રોકાણકારોના 50 કરોડ રૂપિયા લઈને પતિ-પત્ની સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા ગયા, 3 અઠવાડિયાથી ગુમ

હૈદરાબાદનો એક વેપારી અને તેની પત્ની, જે ભારતથી વેકેશન ગાળવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા ગયા હતા, ત્યાં તેઓ પતિ પત્ની રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા છે. તેમના ગુમ થયા પછી, પોલીસને શંકા છે કે આ દંપતી રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરીને જાણી જોઈને દેશ છોડીને ભાગી ગયા છે. ગુમ થયેલા દંપતીની ઓળખ 51 વર્ષીય વેપારી પબ્બા ચંદ્રશેખર અને તેમની 42 વર્ષીય પત્ની સ્વપ્ના તરીકે થઈ છે.

Hyderabad-Couple-Switzerland.jpg2

આ આખી બાબત વેપારીની 23 વર્ષની પુત્રી શ્રેયાએ પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પ્રકાશમાં આવી. ફરિયાદ મુજબ, ચંદ્રશેખર અને સ્વપ્ના 22 જૂને હૈદરાબાદથી સ્વિટ્ઝર્લૅન્ડ ફરવા જવા રવાના થયા હતા. શરૂઆતમાં, તેઓ તેમના સંબંધીઓ અને પરિવાર સાથે નિયમિત સંપર્કમાં હતા. પરંતુ ત્યાર પછી, 8 જુલાઈ પછી તેઓએ વાતચીત કરવાનું બંધ કરી દીધું. જ્યારે પરિવારે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમના મોબાઇલ ફોન કાં તો બંધ થઈ ગયા હતા અથવા તો કવરેજ એરિયાની બહાર બતાવતા હતા.

પોતાના માતાપિતાનો સંપર્ક ન થઇ શકતા ચિંતામાં પડેલી તેમની પુત્રીએ કંઈક અનિચ્છનીય બન્યું હોય એવા ડરથી, પોલીસનો સંપર્ક કર્યો હતો. આ પછી, પોલીસે ગુમ થયેલ વ્યક્તિઓનો રિપોર્ટ નોંધ્યો અને તપાસ શરૂ કરી. આ તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.

Hyderabad-Couple-Switzerland.jpg-3

જેમ જેમ પોલીસે આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી, તેમ તેમ એક મોટી છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું. માહિતી અનુસાર, પબ્બા ચંદ્રશેખરે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક વ્યક્તિઓ પાસેથી મોટી રકમ એકઠી કરી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દંપતીએ 60થી વધુ વ્યક્તિઓ પાસેથી આશરે રૂ. 50 કરોડ એકઠા કર્યા હતા. રોકાણકારોને વિવિધ વ્યવસાયો દ્વારા મોટો નફો મળવાની લાલચ આપીને લલચાવ્યા હતા.

Hyderabad-Couple-Switzerland.jpg-4
indiatoday.in

હૈદરાબાદ પોલીસ હવે દંપતીના મુસાફરી રેકોર્ડ અને તેમના બેંક ખાતાઓમાં નાણાકીય વ્યવહારોની બારીકાઈથી તપાસ કરી રહી છે. અને સાથે તેઓ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ દંપતી ખરેખર સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યું છે કે નહીં. જો કે, પોલીસે હજુ સુધી કોઈ છેતરપિંડી કરી હોવાની ઔપચારિક જાહેરાત કરી નથી. પોલીસ અધિકારીઓ કહે છે કે, તેઓ આ કેસમાં સંભવિત તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે.

About The Author

Top News

સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

દિલ્હી હાઈકોર્ટે મંગળવારે સોનમ વાંગચુક અંગે એક મોટો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તેમને સફદરજંગ હોસ્પિટલથી મેદાંતા શિફ્ટ કરવાનો આદેશ આપ્યો...
National 
સોનમ વાંગચુક પર સુનાવણી દરમિયાન શું-શું દલીલો થઇ, કોર્ટે કેવી રીતે મેદાંતા શિફ્ટ કરવા માટે આપી સંમત્તિ?

ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરતા 28 ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલી અને નવી નિમણૂકોના...
Gujarat 
ગુજરાતના 28 IAS અધિકારીની બદલી, સુરતને મળ્યા નવા ડેપ્યુટી કમિશનર

ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

BCCI મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા સ્થાનિક ક્રિકેટમાં પ્રસ્તાવિત નવા ક્રિકેટ નિયમો લાગૂ કરવા માટે તૈયાર છે. આ નિયમો...
Sports 
ભારતીય ક્રિકેટમાં BCCI લાગૂ કરશે નવા નિયમો, આ છે સંપૂર્ણ યાદી

અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?

અમદાવાદમાં ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા ગ્રાહકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. નરોડા વિસ્તારમાં હંસપુરા પાસે આવેલી McDonald's રેસ્ટોરન્ટ...
Gujarat 
અમદાવાદમાં McDonald'sની રેસ્ટોરાં રાતોરાત કેમ સીલ મારી દેવાઈ? જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.