછી, તેની મંગેતરને વિઝા મેળવવામાં મુશ્કેલી પડી. સંજયની મંગેતર કાજલ તાજેતરમાં કરાચીથી મસ્કત અને પછી ત્યાંથી નાગપુર આવી. ત્યારે જ સંજય અને આરતીના લગ્ન થયા.

અહેવાલો દર્શાવે છે કે, સિંધના ઘોટકીમાં પ્રખ્યાત શદાની દરબારમાં પાકિસ્તાનમાં ફસાયેલી દુલ્હનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. 18મી સદીના સંત શદારામ સાબીબના માનમાં બનેલ શદાની દરબાર બંને દેશોમાં રહેતા સમુદાય માટે ખાસ મહત્વ ધરાવે છે. સમુદાયના એક સભ્યએ જણાવ્યું હતું કે, આ સિંધથી આવેલું પહેલું જૂથ છે અને ભારત સરકારે અન્ય ફસાયેલી દુલ્હનોને મદદ કરવા માટે પગલાં લેવા જોઈએ.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.