બેંકમાં 2000ની નોટ જમા કરાવતી વખત નકલી નીકળે તો થઈ શકે છે આ કાયદાકીય કાર્યવાહી

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ 2 હજાર રૂપિયાની નોટ ચલણથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય બેંકે 2 હજાર રૂપિયાની નોટો ન આપવાનો આદેશ આપ્યો છે. લોકોને બેંકમાં 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવવા માટે 4 મહિનાનો સમય આપ્યો છે. 30 સપ્ટેમ્બર 2023 સુધી આ નોટોને પરત લઈ લેવામાં આવશે. જો તમારી પાસે પણ 2 હજાર રૂપિયાની નોટ છે તો તમે 23 મેથી જમા કરાવવાની શરૂઆત કરી શકો છો, પરંતુ શું તમે વિચાર્યું છે કે જો 2 હજાર રૂપિયાની નોટ જમા કરાવતી વખત તે નકલી નીકળી તો શું થશે. શું તમારા પર કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે?

ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકોને કહેવામાં આવ્યું છે કે, બધી નોટોની તપાસ કરવામાં આવે. સ્પષ્ટતા અને વાસ્તવિકતા માટે નોટ સૉર્ટિંગ મશીનો (NSM)ના માધ્યમથી તાત્કાલિક શોર્ટ કરવામાં આવશે. રિઝર્વ બેન્કે કહ્યું કે, નકલી નોટની તપાસ 3 એપ્રિલ 2023ના રોજ જાહેર કરવામાં આવેલા માસ્ટર ઇન્સ્ટ્રક્શનને ફોલો કરવામાં આવશે.

નકલી નોટ નીકળવા પર શું થશે?

કાઉન્ટર પર આપવામાં આવેલી નોટોને મશીનોના માધ્યમથી તપાસ કરવામાં આવશે. જો કોઈ નોટ નકલી મળે છે તો તે પૈસા ગ્રાહકોને નહીં આપવામાં આવે. આ નકલી નોટ પર ફેક કરન્સીની મ્હોર લગાવી દેવામાં આવશે અને જપ્ત કરી લેવામાં આવશે. સાથે જ અલગ રજીસ્ટરમાં તેને નોટ કરવામાં આવશે, નકલી નોટ પાછી કરવામાં નહીં આવે. જો એમ કોઈ બેંક કરે છે તો નકલી નોટમાં એ બેંકની ભાગીદારી માનવામાં આવશે અને દંડ લગાવવામાં આવશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કહે છે કે જો 4 નંગ સુધી નકલી નોટ મળે છે તો તેની જાણકારી પોલીસને આપવામાં આવશે. જો 5 નોટ મળે છે તો નોડલ અધિકારી દ્વારા તાત્કાલિક પોલીસને જાણકારી આપવામાં આવશે અને FIR નોંધાવી તપાસ કરાવવામાં આવશે. FIRની એક કપિ બેંકના મુખ્ય બ્રાન્ચને મોકલવામાં આવશે.

About The Author

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.