જો CM કેજરીવાલની ધરપકડ થાય તો દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે?

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કેજરીવાલ આજે ED સમક્ષ હાજર થયા નથી અને મધ્ય પ્રદેશમાં કેજરીવાલ રોડ શો કરવા માટે ગયા છે. જાણકારોનું કહેવું છે કે એક રીતે કેજરીવાલે સરકારને સંદેશો આપ્યો છે કે તેઓ કાઇનાથી ડરતા નથી.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ કોઇ સંજોગોમાં જો અરવિંદ કેજરીવાલની ધરપકડ થાય તો દિલ્હીના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી કોણ સંભાળશે? તેની કવાયત શરૂ કરી દીધી છે. એના માટે એક ઇમરજન્સી મિટીંગ પણ બોલાવવામા આવી હતી અને સલાહ સૂચનો મેળવવામાં આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલને જે મજબુત હાથ ગણાતા હતા તેવા મનીષ સિસોદીયા અને સંજય સિંઘ અત્યારે જેલમાં છે. એવા સંજોગોમાં આમ આદમી પાર્ટી પાસે વિકલ્પ ઓછા છે.

જાણવા મળેલી માહિતી મુજબ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં ગોપાલ રાય અથવા શિક્ષણ મંત્રી આતિશીને મુખ્યમંત્રી પદની જવાબદારી સોંપવમાં આવી શકે છે.

About The Author

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.